ભરૂચ રૂપનગર ખાતે 66માં
વનમહોત્સવની ઉજવણી થશે
ભરૂચ | ભરૂચજિલ્લા કક્ષાનો 66મો વન મહોત્સવ આગામી 30મી જુલાઇના રોજ વાલિયાના રૂપનગર ખાતે આવેલી નવોદય વિદ્યાલયમાં યોજવામાં આવશે. વિધાન સભાના ઉપાધ્યક્ષ આત્મારામ પરમારના અધ્યક્ષ સ્થાને 30મી જુલાઇના રોજ સવારે 10.30 કલાકે યોજાનાર વનમહોત્સવમાં જીલ્લા પંચાયત પ્રમુખ મનહર ગોહિલ, સાંસદ અહેમદ પટેલ, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રાણા, છોટુભાઇ વસાવા, વિશેષ ઉપસ્થિત રહેશે.