નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે 106 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવાનું શરૂ કર્યું છે. રાષ્ટ્રપતિએ પહેલું સન્માન આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું કર્યું. તેમની દીકરીએ પિતાને મળેલA પદ્મ વિભૂષણ ગ્રહણ કર્યો. ત્યાર પછી કુમાર મંગલમ બિરલાને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં યોગદાન માટે 22 માર્ચે સન્માનિત કરાયા. બિરલા પરિવારમાં પદ્મ પુરસ્કાર મેળવનારા કુમાર મંગલમ ચોથી વ્યક્તિ બન્યા છે.
પંડવાની ગાયિકા ઉષાને પદ્મ શ્રીથી સન્માનિત કરાયા. અવોર્ડ મેળવતા પહેલા તેમણે વડાપ્રધાન મોદીને પ્રણામ કર્યા. ત્યાર પછી રાષ્ટ્રપતિને પગે લાગી અવોર્ડ ગ્રહણ કર્યો. લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર સિંહ યાદવ સહિત ઘણા લોકો હાજર છે.
કાર્યક્રમ સાથે જોડાયેલા વીડિયો...
જુઓ તસવીરો...
રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થયેલા લોકોની લિસ્ટ...
નામ | પુરસ્કાર | ક્ષેત્ર |
બાલકૃષ્ણ દોશી | બાલકૃષ્ણ દોશી | આર્કિટેક્ટ |
કુમાર મંગલમ | પદ્મ ભૂષણ | વેપાર અને ઉદ્યોગ |
સુમન કલ્યાણપુર | પદ્મ ભૂષણ | કલા |
ઉષા બરલે | પદ્મશ્રી | કલા |
મંગલા કાંત | પદ્મશ્રી | કલા |
ભાનુભાઈ ચિતારા | પદ્મશ્રી | કલા |
હિરાબાઈ લોબી | પદ્મશ્રી | સમાજ સેવા |
પ્રભાકર ભાનુદાસ | પદ્મશ્રી | સાહિત્ય અને શિક્ષા |
નાડોજા પિંડીપાપનહલ્લી | પદ્મશ્રી | કલા |
પ્રોફેસર મહેન્દ્ર પાલ | પદ્મશ્રી | વિજ્ઞાન અને એન્જિનિયરિંગ |
નલિની પાર્થસારથી | પદ્મશ્રી | મેડિકલ |
હનુમંત રાવ | પદ્મશ્રી | મેડિકલ |
શ્રી રમેશ રઘુનાથ | પદ્મશ્રી | સાહિત્ય અને શિક્ષણ |
શ્રી વી.પી. અપ્પુકુટ્ટન | પદ્મશ્રી | સમાજ સેવા |
એસઆરડી પ્રસાદ | પદ્મશ્રી | સ્પોર્ટ્સ |
શ્રી ચિંતલપતિ | પદ્મશ્રી | કલા |
ડૉ. બંડી રામકૃષ્ણ રેડ્ડી | પદ્મશ્રી | સાહિત્ય અને શિક્ષણ |
મનોરંજન સાહુ | પદ્મશ્રી | મેડિકલ |
શ્રી કોટા સચ્ચિદાનંદ | પદ્મશ્રી | કલા |
શ્રી ગુરચરણ સિંહ | પદ્મશ્રી | સ્પોર્ટ્સ |
શ્રી લક્ષ્મણ સિંહ | પદ્મશ્રી | સમાજ સેવા |
પ્રકાશ ચંદ્ર સૂદ | પદ્મશ્રી | સાહિત્ય અને શિક્ષણ |
શ્રીમતી નૈહુનાઓ | પદ્મશ્રી | કલા |
એસ. સુબ્બારામન | પદ્મશ્રી | પુરાતત્વ વિજ્ઞાન |
શ્રી વિશ્વનાથ પ્રસાદ | પદ્મશ્રી | સાહિત્ય અને શિક્ષણ |
શ્રી ધનીરામ ટોટો | પદ્મશ્રી | સાહિત્ય અને શિક્ષણ |
જી. વેલુચ્યામી | પદ્મશ્રી | મેડિકલ |
કર્મ વાંગચુ | પદ્મશ્રી | સમાજ સેવા |
ગુલામ મુહમ્મદ | પદ્મશ્રી | કલા |
જોધૈયા બાઈ | પદ્મશ્રી | કલા |
સંકુરાત્રી | પદ્મશ્રી | સમાજ સેવા |
શ્રી રામન | પદ્મશ્રી | એગ્રીકલ્ચર |
શ્રી નરેન્દ્ર ચંદ્ર | પદ્મશ્રી | પબ્લિક વર્ક્સ |
શ્રી વાડીવેલ | પદ્મશ્રી | સમાજ સેવા |
હેમચંદ્ર ગોસ્વામી | પદ્મશ્રી | કલા |
પ્રીતિક્ના ગોસ્વામી | પદ્મશ્રી | કલા |
મોડાદુગુ વિજય | પદ્મશ્રી | વિજ્ઞાન અને એન્જિનિયરિંગ |
દિલશાદ હુસૈન | પદ્મશ્રી | કલા |
ભીખુ રામજી | પદ્મશ્રી | સમાજ સેવા |
રતન સિંહ જગ્ગી | પદ્મશ્રી | સાહિત્ય અને શિક્ષણ |
વિક્રમ બહાદુર | પદ્મશ્રી | સમાજ સેવા |
રાકેશ ઝુનઝુનવાલા | પદ્મશ્રી | વેપાર અને ઉદ્યોગ |
રતન ચંદ્ર કર | પદ્મશ્રી | મેડિકલ |
ગુરુ કુપ્પીયા સુંદરમ | પદ્મશ્રી | કલા |
શ્રી મહીપતરાય | પદ્મશ્રી | કલા |
માગુની ચરણ | પદ્મશ્રી | કલા |
ડૉ. અરવિંદ કુમાર | પદ્મશ્રી | વિજ્ઞાન અને એન્જિનિયરિંગ |
શ્રી રિસિંગબોર | પદ્મશ્રી | કલા |
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સિવિલ ઇન્વેસ્ટિચર સમારંભ (નાગરિક પુરસ્કાર સમારંભ)માં ગુજરાતમાંથી પ્રો. બાલકૃષ્ણ દોશી (મરણોપરાંત)ને આર્કિટેક્ચર ક્ષેત્રે પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કર્યો હતો. રાષ્ટ્રપતિએ શ્રી ભાનુભાઇ ચુનીલાલ ચિતારા અને શ્રી મહીપતરાય પ્રતાપરાય કવિને કળા ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કર્યો હતો. ઉપરાંત, રાષ્ટ્રપતિએ શ્રીમતી હીરબાઇબેન ઇબ્રાહીમભાઇ લોબીને સામાજિક કાર્ય ક્ષેત્રે તેમજ પ્રો. (ડૉ.) મહેન્દ્ર પાલ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પદ્મ પુરસ્કાર એનાયત કર્યો હતો.
