• Gujarati News
  • National
  • Rahul Gandhi Went To Inaugurate The District Congress Office, He Was Attacked 500 Meters Away; Rahul Left Just 2 Hours Before The Attack

રાહુલ ગાંધી પરથી ઘાત ટળી:શ્રીનગરમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ ભવનનું ઉદ્ઘાટન કર્યાના બે કલાકમાં જ આતંકી હુમલો, ભવનથી 500 મીટરના અંતરે જ ગ્રેનેડ ફેંકાયો

શ્રીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
CRPFએ ગ્રેનેડના ટુકડા અને કાટમાળને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે.
  • હુમલો શહેરના અમીરા કદલ વિસ્તારમાં થયો છે
  • રાહુલ ગાંધી હુમલાના 2 કલાક પહેલા જ કાર્યક્રમમાં સામેલ થયા હતા

શ્રીનગરમાં આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. આ હુમલો શહેરના ભીડવાળા અમીરા કદલ વિસ્તારમાં થયો છે. હુમલાની જગ્યાથી કોંગ્રેસ ઓફિસ માત્ર 500 મીટરના જ અંતરે આવેલી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હુમલો થયો તેના 2 કલાક પહેલા જ અહીં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. જોકે તે હુમલો થયો તે પહેલા જ બપોરે 12.30 કલાકે ઓફિસથી નીકળી ગયા હતા.

શ્રીનગરમાં ગ્રેનેડ એટેક પછી સાઈટ પર છુટાછવાયેલા કાચના ટુકડા અને પોલીસ ફોર્સ.
શ્રીનગરમાં ગ્રેનેડ એટેક પછી સાઈટ પર છુટાછવાયેલા કાચના ટુકડા અને પોલીસ ફોર્સ.

એક અધિકારીએ જણાવ્યું અમીરા કદલ બ્રિજની પાસે ગ્રેનેડ દ્વારા સુરક્ષાદળોને ટાર્ગેટ કરવાની કોશિશ કરવામાં આવી હતી. જોકે તે રસ્તાની ધાર પર ફાટ્યો હતો. આ હુમલામાં તારિક અહમદ નામનો નાગરિક ઘાયલ થયો છે. CRPFના DIG કિશોર પ્રસાદે કહ્યું બપોરે લગભગ 2.40 વાગ્યે આતંકીઓએ સુરક્ષાદળોના બંકરને ટાર્ગેટ કરીને ગ્રેનેડ ફેંક્યો હતો. હુમલામાં કોઈ પણ સુરક્ષા કર્મચારીને ઈજા પહોંચી નથી.

એટેક પછી સુરક્ષાદળોએ આંતકીઓની શોધમાં સમગ્ર વિસ્તારનું સર્ચ શરૂ કર્યું છે.
એટેક પછી સુરક્ષાદળોએ આંતકીઓની શોધમાં સમગ્ર વિસ્તારનું સર્ચ શરૂ કર્યું છે.

બે દિવસના જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે રાહુલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસના જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. તેમણે મંગળવારે શ્રીનગરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની સાથે જ અહીં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની માંગ કરી રહી છે.

રાહુલ ગાંધીએ મંગળવારે જ શ્રીનગરમાં કોંગ્રેસની નવી ઓફિસનું ઉદ્ધાટન કર્યું હતું.
રાહુલ ગાંધીએ મંગળવારે જ શ્રીનગરમાં કોંગ્રેસની નવી ઓફિસનું ઉદ્ધાટન કર્યું હતું.

રાહુલે કહ્યું- કોંગ્રેસ શાંતિ અને પ્રેમ ઈચ્છે છે રાહુલે સરકાર પર આરોપ લગાવ્યો કે વિપક્ષને સંસદમાં ફાર્મ બિલ, જાસૂસી અને બેરોજગરી જેવા અગત્યના મુદ્દા ઉઠાવવાથી રોકવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે BJPએ માત્ર જમ્મુ-કાશ્મીર જ નહિ પરંતુ સમગ્ર દેશમાં કહેર મચાવ્યો છે. રાહુલે કહ્યું કે કોંગ્રેસ અને બીજા પક્ષમાં એ તફાવત છે કે અમે હિંસમાં ભરોસો કરતા નથી. કોંગ્રેસ શાંતિ અને પ્રેમ ઈચ્છે છે.

આ પહેલા રાહુલે ગાંદરબલ જિલ્લાના તુલમુલ્લા ગામમાં સ્થિત ખીર ભવાની મંદિરમાં પુજા કરી હતી. 370 હટાવ્યા પછી રાહુલ પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર ગયા છે. મંગળવારે સાંજે તે દિલ્હી પરત ફરશે.

ગ્રેનેડ બ્લાસ્ટથી ઘણી ગાડીઓને નુકસાન પહોંચ્યું છે.
ગ્રેનેડ બ્લાસ્ટથી ઘણી ગાડીઓને નુકસાન પહોંચ્યું છે.
અન્ય સમાચારો પણ છે...