તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશની ટોપ વેક્સિન સાયન્ટિસ્ટ ડૉ. ગગનદીપ કાંગનું કહેવું છે કે કોરોના વાયરસ વેક્સિનને લઈને આપણો દેશ તૈયાર જ નથી. કોઈ પણ સ્તરે રેડીનેસ નથી જોવા મળી રહ્યું. પ્રાઈવેટ સેક્ટરને શું કરવાનું છે, તે તો સરકારે હજુ સુધી જણાવ્યું જ નથી. માત્ર સરકારી મશીનરીના વિશ્વાસે પણ વેક્સિનેટ કરવાની તૈયારી જોવા મળી નથી રહી. ભાસ્કરે રોયલ સોસાયટી (લંડન)માં ફેલો તરીકે પસંદ થયેલા ભારતના પહેલા મહિલા સાયન્ટિસ્ટ અને વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં પ્રોફેસર ડૉ. કાંગે વેક્સીન અને વેક્સિનેશન પર વિસ્તારથી વાત કરી. વાંચો તેમની સાથેની વાતચીતના મુખ્ય અંશ
ભાસ્કરઃ શું આપણો દેશ તમામને વેક્સિન લગાવવા માટે તૈયાર છે?
ડૉ. કાંગઃ ના, હાલ તો એવું કંઈ જ જોવા નથી મળી રહ્યું. સરકારની તૈયારી હાલ પ્રાથમિક સ્ટેજ પર છે. વેક્સિનને ઈમરજન્સી એપ્રુવલ આપવામાં આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. તમામ લોકોને ઈમ્યુનાઈઝ કરીશું તો હાલ જે પ્રોગ્રામ ચાલી રહ્યાં છે, તેનું શું થશે? તમામ સ્ટાફ, કોલ્ડ ચેન સપ્લાઈને આપણે કોવિડ-19 વેક્સીન માટે સુરક્ષિત રાખ્યા છે અને જે પ્રોગ્રામ્સ હાલ ચાલી રહ્યાં છે, તેનું શું થશે? તેને લઈને કોઈ વાત જ નથી થઈ.
ભાસ્કરઃ કયા પ્રકારની તૈયારીની જરૂરિયાત રહેશે વેક્સિનેશન માટે?
ડૉ. કાંગઃ વેક્સિનેશન માટે ઘણી તૈયારીઓ કરવી પડશે. ઈન્જેકશન આપવાનું છે તે મેડિકલ વેસ્ટનો ડિસ્પોઝલ પણ જોવો પડશે. તેના પર હાલ કોઈ સ્પષ્ટતા નથી. બેકગ્રાઉન્ડ ચેક્સની પણ વ્યવસ્થા કરવી પડશે. સમજો કે આજે એક લાખ લોકોને વેક્સિન આપી છે તો તેમનું મોનિટરિંગ કરવું જરૂરી છે. બની શકે કે પાંચ લોકોને શરદી થાય, બે લોકોને સ્ટ્રોક આવે, એક કેન્સર થઈ જાય. તો શું તેનું કારણ વેક્સિન હશે? લોકોને તો એમ લાગશે કે આ બધું વેક્સિનના કારણે થયું છે. હાલમાં જ કોવિશિલ્ડના ટ્રાયલ્સ દરમિયાન ચેન્નઈમાં વોલેન્ટિયરની તબિયત ખરાબ થઈ ગઈ. કંપની કહી રહી છે કે વેક્સિન સાથે કોઈ લેવા-દેવા નથી. બની શકે છે કે કંપની સાચું કહેતી હોય. પરંતુ ઈન્વેસ્ટિગેશન પછી ખ્યાલ આવશે કે શું અને કયા કારણસર થયું. તેના માટે એક સિસ્ટમ બનાવવી જરૂરી છે.
मैं यहां मास्क और साबुन बांटने इसलिए नहीं आया हूं कि आप लोगों के पास ये सब नहीं है। मैं सिर्फ़ ये बताना चाहता हूं कि #कोविड19 के खिलाफ़ लड़ाई में मास्क एक बहुत बड़ा रक्षा कवच है। @PMOIndia @IndianRedCross #Unite2FightCorona pic.twitter.com/8nNDxlc4uC
— Dr Harsh Vardhan (@drharshvardhan) November 30, 2020
ભાસ્કરઃ આપણી વેક્સિનેશન પ્રોગ્રામ્સ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને વેક્સીન લગાવવા સુધી સીમિત છે. શું બધા વયસ્કોને વેક્સિન લગાવવાનો કોઈ પ્રોગ્રામ છે?
