સુરત | 2ઓકટોબર ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મહાનગરપાલિકા ગાંધીજીના જીવન ચરિત્ર
સુરત | 2ઓકટોબર ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મહાનગરપાલિકા ગાંધીજીના જીવન ચરિત્ર પર પ્રદર્શનનુ આયોજન કરવામાં આવતુ હોય છે. કાર્યક્રમ આગામી 3 ઓકટોબરથી 14 ઓકટોબર દરમિયાન સીટીલાઇટ રોડ પર આવેલા સાયન્સ સેન્ટર ખાતે કરવામાં આવનાર છે. તેમાં 3થી 6 ઓકટોબર દરમિયાન પ્રદર્શન સવારે 9:30થી સાંજે 4:30 સુધી લોકો નિહાળી શકશે. જ્યારે 7, 8 અને 14 ઓકટોબરના રોજ સવારે 11:30થી સાંજના 6:30 સુધી પ્રદર્શન નિહાળી શકશે. 9 ઓકટોબરના રોજ પ્રદર્શન લાભ લોકો લોકો લઇ શકશે નહીં.
ગાંધી જયંતિ | ગાંધીજીના જીવન ચરિત્ર અંગે સાયન્સ સેન્ટરમાં પ્રદર્શન