• Gujarati News
  • National
  • On The Statement Given In London, On The Apology Question, He Said If I Get A Chance To Speak In Parliament, I Will Keep My Word

રાહુલ ગાંધીએ કહ્યું- અદાણી મામલે PM મોદી ડરે છે:તેઓ મને સંસદમાં બોલવા નહીં દે, વડાપ્રધાન જણાવે કે અદાણી સાથે તેમનો શું સંબંધ છે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

લંડનમાં આપેલા ભાષણને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખુલાસો કર્યો છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે 'મારા ભાષણમાં એવી કોઈ વાત નથી કે જે મેં પબ્લિક રેકોર્ડથી કાઢી છે. બધું જ અલગ-અલગ જગ્યાએથી ભેગું કર્યું છે. આ આખો મામલો ડિસ્ટ્રેક્ટ કરવાનો છે. હકીકતમાં, વડાપ્રધાન અદાણીના મામલે ડરે છે. તેઓ જણાવે કે અદાણી સાથે તેમનો શું સંબંધ છે.'

રાહુલ ગાંધીએ આ બધી જ વાત પ્રેસ કોન્ફરન્સમાં કહી હતી. સાથે જ કહ્યું હતું કે 'લંડનમાં આપેલા ભાષણના મુદ્દે સંસદમાં વિસ્તારમાં જવાબ આપીશ. હું સાંસદ છું અને સંસદ જ મારું મંચ છે.'

રાહુલે કહ્યું હતું કે 'અદાણીને શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયામાં જગ્યા મળી જાય છે. વડાપ્રધાનજી અને ઓસ્ટ્રેલિયાના PM વચ્ચે શું વાત થઈ, તેનો જવાબ PMજી નહીં આપી શકે. હું લોકસભાનો સભ્ય છું. મારી જવાબદારી સંસદમાં મારી વાત રાખવાની છે. મનં કાલે સંસદમાં જો બોલાવાની તક મળશે, તો ત્યાં હું વિસ્તારમાં આ વિષય પર પોતાની વાત રાખીશ. જોકે મને લાગે છે કે તેઓ મને સંસદમાં બોલવા નહીં દે.'

રાહુલે કહ્યું- મારું બોલવું BJPને પસંદ નથી

રાહુલ ગાંધી ગુરુવારે સંસદના સેન્ટ્રલ હોલમાં તેમની પાર્ટીના સાંસદો સાથે બેઠા હતા.
રાહુલ ગાંધી ગુરુવારે સંસદના સેન્ટ્રલ હોલમાં તેમની પાર્ટીના સાંસદો સાથે બેઠા હતા.

આની પહેલા સંસદની બહાર રાહુલે કહ્યું હતું કે 'હું લડનમાં ભારતની વિરુદ્ધ કંઈ જ બોલ્યો નથી. જો સંસદમાં મને બોલવાની તક મળશે, તો હું મારી વાત રાખીશ.' તેમણે વધુમાં કહ્યું હતું કે 'મારું બોલવું BJPને પસંદ નથી આવતું.'

આની પહેલા ગુરુવારે સવારે 11 વાગે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ બન્નેસ સદનોને 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી. બપોર પછી કાર્યવાહી શરૂ થવા પર એકવાર ફરી હંગામો શરૂ થતાં બન્ને જ સદનોને દિવસભર માટે સ્થગિત કરી દેવાઈ હતી.

રાહુલે સ્પીકરને મળીને સમય માગ્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકર ઓમ ડિરલાને ગુરુવારે મળ્યા હતા. તેમણે લંડનના નિવેદન પર પોતાની વાત સંસદમાં કરવા માટે સમય માગ્યો હતો.

વાંચો રાહુલે લંડનમાં શું-શું કહ્યું હતું...