ડૉ. કાંગઃ ના. આપણે ત્યાં આવો કોઈ જ પ્રોગ્રામ નથી, જેમાં એડલ્ટ ઈમ્યુનાઇઝેશન હોય છે. વિશ્વમાં અનેક દેશ એડલ્ટ્સને ઈન્ફ્લુએન્ઝા વેક્સિન લગાવવામાં આવે છે. કેટલાંક દેશોમાં નાના બાળકો અને 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવે છે. કેટલાંક દેશોમાં તમામ એડલ્ટ્સને. અમે પણ સરકાર સમક્ષ માગ કરી છે કે એડલ્ટ્સને ઈમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવે. પરંતુ હજુ સુધી તેમની તરફથી કોઈ જ રિસ્પોન્સ મળ્યો નથી.
ભાસ્કરઃ શું વેક્સિન લગાવવા માટે ટ્રેનિંગની જરૂર પડશે?
ડૉ. કાંગઃ જ્યારે પણ કોઈ નવી વેક્સિન આવે છે તો તેના માટે ટ્રેનિંગ હોય છે. કેન્દ્રથી રાજ્યોને, રાજ્યોથી જિલ્લા અને જિલ્લાથી ઈમ્યુનાઇઝેશન પોઈન્ટ સુધી આ ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં જણાવવામાં આવે છે કે વેક્સિનની શું અસર થશે, કેવા પ્રકારની સાઈડ ઈફેક્ટસ થઈ શકે છે અને તેનો કઈ રીતે સામનો કરવાનો છે? ટ્રેનિંગ મોડ્યૂલ બનશે. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે હજુ સુધી તો તે જ નથી ખ્યાલ કે કઈ વેક્સિનનો ઉપયોગ થશે. એક ડોઝ આપવાનો છે કે બે ડોઝ.... તે પણ સ્પષ્ટ નથી. જ્યારે વેક્સિન અને પ્રક્રિયા નક્કી થશે, ત્યારે જ ટ્રેનિંગ આપી શકાશે.
PM reviews vaccine development and manufacturing process at 3 facilities. https://t.co/y7Fghcb06Z
— PMO India (@PMOIndia) November 28, 2020
via NaMo App pic.twitter.com/jgg470rZGf
ભાસ્કરઃ UKએ ફાઈઝરની વેક્સિનને માન્યતા આપી છે. મોડર્નાને પણ ટૂંક સમયમાં જ ઈમરજન્સી એપ્રુવલ મળી શકે છે. શું આપણે ત્યાં આ વેક્સિનને એપ્રુવલ ન આપી શકાય?
ડૉ. કાંગઃ ના. ભારતમાં વેક્સિનની એપ્રુવલ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)આપે છે. તેઓ માત્ર તે જ વેક્સિનને માન્યતા આપે છે, જેની ટ્રાયલ્સ ભારતમાં કરવામાં આવી હોય. ન તો ફાઈઝરે પોતાની વેક્સિનના ટ્રાયલ્સ ભારતમાં કરાવ્યા છે, કે ન તો મોડર્નાએ. જો કોઈ વેક્સિનની ટ્રાયલ્સ વિદેશમાં થઈ છે અને ત્યાંથી તેને માન્યતા મળી ગઈ છે તો તેઓ સંબંધિત ટ્રાયલ્સના ડેટાની સાથે ભારતમાં એપ્લાઈ કરી શકે છે, પરંતુ તેઓએ અહીં પણ કેટલાંક લોકો પર, તે પછી 100 લોકો પર જ કેમ ન થાય, ટ્રાયલ્સ કરવાના રહે છે. આમ તો ગત વર્ષે ક્લિનિકલ ટ્રાયલ્સના નવા નિયમો આવ્યા છે. જેમાં ડ્રગ કંટ્રોલર ટ્રાયલ્સ વગર પણ ઈમરજન્સી યુઝ માટે કોઈ વેક્સીનને એપ્રુવ કરી શકે છે. જો આવી કોઈ માન્યતા આપવામાં આવી તો પણ ક્લિનિકલ ટ્રાયલ્સ કરવામાં આવે છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.