Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
15 મેથી ઇન્ડિગો સુરતથી ભોપાલ ફ્લાઇટ શરૂ કરશે
હવે સુરત-ભોપાલની મુસાફરી એક કલાકમાં પૂર્ણ થનારી છે. કારણ કે, બજેટ એરલાઇન્સ ઈન્ડિગો 15 મેથી ભોપાલ-સુરત-ભોપાલની નોન-સ્ટોપ ફલાઇટ શરૂ કરી રહી છે. ઈન્ડિગો એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું કે ફલાઇટ ભોપાલ એરપોર્ટથી સવારના 07:55 કલાકે ટેકઓફ થઈ સુરત એરપોર્ટ પર 09:05 કલાકે લેન્ડ થશે. જયાં 55 મિનિટ રોકાઇને 09:50 કલાકે ટેકઓફ થશે અને ભોપાલ એરપોર્ટ પર 10:55 કલાકે લેન્ડ થશે. તે સાથે ભાડું 2,999 રખાયું છે. સુરતથી ચાર ટ્રેનો બાન્દ્રા-જબલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ, બાન્દ્રા-ગોરખપુર એક્સપ્રેસ, વલસાડ-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ઉદ્યોગ કર્મી એક્સપ્રેસ ભોપાલ જઈ રહી છે. જે ટ્રેનો બારથી પંદર કલાકનો સમય લઈ લેતી હોય છે. આ સાથે તેમનું સેકન્ડ એસીનું ભાડું 1,400થી 1,900 રૂપિયા છે. ઉપરાંત સ્પાઇસ જેટની સુરત-ભોપાલની ફ્લાઇટ છે. પણ તે વાયા ઉદયપુર થઈ જઈ રહી છે.જે સુરતથી ભોપાલ ત્રણ કલાકનો સમય લેતી હોય છે. આ સાથે તેનું ભાડું 2,800 છે.
સુરતથી ભોપાલ એક કલાકમાં પહાેંચી શકાશે