  • હું નહીં PM કરે છે દેશનું અપમાન: 'મને યાદ છે કે ગત વખતે વડાપ્રધાને વિદેશ જઈને જાહેરાત કરી હતી કે આઝાદીના 70 વર્ષોમાં કંઈ પણ નથી થયું. તેમણે કહ્યું હતું કે અમે એક દાયકો પાછળ રહી ગયા. ભારતમાં ખૂબ જ ભ્રષ્ટાચાર છે. આ બધું જ તેમણે વિદેશમાં જઈને કહ્યું હતું. મેં ક્યારેય દેશનું અપમાન નથી કર્યું. હું આવું ક્યારેય કરું પણ નહીં. જ્યારે તેમણે કહ્યું કે 70 વર્ષોમાં કંઈ નથી થયું, તો શું આ દરેક ભારતીયનું અપમાન નથી?'
  • જે સરકારને સવાલ કરે છે, તેના પર હુમલા થાય છે: 'જો કોઈ PM નરેન્દ્ર મોદીના સપોર્ટર છે, તો તેમનું આંખ મીંચીને સમર્થન કરે છે. આનાથી ઊંધું જો કોઈ તેમના અથવા તો તોમની સરકાર પર સવાલો કરે છે, તો તેમના પર હુમલો થાય છે. આવું જ કંઈ BBC સાથે થયું. BBCએ ગુજરાત રમખાણો અંગે ડોક્યુમેન્ટ્રી બનાવી અને મોદી સરકારે વિવાદ ઊભો કર્યો અને આને એક પ્રોપેગેંડા બતાવી હતી.'
  • મારું PM કેન્ડિડેટ હોવાનો ચર્ચાનો વિષય જ નથી: રાહુલને જ્યારે એવું પૂછાયું હતું કે તેઓ PM ઉમેદવાર હશે, તો તેના પર તેમણે કહ્યું હતું કે 'મારું PM કેન્ડિડેટ હોવાની ચર્ચાનો વિષય જ નથી. વિપક્ષનો સેન્ટ્રલ આઇડિયા ભાજપ અને RSSને હરાવવાનો છે.'
  • હું મોદીની શૈલી સાથે સહેમત નથી: 'આ આઇડિયા કે એક માણસ તમામ સમસ્યાઓ હલ કરે છે. લોકો વાત કરવાથી સમસ્યા હલ થાય છે. તેના માટે હિતધારકો અને સરકાર વચ્ચે વાતચીત જરૂરી છે. હું ઉપરથી નીચે સુધી એક વ્યક્તિ તરીકે ઓળખાતી નરેન્દ્ર મોદી-શૈલીથી સંમત નથી કે જે વસ્તુઓને ઠીક કરવા માટે જાદુઈ ડંડી લઈને આમથી તેમ ભાગે.'
રાહુલ ગાંધીએ યુકેના પ્રવાસે જતા પહેલા પોતાનો લુક બદલ્યો હતો. નવા લુકમાં તે ટ્રિમ્ડ બિયર્ડમાં જોવા મળ્યા હતા.
રાહુલ ગાંધીએ યુકેના પ્રવાસે જતા પહેલા પોતાનો લુક બદલ્યો હતો. નવા લુકમાં તે ટ્રિમ્ડ બિયર્ડમાં જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધીની 4 મોટી વાતો...

  • રાહુલે કહ્યું હતું કે અમેરિકા સહિત વિશ્વના લોકતાંત્રિક દેશો એ નોંધવામાં નિષ્ફળ ગયા કે ભારતની લોકશાહી ખતરામાં છે.
  • ભારતમાં અમે ભાજપ અને RSS સામે લડી રહ્યા છીએ. આ બન્નેએ દેશની તમામ સરકારી સંસ્થાઓને કબજે કરી લીધી છે. UKમાં સંસ્થાઓ સ્વતંત્ર છે અને બે પક્ષો એકબીજા સાથે લડે છે, પરંતુ ભારતમાં વિપક્ષ ભાજપ, RSS તેમજ સરકારી સંસ્થાઓ સાથે લડી રહ્યો છે.
  • ભાજપ ઇચ્છે છે કે ભારતમાં દલિતો, આદિવાસીઓ, મીડિયા અને અન્ય દરેક લોકો શાંત રહે. તેઓ આ ઇચ્છે છે, જેથી તેઓ ભારતમાં જે કંઈ છે તે લઈ શકે અને તેમના 4-5 નજીકના મિત્રોને સોંપી શકે.
  • હું ભારતની વિદેશ નીતિ સાથે સહમત છું. વડાપ્રધાન કહે છે કે ભારતની ધરતીમાં કોઈ પ્રવેશ્યું નથી. આપણી એક ઈંચ જમીન પણ કોઈએ લીધી નથી, પરંતુ ભારતે ચીનથી સાવચેત રહેવાની જરૂર છે. તે સરહદ પર ખૂબ જ સક્રિય અને આક્રમક છે.
રાહુલ ગાંધી આજે સંસદમાં નજર આવ્યા હતા.
રાહુલ ગાંધી આજે સંસદમાં નજર આવ્યા હતા.

રિજિજૂએ કહ્યું હતું- દેશના અપમાન પર ચૂપ નહીં રહીએ
આની પહેલાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે 'જો રાહુલ ગાંધી કંઈ બોલે છે, તો તેમના કારણે કોંગ્રેસની મુશ્કેલીઓ વધે છે, તો આ મામલે અમે કંઈ ના કરી શકીએ. પરંતુ જો તેઓ દેશનું અપમાન કરશે, તો એક ભારતીય હોવાથી અમે ચૂપ નહીં રહીએ.' તેમણે રાહુલને આ મામલે માફી માગે તેવી પણ માગ કરી હતી.

