તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના સંકટને કારણે માર્ચ મહિનાથી બંધ સ્કૂલો 15 જુલાઈથી શરૂ થઈ શકે છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય સ્કૂલોમાં અભ્યાસ માટે ગાઈડલાઈન્સ તૈયાર કરી રહ્યું છે જે ટૂંકમાં જ જાહેર કરવામાં આવી શકે છે. સૂત્રો મુજબ એક દિવસમાં 33 ટકા કે 50 ટકા બાળકોને જ સ્કૂલે આવવાની મંજૂરી મળશે. ઉપલબ્ધ સંસાધનોના આધારે રાજ્ય સરકાર અને સ્કૂલ મેનેજમેન્ટ નક્કી કરશે કે કેટલાં બાળકોને બોલાવવા છે.
33 ટકાની ફોર્મ્યૂલા લાગુ કરનારી સ્કૂલોમાં સપ્તાહમાં બે દિવસ જ સ્કૂલે જઈ શકશે
વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે હાથ ધોવાની સુવિધા, ટોઈલેટ, પીવાના પાણીના નળ વગેરેની સંખ્યા વધારવી પડી શકે છે. 50 ટકા વિદ્યાર્થીઓની ફોર્મ્યૂલા લાગુ કરનારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ સપ્તાહમાં ત્રણ અને 33 ટકાની ફોર્મ્યૂલા લાગુ કરનારી સ્કૂલોમાં સપ્તાહમાં બે દિવસ જ સ્કૂલે જઈ શકશે. બાકી દિવસોમાં ઓનલાઈન અભ્યાસ કરવાનું રહેશે. ચેપની સ્થિતિના આધારે જ જૂનના અંતિમ સપ્તાહમાં ગાઈડલાઈન્સનું રિવ્યૂ કરાશે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.