• Gujarati News
  • National
  • Will Inaugurate Terminal 2 Of Kempegowda International Airport In Bengaluru; Will Visit Andhra And Telangana On November 12

વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે:ચેન્નઈ-મૈસુર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી; બેંગલુરુમાં કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2નું ઉદ્ઘાટન કર્યું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12મી નવેમ્બરે આંધ્ર અને તેલંગાણાની મુલાકાત લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ ભારતની બે દિવસીય મુલાકાતે છે. પીએમ મોદી શુક્રવારે બેંગલુરુ પહોંચ્યા હતા. તેમણે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2નું ઉદ્ઘાટન કર્યું. આ પહેલા મોદીએ બેંગલુરુ રેલવે સ્ટેશન પર મૈસુર-ચેન્નઈ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.આ દેશની 5મી અને દક્ષિણ ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેન છે. આ ઉપરાંત મોદીએ ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી.

ત્યારબાદ પીએમ મોદીએ શ્રી કનક દાસ અને મહર્ષિ વાલ્મીકિની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન બેંગલુરુમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કર્યું હતુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટર્મિનલ લગભગ 5,000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.

મોદીએ મૈસુર-ચેન્નઈ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
મોદીએ મૈસુર-ચેન્નઈ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
પીએમ મોદીએ બેંગલુરુના KSR રેલ્વે સ્ટેશન પર ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને લીલી ઝંડી બતાવી.
પીએમ મોદીએ બેંગલુરુના KSR રેલ્વે સ્ટેશન પર ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને લીલી ઝંડી બતાવી.
દક્ષિણ ભારતની આ પ્રથમ વંદ ભારત ટ્રેન છે. આ ટ્રેન 11 નવેમ્બર 2022ના રોજ સવારે 10:25 વાગ્યે બેંગ્લોરથી ઉપડશે અને તે જ દિવસે સાંજે 05:20 વાગ્યે એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ પહોંચશે.
દક્ષિણ ભારતની આ પ્રથમ વંદ ભારત ટ્રેન છે. આ ટ્રેન 11 નવેમ્બર 2022ના રોજ સવારે 10:25 વાગ્યે બેંગ્લોરથી ઉપડશે અને તે જ દિવસે સાંજે 05:20 વાગ્યે એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ પહોંચશે.
પીએમ મોદીએ શ્રી કનક દાસને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સાહિત્ય, કલા અને સમાજ સેવામાં તેમનું વિપુલ યોગદાન પ્રેરણાદાયી છે.
પીએમ મોદીએ શ્રી કનક દાસને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સાહિત્ય, કલા અને સમાજ સેવામાં તેમનું વિપુલ યોગદાન પ્રેરણાદાયી છે.
પીએમ મોદીએ શ્રી કનક દાસ અને મહર્ષિ વાલ્મીકિની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પીએમ મોદીએ શ્રી કનક દાસ અને મહર્ષિ વાલ્મીકિની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
બેંગલુરુ એરપોર્ટ પર રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, સીએમ બસવરાજ બોમાઈએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતુ.
બેંગલુરુ એરપોર્ટ પર રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, સીએમ બસવરાજ બોમાઈએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતુ.

મુલાકાત પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને પોતાની મુલાકાતની માહિતી આપી હતી. તેમણે લખ્યું- હું 11 નવેમ્બરે બેંગ્લોરમાં આવવા માટે આતુર છું. મને શ્રી નાદપ્રભુ કેમ્પેગૌડાની પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી તેને હું મારુ સન્માન માનું છું.

પીએમના કાર્યક્રમની માહિતી
PM મોદી 11 નવેમ્બરના રોજ સવારે 9:45 વાગ્યે બેંગલુરુના વિધાન સૌધા ખાતે સંત કવિ શ્રી કનક દાસ અને મહર્ષિ વાલ્મિકીની પ્રતિમાઓ પર પુષ્પાંજલિ અર્પણ કરી આ પછી વડાપ્રધાને બેંગલુરુના KSR રેલ્વે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

આ ફોટો કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નો છે.
આ ફોટો કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નો છે.

બેંગલુરુમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન સવારે 11:30 વાગ્યે બેંગલુરુમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કર્યું હતુ. આ પછી, વડાપ્રધાને નાદપ્રભુ કેમ્પેગૌડાની 108 ફૂટની કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યુ્ હતુ.

ટર્મિનલ 2ના ઉદ્ઘાટન સાથે, કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વાર્ષિક ધોરણે વધીને લગભગ 5-6 કરોડ થવાની ધારણા છે. અત્યારે તે 2.5 કરોડ વાર્ષિક છે.
ટર્મિનલ 2ના ઉદ્ઘાટન સાથે, કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વાર્ષિક ધોરણે વધીને લગભગ 5-6 કરોડ થવાની ધારણા છે. અત્યારે તે 2.5 કરોડ વાર્ષિક છે.

કર્ણાટક બાદ મોદી તામિલનાડું જશે
બપોરે લગભઘ સાડા ત્રણ વાગે વડાપ્રધાન તામિલનાડુંના ડિંડીગુલમાં ગાંધીધામ ગ્રામીણ સંસ્થાના 36માં દીક્ષાત સમારોહમાં સામેલ થશે. પીએમ મોદી 12 નવેમ્બરે આંધ્રપ્રદેશ અને તેલંગાણા પણ જશે. આ દરમિયાન તેઓ અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...