Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ | નખત્રાણાતાલુકાના લખપત-ભુજ માર્ગે મોટા યક્ષ પાસેના માતેલા સાંઢની
ભુજ | નખત્રાણાતાલુકાના લખપત-ભુજ માર્ગે મોટા યક્ષ પાસેના માતેલા સાંઢની માફક દોડતી ખાનગી લક્ઝરી બસનું ટાયર ફાટતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્તો પૈકી વધુ એકનું બુધવારે મોત થતાં મરણાંક પાંચે પહોંચ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોટા યક્ષ પાસે દેવીકૃપા ટ્રાવેલ્સની લકઝરી નંબર જીજે-12-ટી-4228નું ખાલી સાઈડનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતના બનાવમાં બે પટેલો તથા ક્લીનર સહિત ત્રણનાં મોત ઘટનાસ્થળ પર થયાં હતાં, તો ઘટનાના ત્રીજે દિવસે પલીવાડ ગામના મુસ્લિમ યુવાનનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે થયું હતું, જ્યારે આઠ દિવસની સારવાર બાદ ભુજની ખાનગી હોસ્પિટલમાં નખત્રાણા તાલુકાના નેત્રા ગામના ગોવિંદ રામજીભાઇ સુથાર (ઉ.વ.57)ને બુધવારે બપોરે અંતિમ શ્વાસ લીધો હતો, વયસ્કનું મોત થતાં તેમના પરિવારમાં ગમગની છવાઇ ગઇ હતી.
મોટા યક્ષ અકસ્માતની ઘટનામાં વધુ એકનું મોત થતાં મૃતકાંક 5 થયો