Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાપર તાલુકામાં દૂધ સંજીવની યોજનાનો કરાયો પ્રારંભ
રાપરતાલુકામાં સંકલીત બામ યોજના દ્વારા દૂધ સંજીવની યોજનાનો પ્રારંભ કરાયો હતો. તાલુકામાં દરરોજ અંદાજે 74910 દૂધના પાઉચની જરૂરિયાત ઊભી થશે.
ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યોજનાનો પ્રારંભ ધારાસભ્ય પંકજ મહેતા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, આઇ.સી.ડી.એસ.ના ચેરમેન ભાવનાબા જાડેજા, પાલિકા પ્રમુખ જયશ્રીબેન વગેરેની ઉપસ્થિતિમાં કરાયો હતો.
આઅંગે આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર અલ્પાબેન જૈને જણાવ્યું હતું કે, રાપર અને લખપત તાલુકામાં યોજના એક સાથે અમલમાં મુકાઇ છે. રાપર તાલુકામાં રોજ દૂધના 29964 સાથે 74910 દૂધના પાઉચની અંદાજે જરૂરિયાત ઊભી થશે. કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ડોલરરાય ગોર, આઇ.સી.ડી.એસ.ના ઇન્ચાર્જ લાભુબેન, હેતલ પટેલ, મગનભાઇ પટેલ, પૂર્વિબા જાડેજા, પ્રા. શિક્ષણાધિકારી કૃપાલી વાગડિયા, મામલતદાર ટી.જે. ઠાકર તથા નગરપાલિકાના ઉપપ્રમુખ હઠુભા સોઢા ઉપસ્થિત રહ્યા હતા.
રાપરમાં દૂધ સંજીવની યોજનાનો પ્રારંભ કરતી વેળાએ ઉપસ્થિત અધિકારીઓ.