નાગપુરના શ્વાન પ્રેમીઓને સુપ્રીમ કોર્ટ તરફથી સારા સમાચાર મળ્યા છે. સુપ્રીમ કોર્ટે પબ્લિક પ્લેસ પર કૂતરાઓને ખવડાવવા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. બોમ્બે હાઈકોર્ટે સાર્વજનિક સ્થળોએ શ્વાનને ખવડાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને એવુ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સાથે જ હાઈકોર્ટે કરેલી ટીપ્પણીમાં કહેવામાં આવ્યું હતું કે જે લોકો રખડતા કૂતરાઓને ખવડાવે છે તેઓએ પહેલા તેમને દત્તક લેવા જોઈએ અને તેમને ઘરે લઈ જવા જોઈએ અને રસીકરણ પણ કરાવવું જોઈએ, આ ટીપ્પણીઓ પર પણ સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.