આના પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે 'આની પહેલાં પણ ઘણીવાર PM મોદીએ વિદેશ જઈને દેશની વિરુદ્ધ બોલ્યા છે. ત્યારે એવો સવાલ જ ઊભો નથી થતો કે રાહુલ પોતાના નિવેદનને લઈને માફી માગે.'

કોંગ્રેસ નેતાઓએ કહ્યું- અદાણી મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે ભાજપ બિનજરૂરી વાતે કરે છે
દિગ્વિજય સિંહે કહ્યું હતું કે 'રાહુલજીએ લંડનમાં એવું તે શું કહી દીધું કે તેમણે ભારતમાં નથી કહ્યું. PM ખુદ પણ પાછલી સરકારો લઈને કહ્યું છે કે પહેલા ભારતમાં તેમને જન્મ લેવામાં શરમ આવતી હતી. શું આ દેશની ઇજ્જત કાઢી ગણાય નહીં? આ આખો મુદ્દો અદાણી મામલે સંસદીય કમિટીની રચના માટે ચર્ચાઓથી બચવા માટે છે.'

પવન ખેરાએ કહ્યું હતું કે 'જ્યારે પણ કોંગ્રેસ અદાણી મુદ્દે પાર્લિયામેન્ટ્રી કમિટી બનાવવાની માગ કરે છે, તો ધ્યાન ભટકાવવા માટે ભાજપ સત્ર સ્થગિત કરી દે છે. ભાજપને ડર છે કે ક્યાંક સદનમાં કોઈ અદાણીનું નામ ના લઈ લે.'

અદાણી વિવાદ અને અન્ય અનેક મુદ્દાઓને લઈને દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અદાણી વિવાદ અને અન્ય અનેક મુદ્દાઓને લઈને દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
શિરોમણી અકાલી દળના સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે સંસદની કાર્યવાહી ચાલવા દેવાની માગ કરી હતી.
શિરોમણી અકાલી દળના સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે સંસદની કાર્યવાહી ચાલવા દેવાની માગ કરી હતી.

PM મોદીએ સિનિયર મંત્રીઓ સાથે બેઠક કરી, ખડગેના ઘરે મળ્યા વિપક્ષના નેતા
ચોથા દિવસના સત્ર શરૂ થતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં અમુક મંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં રાજનાથ સિંહ, પીયૂષ ગોયલ, અનુરાગ ઠાકુર, કિરણ રિજિજૂ અને પ્રહ્લાદ જોશી સામેલ છે. તો, સમાન વિચારધારા ધરાવનાર વિપક્ષી દળોના નેતા મલ્લિકાર્જુન ખડગેના ઑફિસમાં મિટિંગમાં સામેલ થયા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને વિપક્ષી દળોના નેતાઓ હાજર રહ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને વિપક્ષી દળોના નેતાઓ હાજર રહ્યા હતા.

ત્રીજા દિવસે પણ હંગામાના કારણે સંસદની કાર્યવાહી સ્થગિત થઈ હતી

આ સતત ત્રીજા દિવસે રાજ્યસભા અને લોકસભા ગુરુવાર સવાર 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
આ સતત ત્રીજા દિવસે રાજ્યસભા અને લોકસભા ગુરુવાર સવાર 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

સંસદના ત્રીજા દિવસે પણ ભાજપ અને કોંગ્રેસમાં ટકરાવ થયો હતો
સંસદના ત્રીજા દિવસે પણ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે રાહુલ અને અદાણી મુદ્દે ખૂબ જ ટકરાવ થયો હતો. ભાજપે જ્યાં એકવાર ફરી લંડનમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને માફી માગે તેવી માગ કરી હતી. તો કોંગ્રેસ અને વિપક્ષી દળોએ અદાણી-હિંડનબર્ગ રિપોર્ટની JPC પાસેથી તપાસની માગને લઈને હંગામો ઊભો કર્યો હતો.

અંતે હંગામાના કારણે બન્ને સદનોની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ છે. 2 વાગે કાર્યવાહી ફરી શરૂ થઈ હતી અને ફરી હંગામો થયો હતો. આ પછી બન્ને સદનોને ગુરુવાર સુધી સ્થગિત કરી દેવાઈ હતી.

સત્ર સ્થગિત થતાં જ વિપક્ષે ED ઑફિસની તરફ કૂચ કરી

શરદ પવાર અને મમતા બેનર્જીના સાંસદોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો નહોતો.
શરદ પવાર અને મમતા બેનર્જીના સાંસદોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો નહોતો.

