તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હીઃ સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવા માટે આધાર કાર્ડ જરૂરી કરવાની ડેડલાઇનને સરકાર હવે વધારીને 31 માર્ચ કરશે. સુપ્રીમ કોર્ટમાં આધાર કાર્ડની અનિવાર્યતાને લઇને સુનાવણી દરમ્યાન સરકારે આ વાત કરી છે. કેન્દ્ર સરકાર શુક્રવારે નોટિફિકેશન બહાર પાડી આધારની અનિવાર્યતાની ડેડલાઇન વધારશે. અત્યાર સુધી મોટાભાગની સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડને લિંક કરાવવાની તારીખ 31, ડિસેમ્બર 2017 હતી.
5 જજોની બેન્ચ આવતા સપ્તાહે કરશે સુનાવણી
- આધારને સરકારી સર્વિસિઝથી લિંક કરાવવાની સામે દાખલ કરવામાં આવેલી પિટીશન્સ પર આગામી સપ્તાહે સુનાવણી થશે
- આ પિટીશન્સમાં સરકારના નિર્ણય પર અંતરિમ રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.
- સુપ્રીમ કોર્ટ આના માટે 5 જજોની કોન્સ્ટીટ્યૂશન બેન્ચ બનાવશે
SCએ ક્યારે શું કહ્યું ?
- 7 જુલાઇએ બેન્ચે કહ્યું હતું કે આધાર સાથે જોડાયેલા બધા કેસની અંતિમ સુનાવણી એક મોટી બેન્ચે કરવી જોઇએ.
- 12 જુલાઇએ સુપ્રીમ કોર્ટે કહ્યું કે 5 જજોની બેન્ચ આધાર અને પ્રાઇવસી સાથે જોડાયેલા કેસની સુનાવણી કરશે
- 18 જુલાઇએ 5 જજોની બેન્ચે કહ્યું કે 9 જજોની બેન્ચ રાઇટ ટૂ પ્રાઇવસી પર નિર્ણય કરશે.
- 24 ઓગસ્ટે 9 જજોની બેન્ચે રાઇટ ટૂ પ્રાઇવસીને ફન્ડામેન્ટલ રાઇટના વ્યાપમાં ગણ્યું હતું. સાથે જ કહ્યું હતું કે આની સુરક્ષા 'જીવનનો અધિકાર' (આર્ટિકલ 21)ની જેમ કરવો જોઇએ
આગળ વાંચો બંધારણીય બેન્ચની થશે રચના....
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.