રેલવે - ઇટારસી આગના કારણે અસર
રેલવે - ઇટારસી આગના કારણે અસર
6 જુલાઇએ સુરત-છપરા ટ્રેન રદ્દ
સુરત |ઇટારસીમાં સિગ્નલના કંટ્રોલ ટાવરમાં લાગેલી આગના કારણે ખોરવાયેલો ટ્રેન વ્યવહાર હજી પણ પુર્વવત થયો નથી. 6 જુલાઇને સુરતથી છપરા માટે સવારે રવાના થવારી તાપ્તી ગંગા એક્સપ્રેસ રદ્દ કરવાની રેલવે તંત્રએ જાહેરાત કરતા 2 મહીના પહેલા ટીકીટ બુક કરનાર પ્રવાસીઓ અટવાઇ ગયા હતા. પ્રવાસીઓને રીફન્ડ મેળવી લેવા રેલવે તંત્રએ અનુરોધ કર્યો છે.