હરિયાણામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના બીજા ચરણનો આજે પહેલો દિવસ છે. આમાં રાહુલ ગાંધી 13 કિમી. પગપાળા ચાલ્યા. આ દરમિયાન તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરની ટીમને મળ્યા. તેમની સાથે એક કિમી. પગપાળા ચાલતા ચર્ચા કરી.
ત્યાર બાદ અચાનક રસ્તામાં તેઓ એક ફેક્ટરીમાં રોકાયા. આ રોકાણ લગભગ એક કલાકનો રહ્યો. આ ફેક્ટરી ભાજપા નેતાની છે. જ્યાં ફેક્ટરી માલિક વિપિનરાય સરદાનાએ રાહુલ ગાંધીને બતાવ્યું કે તેઓ જનસંઘના સમયથી ભાજપા સાથે જોડાયેલા છે. આજે પણ ભાજપાને ફોલો કરે છે.
પૂરી ખબર વાંચો
રાહુલ ગાંધીના યાત્રીને વાગ્યું
પાનીપતના સનોલી રોડ પર ખાડાને કારણે રાહુલ ગાંધીની સાથે ચાલી રહ્લા એક યાત્રીને પગમાં વાગ્યું. લોહી નીકળવાથી તરત સિવિલ હોસ્પિટલની ટીમને બોલાવવામાં આવી. ત્યાર બાદ એક ફેક્ટરીમાં રોકાઇને તેને ડોક્ટરોએ ફર્સ્ટ એડ આપ્યું. યાત્રા અત્યારે શહેરના સંજય ચોક પર પહોંચી ગઇ છે. મોર્નિંગ બ્રેક બાદ સીધા રાહુલ ગાંધી રેલી સ્થળ પર પહોંચશે. સેક્ટર-13-17ના ગ્રાઉન્ડમાં રાહુલ ગાંધી લોકોને સંબાધિત કરશે.
તેની પહેલાં રાહુલ ગાંધીની યાત્રા સવારે આશરે 8 વાગે કુરાડ ગામથી શરૂ થઇ. ત્યાર બાદ ઉગ્રાખેડી ગામ સુધી પહોંચ્યા.
યાત્રા આજે લગભગ અઢી કલાક મોડી શરૂ થઇ. યાત્રા સવારે 6 વાગે શરૂ થવાની હતી, પરંતુ રાહુલ ગાંધી સમય પર દિલ્હીથી આવી ન શક્યા. સાડા 8 વાગે રાહુલ ગાંધીએ પાનીપત જિલ્લામાં એન્ટ્રી લીધી.
યાત્રાનું અપડેટ...
ત્યાર બાદ રાહુલ ગાંધીની પગપાળા યાત્રા સનૈલી રોડ, બબૈલ નાકાથી થઇને સંજય ચોક સુધી પહોંચશે. અહીંથી ગાડીમાં આગળ રવાના થશે. પાનીપતમાં તેઓ 13 કિમી. પગપાળા જશે. ત્યાર બાદ આશરે 2 વાગે હુડ્ડા ગ્રાઉન્ડમાં જનસભા થશે.
કાલે સાંજે સોનિયા ગાંધીને મળવા દિલ્હી ગયા રાહુલ ગાંધી
યાત્રાએ મોડી સાંજે UP બોર્ડરથી હરિયાણાના પાનીપત જિલ્લામાં પ્રવેશ કર્યો. પાનીપતના સનૌલી ખુર્દ ગામનાં ખેતરોમાં બનેલાં ટેન્ટ હાઉસમાં યાત્રાએ રાતવાસો કર્યો. જોકે રાહુલ ગાંધી દિલ્હી પરત ફર્યા. માતા સોનિયા ગાંધીની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ સનૌલી ખુર્દમાં રાત્રે રોકાયા નહીં.
આ છે રાહુલ ગાંધીનો મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ
રાહુલ ગાંધીની પદયાત્રા નિંબરી, ઉગ્રાખેડી, માર્બલ માર્કેટ, બબૈલ નાકા, શિવ ચોક, ભીમ ગૌડા મંદિર ચોક અને પછી સંજય ચોક પહોંચશે. આ બધા એક જ રૂટ સનૌલી રેડ પર છે. આ દરમિયાન રસ્તામાં 6 જગાએ સ્વાગત દ્વાર બનાવવામાં આવ્યાં છે. જ્યાં તેમનું ચાલતાં-ચાલતાં સ્વાગત થશે. જણાવવામાં આવ્યું છે કે આ 13 કિમી.નો રસ્તો આશરે 5 કલાકમાં પૂરો કરવામાં આવશે. 11 વાગે યાત્રા સંજય ચોક પહોંચી.
સંજય ચોકથી અનાજ બજાર જશે કાફલો
સંજય ચોક પહોંચીને તેમને સ્પેશિયલ ગાડીઓમાં GT રોડ થઇ અનાજ બજાર લઇ જવામાં આવશે. જ્યાં તેમનો ટી બ્રેક હશે. અહીં ચા-નાસ્તો કરવા દરમિયાન 2 કલાકનું રોકાણ છે.
બપોરના દોઢથી બે વાગ્યા વચ્ચે તેમનો કાફલો ફરીથી ગાડીઓમાં રવાના થશે. અનાજ બજારથી બહાર GT રોડ પર આવ્યા બાદ કાફલો ફરીથી દિલ્હી તરફ લઇ જવામાં આવશે. ચૌટાલા રોડની સામેના ગામ સિવાહની પાસેથી કાફલો પાછો પાનીપતની તરફ વળી જશે.
એલિવેટેડ હાઇવેથી રેલી સ્થળ પહોંચ્યા રાહુલ
સિવાહની પાસેથી પાનીપત શહેરની વચ્ચોવચથી પસાર થતો એલિવેટેડ હાઇવે પર કાફલાને ઉપર ચડાવવામાં આવશે. કાફલો અહીંથી ટોલપ્લાઝા સુધી પહોંચશે. ટોલપ્લાઝાથી કાફલો પાછો પાનીપત તરફ વળી જશે. અહીંથી રાધા સ્વામી ભવનવાળા રસ્તેથી તેઓ સેક્ટર 13-17 સ્થિત રેલી સ્થળે જશે. જ્યાં તેઓ સંમેલન કરશે.
બાબર મંડીમાં રોકાશે રાત્રે
સેક્ટર 13-17માં રેલી પછી રાહુલ ગાડી દ્વારા બાબરપુર અનાજ મંડી પહોંચશે. અહીં રાત્રિરોકાણ છે. આ રોકાણ બાદ 7 જાન્યુઆરીની સવારે 6 વાગે કારથી કોહંડ બોર્ડર સુધી જશે. ત્યાંથી ભારત જોડો યાત્રા કરનાલ જિલ્લામાં પ્રવેશ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.