સુપ્રીમ કોર્ટે સોમવારે પેગાસસ જાસૂસી કેસની સુનાવણી કરી હતી. કેન્દ્ર સરકારે આ મામલે કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું અને કહ્યું હતું કે તે કથિત પેગાસસ જાસૂસીની તપાસ માટે નિષ્ણાતોની સમિતિની રચના કરશે. બીજી તરફ, કોર્ટે સરકારને ટ્રિબ્યુનલમાં નિમણૂક કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે.
પેગાસસ અંગે સરકાર સામે અરજદારો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને કેન્દ્રએ પાયાવિહોણા ગણાવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પત્રકારો, નેતાઓ અને સ્ટાફની સ્પાયવેરની મદદથી જાસૂસી કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી મંત્રાલયના એડિશનલ સેક્રેટરીએ બે પાનાંનું સોગંદનામું દાખલ કર્યું છે. એમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં ફેલાયેલી ગેરસમજોને દૂર કરવા માટે તપાસ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પિટિશનર્સને અનુશાસન રાખવાની સલાહ
આ પહેલાં 10 ઓક્ટોબરે પેગાસસ સાથે જોડાયેલી 9 અરજી પર કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. એ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનો જવાબ દાખલ કરવા માટે વધુ સમયની માગણી કરી હતી, જે પછી સુનાવણી 16 ઓગસ્ટ સુધી ટાળી દેવામાં આવી હતી, CJI NV રમનાએ આ બાબતે સોશિયલ મીડિયા અને વેબસાઇટ્સ પર ચાલી રહેલી ચર્ચાઓ બાબતે પિટિશનર્સને અનુશાસન રાખવાની સલાહ આપી હતી.
પિટિશનર્સની શું માગણી છે?
પિટિશનર્સની માગણી છે કે પેગાસસ મુદ્દે તપાસ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ અથવા વર્તમાન જજની અધ્યક્ષતામાં ગઠિત SIT દ્વારા કાર્યવાહી કરાવવામાં આવે. કેન્દ્રને એ જણાવવાનું કહેવામાં આવે કે શું સરકાર તથા તેમની કોઈપણ એજન્સીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાસૂસી માટે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કર્યો છે? શું પેગાસસ સ્પાયવેરનું લાઈસન્સ લેવામાં આવ્યું છે?
પેગાસસ શું છે?
પેગાસસ કેવી રીતે કામ કરે છે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.