કેજરીવાલે કહ્યું- PM શિક્ષિત હોત તો નોટબંધી ન કરી હોત:'તેમને ઊંઘ નથી આવતી, તેથી તેઓ ગુસ્સે રહે છે; તેમણે 60 હજાર સરકારી શાળા બંધ કરી'

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યું હતું કે જો દેશના વડાપ્રધાન શિક્ષિત હોત તો નોટબંધી ન થઈ હોત. તેઓ ઊંઘી શકતા નથી, તેથી ગુસ્સામાં રહે છે. કેજરીવાલ દિલ્હીના જંતર-મંતર પર સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ મેળાવડો પીએમ વિરુદ્ધ પોસ્ટર લગાવવા પર કરવામાં આવેલી કાર્યવાહીના વિરોધમાં હતો.

જો PM શિક્ષિત હોત તો સિસોદિયાને જેલમાં ન મોકલત: કેજરીવાલ
કેજરીવાલે લોકોને પૂછ્યું - શું ઓછા ભણેલા પીએમ દેશનું નિર્માણ કરી શકશે? જો તેઓ ભણેલા હોય તો મને કહેત કે મને મનીષ સિસોદિયા આપો, પરંતુ તેમણે સિસોદિયાને જેલમાં ધકેલી દીધા છે.

પીએમ મોદીએ દાવો કર્યો હતો કે નોટબંધીથી ભ્રષ્ટાચાર અને આતંકવાદ ખતમ થઈ જશે, પરંતુ એવું થયું નહીં. એને કારણે દેશની અર્થવ્યવસ્થા 10 વર્ષ પાછળ ચાલી ગઈ. જો PM આજે શિક્ષિત હોત તો GST યોગ્ય રીતે લાગુ થાત. લોકોને એ પણ ખબર નથી કે GST શું છે. PMએ 60 હજાર સરકારી શાળા બંધ કરી. જો તેઓ શિક્ષિત હોત તો તેમને શિક્ષણનું મૂલ્ય સમજાયું હોત.

સભાના મંચ પર 'મોદી હટાઓ-દેશ બચાવો'નું પોસ્ટર લગાડવામાં આવ્યું હતું.
સભાના મંચ પર 'મોદી હટાઓ-દેશ બચાવો'નું પોસ્ટર લગાડવામાં આવ્યું હતું.

અદાણી પર નિશાન સાધ્યું
કેજરીવાલે કહ્યું હતું કે મનીષ સિસોદિયાના ઘરે દરોડામાં એક પૈસો મળ્યો નથી, પરંતુ તેઓ હજુ પણ જેલમાં છે. સત્યેન્દ્ર જૈનના ઘરે દરોડામાં એકપણ પૈસો મળ્યો નથી, પરંતુ તેઓ પણ હજુ જેલમાં છે. અદાણી પર આટલા આક્ષેપો થયા, પરંતુ સરકારે તપાસ હાથ ધરી ન હતી. સુપ્રીમ કોર્ટે પોતે આ મામલામાં તપાસ સમિતિની રચના કરી હતી, પરંતુ વડાપ્રધાને તેમની પાસે ED અને CBI મોકલી ન હતી.

PM ફાઇલો વાંચ્યા વિના સહી કરે છે: ભગવંત માન
પંજાબના સીએમ ભગવંત માને કહ્યું- એક અધિકારી પીએમ પાસે એક ફાઈલ લાવે છે, જેમાં તેમને અડધી રાતે લોકસભા બોલાવવા અને નોટબંધી લાગુ કરવા કહ્યું હતું. PM ફાઇલ વાંચ્યા વિના સહી કરે છે. દેશ વેચનાર જ દેશની ચાદર પકડીને ઊભા છે અને ચોર લોકોમાં શોધે છે. તેમની પાસેથી દેશનું કવર છીનવી લો, પછી જુઓ કેવો ન્યાય થાય છે, તેઓ એક-એક પૈસાનો હિસાબ આપશે. માને કહ્યું કે એક એવો માણસ છે, જે બાળપણમાં રેલવેના કોચમાં ચા વેચતો હતો, જ્યારે તે મોટો થયો ત્યારે તેણે રેલવેના કોચ વેચ્યા.

બ્રિટિશ શાસન દરમિયાન પણ આટલી FIR થઈ ન હતી: ગોપાલ રાય
દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું - બ્રિટિશ શાસન દરમિયાન પણ પોસ્ટર લગાવવા બદલ 136 FIR નોંધવામાં આવી ન હતી. ગઈકાલે પોસ્ટર લગાવવા માટે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આજે હજારો લોકો જંતર-મંતર પર મોદી હટાઓ, દેશ બચાવોનાં પોસ્ટર લઈને ઊભા છે. અહીં આવો અને FIR દાખલ કરો. આગામી 30મીએ દેશભરમાં 'મોદી હટાઓ, દેશ બચાવો'નાં પોસ્ટર લગાવવામાં આવશે.

દિલ્હીમાં ઘણી જગ્યાએ મોદી હટાઓ, દેશ બચાવોનાં પોસ્ટર્સ જોવા મળ્યાં હતાં.
દિલ્હીમાં ઘણી જગ્યાએ મોદી હટાઓ, દેશ બચાવોનાં પોસ્ટર્સ જોવા મળ્યાં હતાં.