ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઈન્ડોનેશિયાની બાલીની એક જેલમાં મોતની સજા ફટકારેલા કેદીએ જેલમાં જ રેસ્ટોરન્ટ શરૂ કરી દીધી છે. પોતાના હાથનો છેલ્લો ખોરાક ખાવાની ઈચ્છાને કારણે તેણે આ રેસ્ટોરન્ટ શરૂ કરી છે. અનેક દેશોમાં મોતની સજા પહેલા કેદીઓને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે. જેલના અધિકારીઓને યોગ્ય લાગે તો તેઓ તેની છેલ્લી ઈચ્છા પૂરી કરે છે. કેદીઓ પોતાની છેલ્લી ઈચ્છામાં કોઈ ખાસ શખ્સને મળવાની પણ ડિમાન્ડ રાખે છે, પરંતુ ઘણીવાર અજીબોગરીબ ડિમાન્ડ પણ કરવામાં આવે છે. જેમાં સ્વાદિસ્ટ ભોજનથી લઈને ગમતી ફિલ્મ જોવાનું હોય છે.
''મોત પહેલા જેલના ડોક્ટરના પગે લાગવાની ઈચ્છા'' - ધનંજય ચેટર્જી
ભારતમાં રેપ અને હત્યાના કેસમાં મોતની સજા પામેલા ધનંજય ચેટર્જીએ મોત પહેલા જેલના ડોક્ટર બાસુદેવ મુખર્જીના પગ પડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સજા મળ્યાની એક રાત પહેલા ધનંજયના સાથી કેદીઓએ તેના માટે ગીતો ગાયા હતા. જેથી તે રિલેક્સ થઈ શકે.
આગળની સ્લાઈડ પર વાંચો અન્ય કેદીઓની ડિમાન્ડ વિશે.....