ઉધનાના દક્ષેશ્વરનગરના કારખાનેદારનુ શંકાસ્પદ મોત
સુરત |ઉધના દક્ષેશ્વરનગરમાં રહેતા પ્રણવકુમાર રાઘવરાય (32)ની વહેલી સવારે તેના દક્ષેશ્વરનગર સામેના લુમ્સ કારખાના પાસેથી લાશ મળી આવી હતી. તેને સવારે ચાલવા નીકળતા રાહદારીઓએ જોતા જાણ મૃતકની પત્નીને થઈ હતી. અને મામલો ઉધના પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમીક તપાસમાં પોલીસને હત્યા થઈ હોવાનુ જણાયું હતું.