શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે RSS-BJPને હિંદુત્વના મુદ્દે ઘેર્યા છે. તેમણે કહ્યું કે, RSS પ્રમુખ મોહન ભાગવત મસ્જિદ ગયા હતા, તો શું તેમણે હિંદુત્વ છોડી દીધું? જ્યારે ભાજપે PDP સાથે ગઠબંધન કર્યું, ત્યારે શું હિંદુત્વને છોડી દીધું હતું? તે જે કંઈ પણ કરે તે સાચું અને અમે કરીએ તો જાણે હિંદુત્વ છોડી દીધું હોય. આ ખોટું છે.
સોમવારે બાલા ઠાકરેની જયંતિ પર મીડિયા સાથે વાતચીત દરમિયાન ઉદ્ધવે મહારાષ્ટ્રની હાલની સિંદે સરકારને પણ આડે હાથ લીધી છે. તેમણે કહ્યું-હજુ સુધી મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત થઈ નથી. હું દેશદ્રોહી(શિંદે જૂથ)ને ચૂંટણી કરવા પડકારું છું...જો તેમનામાં તાકાત હોય(શિવસેના શિંદે જૂથ અને બીજેપીમાં), તો ચૂંટણીની જાહેરાત કરે.
ઉદ્ધવની શિવસેનાએ વંચિત બહુજન અઘાડી સાથે ગઠબંધન કર્યું
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી શિવસેનાએ ડો.બીઆર આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન અઘાડી સાથે ગઠબંધન કર્યું છે.
ઉદ્ધવે આ પ્રસંગે એમ પણ કહ્યું-
ગઠબંધન મહારાષ્ટ્રની રાજનીતિમાં એક નવું પરિવર્તન લાવશે-પ્રકાશ આંબેડકર
વંચિત બહુજન અઘાડી(વીબીએ)ના પ્રમુખ પ્રકાશ આંબેડકરે કહ્યું કે બાલાસાહેબ ઠાકરેની જયંતિ પર શિવસેના(યુબીટી) અને વીબીએનું ગઠબંધન મહારાષ્ટ્રની રાજનીતિમાં એક નવું પરિવર્તન લાવશે. આ પગલાથી રાજકીય સમીકરણો બદલાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.