સત્ર સ્થગિત થતાં જ બધા જ માર્ચ પર નીકળ્યા હતા, પરંતુ પોલીસે તેમને ED ઑફિસથી અઢી કિલોમીટર દૂર વિજય ચોક પર જ રોકી દીધા હતા. સાંસદ ED ઑફિસ ના જઈ શક્યા. અંદાજે 25 મિનિટ સુધી વિજય ચોક પર જ પ્રદર્શન કર્યા પછી બધા નેતા સંસદ તરફ પરત ફર્યા હતા.

ખડગે બોલ્યા- 200 સાંસદોને રોકવા માટે 2 હજાર પોલીસકર્મીઓને રાખ્યા હતા

ખડગેએ મીડિયાને કહ્યું- 200 સાંસદોને રોકવા માટે સરકારે 2,000 પોલીસ તૈનાત કરી.
ખડગેએ મીડિયાને કહ્યું- 200 સાંસદોને રોકવા માટે સરકારે 2,000 પોલીસ તૈનાત કરી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 'સરકારે 200 સાંસદોને રોકવા માટે 2 હજાર પોલીસકર્મીઓને લગાવ્યા હતા. તેઓ વાત લોકતંત્રની કરે છે, પરંતુ અમને શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા પણ રોકવામાં આવે છે. અમે તો માત્ર EDની ઑફિસ જઈને અદાણી મામલે ડિટેઇલ ઇન્વેસ્ટિગેશન માટે ફરિયાદ ચિઠ્ઠી દેવા માગતા હતા. અમને રોકવું તે કયું લોકતંત્ર છે!'

પ્રદર્શનમાં NCP અને TMC સામેલ ના થઈ

પોલીસે સાંસદોને રોકવા માટે વિજય ચોકમાં ત્રણ લેયરની બેરિકેડ લગાડી હતી.
પોલીસે સાંસદોને રોકવા માટે વિજય ચોકમાં ત્રણ લેયરની બેરિકેડ લગાડી હતી.

પ્રદર્શનમાં શરદ પવારની NCP અને મમતા બેનર્જીની TMCના સાંસદ સામેલ થયા નહોતા. સંસદ જ્યારે બે વાગે ફરી શરૂ થયું તો ફરી એકવાર આ જ મુદ્દાઓ પર હંગામો શરૂ થઈ ગયો હતો. ત્યારે આ સતત ત્રીજા દિવસે રાજ્યસભા અને લોકસભા ગુરુવાર સવાર 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું.

TMCએ જણાવ્યું કોંગ્રેસની સાથે ના જવાનું કારણ

મમતા બેનર્જીના સાંસદોએ મોંઘવારી અંગે ગાંધી પ્રતિમા સામે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
મમતા બેનર્જીના સાંસદોએ મોંઘવારી અંગે ગાંધી પ્રતિમા સામે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

અદાણી મામલે અને ED-CBIની કાર્યવાહીને લઈને મમતા બેનર્જીની પાર્ટી TMCના સાંસદ કોંગ્રેસ અને વિપક્ષના અન્ય દળોથી અલગ પ્રદર્શન કરી રહ્યા હતા. આના પર TMC સાંસદ સુદીપ બંધોપાધ્યાયએ જણાવ્યું હતું કે સત્તા પક્ષ હોય કે મુખ્ય વિપક્ષી દળ, બન્ને એકબીજાની વિરુદ્ધ છે. બંગાળમાં કોંગ્રેસ પાર્ટી ભાજપ અને CPMની સાથે મળી ગઈ છે. એટલે જ અમે કોંગ્રેસ નેતાઓએ બોલાવેલી બેઠકમાં સામેલ થયા નહોતા.

રાહુલ વિદેશથી પરત ફર્યા, અદાણીના બહાને કેન્દ્ર પર નિશાન સાધ્યું

રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા પર આ સમાચાર પોસ્ટ કરીને ટિપ્પણી કરી છે.
રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા પર આ સમાચાર પોસ્ટ કરીને ટિપ્પણી કરી છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં રાહુલ ગાંધીની હાજરીમાં મંગળવારે સવાલ ઉઠાવ્યો હતો. બુધવારે એવા સમાચર આવ્યા કે રાહુલ વિદેશથી પરત ફર્યા છે. થોડીવાર પછી રાહુલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને એકવાર ફરી અદાણીના બહાને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.

રાહુલે લખ્યું હતું કે 'ભારતની મિસાઇલ અને રડાર અપગ્રેડ કોન્ટ્રેક્ટ અદાણીની માલિકીનું કંપની અને ઇલારા નામની એક સંદિગ્ધ વિદેશી સંસ્થાને આપી છે. ઇલારાને કોણ કેન્ટ્રોલ કરે છે? અજાણી વિદેશી કંપનીઓને ભારતના રણનૈતિક રક્ષા ઉપરકરણોના નિયંત્રણ દઈને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરવામાં આવ્યા છે?'

અન્ય સમાચારો પણ છે...