Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગ્રીન એન્વાયરોના બોર્ડમાંથી ચેરમેને રાજીનામુ આપી દીધુ
વાપી ગ્રીન એન્વાયરોમાંથી સરકારી ડિરેકટરો રાજીનામા આપી દેશે તેની ચર્ચા વચ્ચે ચેરમેન એમ. થેન્નારસને રાજીનામુ ધરી દીધુ છે. ચેરમેનના રાજીનામા બાદ અન્ય સરકારી ડિરેકટરો પણ રાજીનામા આપશે તેવી માહિતી મળી રહી છે. ચેરમેનના રાજીનામુ સ્વીકારવા અંગેનો નિર્ણય બોર્ડ બેઠકમાં લેવામાં આવશે એવું સુત્રોએ જણાવ્યુ હતું. જો કે નવુ બોર્ડ કેવી રીતે બનશે તેની અત્યારથી ચર્ચા ચાલી રહી છે. એનજીટીની ફટકારના કારણે હવે સરકારી ડિરેકટરો સીઇટીપીમાંથી નિકળી જવાનું પસંદ કરી રહ્યાં છે. ગ્રીન એન્વાયરોના ચેરમેન અને જીઆઇડીસીના વીસીએમડી એમ. થેન્નારસને ગ્રીન એન્વાયરોના ચેરમેનપદેથી રાજીનામુ ધરી દીધુ છે. રાજીનામામાં તેમણે સરકારના નિર્દેશન મુજબ રાજીનામુ આપ્યુ હોવાનો ઉલ્લેખ કર્યો છે. ચેરમેનના રાજીનામા બાદ હવે અન્ય સરકારી ડિરેકટરો પણ રાજીનામુ આપી દેશે એવુ મનાઇ છે. જેના કારણે ગ્રીન એન્વાયરોનું બોર્ડ કેવુ બનશે તેની ચર્ચા ચાલુ થઇ ગઇ છે. કારણ કે હવે ગ્રીન એન્વાયરોના ચેરમેન કોણ બનશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. વીઆઇએના બે જુથોના કારણે આગામી દિવસોમાં કયા નવા સમીકરણો રચાઇ છે તે જોવુ રહ્યુ છે. નવા બોર્ડ માટે વીઆઈએની એડવાયજરી બોર્ડ નિર્ણય કરશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.