તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોતાનાથી વધુ બુદ્ધિશાળી લોકોની મનમાં જ પ્રશંસા કરો
તમે બુદ્ધિશાળી લોકો વચ્ચે બેસો તો હંમેશાં એ વાતનો અભ્યાસ કરતા રહો કે એવી કઈ બાબત છે, જે તમારા કરતાં આ લોકોને બુદ્ધિશાળી બનાવી રાખે છે. તેમની સરખામણી કરો, પોતાનાથી વધુ બુદ્ધિશાળી લોકોની મનમાં જ પ્રશંસા કરો. કહેવાય છે કે પ્રશંસા કરવાથી સામેવાળાના ગુણ પોતાની અંદર આવવા લાગે છે. બુદ્ધિનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરનાર બુદ્ધિશાળી હોય છે. તમે જો મન બુદ્ધિનો ઉપયોગ કરો તો મોટાભાગે તમે તેનો દુરુપયોગ કરશો, કારણ કે મન ખોટાં કામ કરવાનું પસંદ કરે છે.
બુદ્ધિને મનથી સ્વતંત્ર રાખો. અથવા એટલી મજબૂત કરી દો કે તે મન પર નિયંત્રણ રાખે. ઉપરાંત મન બુદ્ધિ સાથે રમત ન રમી શકે તે માટે તેને જ નબળું બનાવી દેવું જોઈએ. મનને નબળું બનાવવું હોય તો સૌથી પહેલાં તેની રસની બાબતો તેની પાસેથી છીનવી લો. વાસનાઓમાં મનને રસ હોય છે. તેને બહાર ફેંકી દો. અહીંથી જ બુદ્ધિના સદુપયોગનો સમય મળી જશે. આપણે પણ બુદ્ધિશાળી છીએ તે ભાવ તેનું જ પરિણામ હશે.
પં. વિજયશંકર મહેતા
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.