દિલ્હીના રાઉજ એવેન્યૂ કોર્ટે ઉન્નાવ રેપ પીડિતા સાથે સંકળાયેલી વર્ષ 2019ની ઘટનાને લગતા કેસમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને છોડી મુક્યા છે. વર્ષ 2017માં સગીરા સાથે દુષ્કર્મને લગતા એક કેસમાં સેંગરને વર્ષ 2019માં આજીવન કેદની સજા થઈ હતી.
ઉન્નાવના બહુચર્ચિત માખી દુષ્કર્મ કાંડ બાદ પીડિત સાથે રાયબરેલીમાં માર્ગ દુર્ઘટના કેસમાં કુલદીપ સેંગર નિર્દોષ સાબિત થઈ ગયા છે. વર્ષ 2019માં દુષ્કર્મ પીડિતા અને તેના પરિવારના સભ્યો તથા વકીલ એક કારમાં હતા ત્યારે રાયબરેલીથી પૂરપાટ આવી રહેલી એક ટ્રકે ટક્કર મારી હતી, જેમાં બે સંબંધીના મોત થયા હતા અને વકીલ સાથે તે પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
ત્યારબાદ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને અન્ય નવ વ્યક્તિ સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પીડિતાના પરિવારે દુર્ઘટના પાછળ ષડયંત્રનો આરોપ લગાવી ફરિયાદ કરી હતી. સેંગરને સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.