બાંદ્રાથી ભગત કી કોઠી માટે વાયા અમદાવાદ સ્પેશિયલ ટ્રેન
બાંદ્રાથી ભગત કી કોઠી માટે વાયા અમદાવાદ સ્પેશિયલ ટ્રેન
ઉનાળુ વેકેશન દરમિયાન પેસેન્જરોની ધસારાને પગલે પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રાથી ભગત કી કોઠી માટે સપ્તાહમાં બે દિવસ સમર હોલિ-ડે ટ્રેન વિશેષ ભાડાં સાથે દોડાવશે. આ ટ્રેન બાંદ્રાથી દર સોમવાર અને ગુરુવારે બપોરે 1.05 કલાકે રવાના થઇને બીજા દિવસે સવારે 8.20 કલાકે ભગત કી કોઠી પહોંચશે. જ્યારે ભગત કી કોઠીથી દર રવિવાર અને બુધવારે બપોરે 3.00 કલાકે રવાના થઇને બીજા દિવસે સવારે 11.45 કલાકે બાંદ્રા પહોંચશે.