નવસારી: નવસારી જિલ્લાના ઉંગત-શાહુ ગામે રાજપૂત ફળિયામાં રહેતા પરિવારમાં નજીવી બાબતે નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી દેવાની ઘટના બની છે. માત્ર આંબાની ડાળીયો કાપવાની ચર્ચામાં નાનાભાઈએ (દિલિપસિંહ પઢિયાર) મોટાભાઈને (ભરતસિંહ પઢિયાર) ધારિયાના ઘા મારીને હત્યા કરી હતી. આ સમગ્ર ઘટનાએ ભાઈ-ભાઈના સંબધને કલંકિત કર્યો છે.
કેવી રીતે બની ઘટના?
મોટાભાઈ ભરતસિંહ પઢિયાર ખેતરમાં કામ કરતા હતા તે દરમિયાન માર્ગમાં આંબાની ડાળીઓ આવતા કાપી નાખી હતી. આથી નાનાભાઈએ ઉશ્કેરાઇને મોટાભાઈ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને પ્રાણ લઈ લીધા હતા. પરિવારને આ ઘટનાની જાણ થતા સોપો પડી ગયો હતો. હત્યાની જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
તસવીર- રાજેશ રાણા
આગળ વાંચો: આરોપી નાનોભાઈ ફરાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.