ભાનુભાઇ ચિતારા (કલમકારી ચિત્ર- કલા)
26 ઓક્ટોબર 1957ના રોજ ગુજરાતના અમદાવાદમાં જન્મેલા શ્રી ચિતારાએ તેમના માતા-પિતા પાસેથી હસ્તકળા શીખી હતી. તેમણે તેમનું આખું જીવન માતાની પછેડી હસ્તકળાના ક્ષેત્રમાં કામ કરવા માટે સમર્પિત કરી દીધું છે, જેમાં તેઓ હિન્દુ પૌરાણિક કથાઓ અને ધાર્મિક કથાઓના દૃશ્યોનું નિરૂપણ કરતા સુંદર અને જટિલ ચિત્રો બનાવે છે. તેમની રચનાઓમાં ઘેરા અને નજરમાં આવી જાય તેવા રંગો, ઝીણવટભરી કારીગરી અને અદભૂત રચનાઓ તેની ખાસ ઓળખ છે, જે તમામ લોકોની કલ્પનાશક્તિને આકર્ષિત કરે છે.
‘હેમંત ચૌહાણનો ટૂંકો પરિચય
’ભજનીક હેમંત ચૌહાણનો જન્મ 1955માં ગુજરાતના રાજકોટ જિલ્લાના કુંદણી ગામમાં થયો હતો. તેમનું વિશેષ પ્રદાન ભજન ક્ષેત્રે છે. તેમણે ગુજરાતી ભજન-સંતવાણીનાં અનેક આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ગરબાનાં કેટલાય આલ્બમોમાં પણ તેમણે પોતાનોનો સ્વર આપ્યો છે. શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ તેમની સૌથી મહત્વની વિશેષતા છે.
હીરાબાઈ લોબી કોણ છે?
સમાજસેવા સાથે સંકળાયેલા હીરાબાઈ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતાં. હીરાબાઈનો ઉછેર એમના દાદીમાએ કર્યો છે. હીરાબાઈ ઉદ્દાત ભાવનાથી અનેક બાલવાડી સ્થાપી સીદી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું છે. ઉપરાંત વર્ષ 2004માં મહિલા વિકાસ ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરી અને સીદી મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે પણ ભગિરથ કાર્ય કર્યું છે. હીરાબાઈના આ ભગીરથ પ્રયત્નોથી જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ થઈ. વર્ષ 2006માં હીરાબાઈ જાનકીદેવી બજાજ પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચૂક્યાં છે.
શ્રી મહીપતરાય પ્રતાપરાય કવિને કળાના ક્ષેત્રમાં પદ્મશ્રી પુરસ્કારથી
શ્રી મહીપતરાય પ્રતાપરાય કવિ (કવિ તરીકે જાણીતા) એક આંતરરાષ્ટ્રીય કઠપૂતળી કલાકાર છે અને 1973માં સ્થાપવામાં આવેલા "પપેટ્સ એન્ડ પ્લેઝ"ના સ્થાપક છે.
28 માર્ચ 1931ના રોજ જન્મેલા શ્રી કવિએ દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી અભિનયમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો હતો અને એકેડેમીમાં ભજવવામાં આવતા અનેક નાટકોમાં તેમણે ભાગ લીધો હતો. તેઓ 1960-1970 સુધી એકેડમીમાં હતા. જો કે, એકેડેમીમાં તેમના કાર્યકાળ દરમિયાન, તેઓ તેમની અભિનય કારકિર્દીથી સંતુષ્ટ ન હતા અને હંમેશા તેમને લાગ્યા કરતું હતું કે, કંઇક ખૂટે છે આથી તેમણે કંઇક નવું શોધવાનું શરૂ કર્યું. તે સમયે, તેમણે મહેરબેન કોન્ટ્રાક્ટરને તેમની કઠપૂતળીઓથી ખેલ કરતા જોયા. એવો ખેલ કરતા જોયા પછી, તેમને ખાતરી થઇ ગઇ કે પપેટ્રી તેમના માટે જ છે અને તે જ સમયે તેમણે આ ક્ષેત્રમાં ઝંપલાવવાનું નક્કી કર્યું.
પદ્મ પુરસ્કાર મેળવનાર લોકો સાથે જોડાયેલા કેટલાક ફેક્ટ વાંચો...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.