બિલકિસ બાનો ગેંગરેપ કેસના 11 દોષીઓને આપવામાં આવેલી છૂટની વિરુદ્ધ નવી અરજી દાખલ કરવામાં આવી. જેની સુનાવણી ફેબ્રુઆરી સુધી ટળી ગઇ છે. મામલો સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલા ત્રિવેદીની બેન્ચમાં પહોંચ્યો હતો. જ્યાં જસ્ટિસ બેલા ત્રિવેદીએ એક વાર ફરીથી પોતાને આ મામલાથી અલગ કરી દીધા હતા.
જસ્ટિસ બેલા ત્રિવેદીએ ગયા મહિને પણ બાનોની પુનર્વિચાર અરજીની સુનાવણીથી પોતાને અલગ કરી દીધા હતા.
બેન્ચે એ પણ કહ્યું- સામાજીક કાર્યકર્તાઓની તરફ દાખલ અરજીઓને પણ પીડિત બિલકિસની અરજીની સાથે સાંભળવામાં આવશે.
વાંચો બેન્ચે શું-શું કહ્યું
અરજીમાં દાવો- કેન્દ્રની અનુમતિ વગર છોડ્યા કેમ
અરજીઓ માકપાની પૂર્વ નેતા સુહાષિની અલીએ, જ્યારે બીજી અરજી TMC સાંસદ મહુઆ મોઇત્રાએ દાખલ કરી છે. એમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે મામલાની તપાસ કેન્દ્રીય તપાસ બ્યૂરો દ્વારા કરવામાં આવી હતી, તો ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારની અનુમતિ વગર છૂટ આપવાની સ્થિતિમાં નહોતી. છતાં પણ તેના દોષીને કેવી રીતે છોડી દેવામાં આવ્યા.
15 ઓગસ્ટ 2022ના ગુજરાત સરકારે 2002માં બિલકિસની સાથે ગેંગરેપ અને તેના પરિવારના સદસ્યોની હત્યાના 11 દોષીઓને સમય પહેલાં છોડી મૂકવામાં આવ્યા હતા. ગયા મહિને બિલકિસની સમીક્ષા અરજીને અદાલતે 13 ડિસેમ્બર 2022ને રદ કરી દીધી હતી.
બિલકિસે દાખલ કરી હતી બે અરજીઓ
બિલકિસ બાનોએ 30 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરી હતી. પહેલી અરજીમાં 11 દોષીઓને છોડી દેવાને પડકાર આપતા તેઓને તરત જેલ મોકલવાની માંગ કરી હતી. તો બીજી અરજીમાં કોર્ટમાં મેમાં આપેલ આદેશ પર ફરીથી વિચાર કરવાની માંગ કરી હતી, જેમાં કોર્ટે કહ્યું હતું કે દોષીઓને છોડવાનો ફેંસલો ગુજરાત સરકાર કરશે. આના પર બિલકિસે કહ્યું કે જ્યારે કેસની ટ્રાયલ મહારાષ્ટ્રમાં ચાલી હતી તો પઢી ગુજરાત સરકાર ફેંસલો કેવી રીતે લઇ શકે છે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.