તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તમિલનાડુના વિરુદ્ધનગરની એક ફટાકડાની ફેક્ટરીમાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા છે. જ્યારે 36 લોકોને ઈજા થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ કેમિકલ મિક્સ કરવા દરમિયાન આગ લાગી. ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં કેટલાંક લોકોને સીરીયસ બર્ન ઈન્જરી થઈ છે.
કેન્દ્ર-રાજ્ય સરકારે આર્થિક સહાયની જાહેરાત કરી
આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારને પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડથી 2-2 લાખ અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50-50 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો, તમિલનાડુ સરકારે પણ મૃતકોના પરિવારોને 3-3 લાખ અને ગંભીર રીતે ઘાયલોને 1-1 લાખ રૂપિયાની મદદની વાત કરી છે.
મદુરાઈમાં 4 મહિના પહેલાં 5 લોકોના મોત થયા હતા
આ પહેલા ગત ઓક્ટોબરમાં મદુરાઈની એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. તેમાં ત્રણ મહિલા સહિત પાંચ લોકોના મોત થયા હતા. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું હતું કે કેમિકલ મિક્સ કરતી વખતે ઘર્ષણના કારણે આગ લાગી હતી, જેના કારણે સિલસિલાબંધ બ્લાસ્ટ થયા હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.