આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગુરુવારે કહ્યું કે તેમની સરકાર ઇચ્છે છે કે પ્રવાસી મુસ્લિમનાં બાળકો મદરેસા ભણીને જુનાબ, ઇમામ બનવાને બદલે ડોક્ટર અને એન્જિનિયર બને. જો અસમિયા હિંદુ પરિવારના ડોક્ટર છે તો મુસ્લિમ પરિવારના પણ ડોક્ટર હોવા જોઇએ. કેટલાક વિધાયકો આવી સલાહ નથી આપતા કારણ કે તેમને 'પોમુવા' મુસલમાનોના વોટ જોઇએ. સરમા મોરીગાંવમાં એક જનસભામાં બોલી રહ્યા હતા.
તેમણે કહ્યું, 'અમારી નીતિ સાફ છે, અમે સૌનો વિકાસ ઇચ્છીએ છીએ. અને અવું નથી ઇચ્છતા કે મુસ્લિમોનાં બાળકો ખાસ કરીને 'પોમુવા' મુસ્લિમ મદરેસામાં ભણવા જાય અને ત્યાંથી 'જુનાબ' અને 'ઇમામ' બનીને નીકળે. પૂર્વી બંગાળ એટલે કે બાંગ્લાદેશમાંથી આવેલી બંગાળી ભાષા મુસલમાનોને આસામમાં 'પોમુવા મુસ્લિમ' કહેવામાં આવે છે.
BJP નથી ઇચ્છતી મુસ્લિમ યુવક વધુ લગ્ન કરે
બિસ્વાએ લોકસભા સાંસદ બદરુદ્દીન અજમલના આપેલા તે નિવેદન પણ આલોચના કરી, જેમાં તેમણે હિંદુઓને નાની ઉંમરમાં લગ્ન કરી બાળકો પેદા કરવાની સલાહ આપી હતી. બિસ્વાએ કહ્યું, 'ભારતમાં રહેનારા પુરુષને ત્રણ-ચાર મહિલાઓ સાથે લગ્ન કરવાનો અધિકાર નથી જ્યાં સુધી પહેલી પત્નીને તલાક નથી આપતો. જો મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરવા માટે કહેવામાં આવે તો છોકરાઓ એવું કેમ નથી કરતા?
મુસ્લિમ છોકરીઓ સ્કૂલમાં નથી ભણી શકતી, પરંતુ મુસ્લિમ પુરુષ 2-3 મહિલાઓ સાથે શાદી કરી શકે છે. અમે આની વિરુદ્ધ છીએ. અમે આ વ્યવસ્થાને બદલવા માંગીએ છીએ. અમારે મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવા માટે કામ કરવું પડશે.'
તો પછી અજમલ જ ઉઠાવશે બાળકોનો ખર્ચ
મહિલાઓ પર અજમલના વિવાદિત નિવેદન પર મુખ્યમંત્રીએ કહ્યું- આસામમાં અમારી પાસે બદરુદ્દીન અજમલ જેવા કેટલાક નેતા છે. તેઓ કહે છે કે મહિલાઓએ જલદીમાં જલદી બાળકોને જન્મ આપવો જોઇએ કારણ કે તે એક ઉપજાઉ ખેતરની જેમ છે.
મહિલાના પ્રસવની તુલના કોઇ ખેતર સાથે ન કરી શકાય. મેં વારંવાર કહ્યું છે કે મહિલાઓ 20-25 બાળકોને જન્મ આપી શકે છે, પરંતુ તેના ખોરાક, કપડાં, અભ્યાસ અને અન્ય ખર્ચ અજમલે ભોગવવો પડશે. પછી અમને કોઇ સમસ્યા નથી.
પરફ્યૂમ કારોબારીથી લોકસભા સાંસદ બનવા છતાં પણ બાળકોનો ખર્ચ નથી આપી શકતા તો કોઇને બાળકોના જન્મ પર વ્યાખ્યાન આપવાનો અધિકાર નથી. અમે કેવળ એટલાં જ બાળકો પેદા કરીશું, જેમને અમે ભરપેટ ખાવાનું ખવડાવી શકીએ અને તેમને બહેતર ઇન્સાન બનાવી શકીએ.
હવે વાંચો બદરુદ્દીન અજમલે શું કહ્યું હતું
ધુબરી સાંસદ અજમલે 2 ડિસેમ્બરે એક ઇન્ટરવ્યૂમાં 'લવ જેહાદ' પર મુખ્યમંત્રીની ટિપ્પણીની પ્રતિક્રિયા આપી હતી. અજમલે કહ્યું હતું, '40 વર્ષની ઉંમર પછી તે માતા-પિતાના દબાણમાં લગ્ન કરે છે. એટલા માટે કોઇ કેવી રીતે આશા કરે કે તે 40 પછી બાળકો પેદા કરશે? જે તમે ઉપજાઉ જમીનમાં બી રોપો છો તો જ તમે સારી ફસલ પેદા કરી શકો છો. ત્યારે જ વિકાસ થશે.
તેઓ (હિંદુ) પણ મુસલમાનોની ફોર્મ્યુલા પર ચાલીને પોતાના બાળકોનાં લગ્ન 20-22 વર્ષની ઉંમરમાં કરે. છોકરીઓ લગ્ન 18-20 વર્ષની ઉંમરે કરે અને પછી જુઓ કે કેટલાં બાળકો પેદા થાય છે...'
જોકે વિવાદ વધતો જોઇને સાંસદે બીજા દિવસે માફી માગી. તેઓ બોલ્યા કે તેમની વાતને તોડી-મરોડીને બતાવવામાં આવી છે. તેમણે કોઇ સમુદાયને ટાર્ગેટ નથી બનાવ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.