તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નીતીશ કુમાર 7મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે. તેમની સાથે 14 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. તેમાં JDUના 5, ભાજપના 7 તથા હમ-VIPમાંથી એક-એક નેતાને મંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રીમંડળમાં સમાજના તમામ વર્ગને સાંકળી સંકલન સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નીતીશ સહિત 15 ધારાસભ્યોમાં સવર્ણ વર્ગમાંથી 5, પછાત વર્ગમાંથી 7 અને દલિત વર્ગમાંથી 3 નેતાને મંત્રી બનાવવામાં આવ્યા છે.
નીતીશની પહેલી કેબિનેટની બેઠક મંગળવારે યોજાશે અને વિધાનસભાના નવા સત્રની શરૂઆત 23મી નવેમ્બરના રોજ થશે.
મંચ પર ત્રણ ખુરશી, તેનાથી સ્પષ્ટ થયુ કે નાયબ મુખ્યમંત્રી કોણ
નીતીશ કુમારે શપથ લીધા બાદ બીજા નંબર પર તારકિશોર પ્રસાદ અને ત્રીજા નંબર પર રેણુ દેવીએ શપથ લીધા હતા. શપથ બાદ આ બન્ને નેતા પણ મંચ પર નીતીશ પાસેની ખુરશીમાં બેઠા હતા. પોર્ટફોલિયોની વહેચણીમાં ભલે થોડો વિલંબ થયો, પણ તેનાથી સ્પષ્ટ થઈ ગયુ છે કે નવી સરકારમાં તારકિશોર અને રેણુ નાયબ મુખ્યમંત્રી હશે.
બ્રિજેન્દ્ર યાદવ સૌથી વયોવૃદ્ધ, સહની સૌથી યુવાન
પહેલી હરોળમાં સુશીલ મોદી બેસી શક્યા નહીં
શપથ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા. શાહ અને નડ્ડા પહેલી હરોળમાં બેઠા હતા. પણ આ હરોળમાં બેસનારા મહેમાનોની યાદીમાં નાયબ મુખ્યમંત્રી રહી ચુકેલા સુશીલ મોદીનું નામ ન હતું.
આમણે લીધા શપથ | કયા કોટામાંથી મંત્રી બન્યા | ક્યાંથી ધારાસભ્ય | |
1. | તારકિશોર | ભાજપ | વૈશ્ય સમુદાયમાંથી આવે છે. ભાજપ વિધાનમંડળના નેતા. 4 વાર કટિહારથી ધારાસભ્ય, સુશીલ મોદીના ખાસ |
2. | રેણુદેવી | ભાજપ | ભાજપ વિધાનમંડળના ઉપનેતા. અતી પછાત નોનિયા સમુદાયમાંથી આવે છે.બેતિયાથી ધારાસભ્ય, ગઈ વખતે નીતીશ સરકારમાં પણ મંત્રી હતા. અતિ પછાત વર્ગમાંથી આવે છે. |
3. | વિજય ચૌધરી | જેડીયુ | ગઈ વખતે વિધાનસભાના સ્પીકર હતા. નીતીશના ખાસ. આ વખતે સરાયરંજનથી જીત્યા. અહીંથી 6 વાર ધારાસભ્ય છે. |
4. | વિજેન્દ્ર યાદવ | જેડીયુ | 74 વર્ષના યાદવ સૌથી ઉંમરલાયક મંત્રી. જેપી આંદોલન સમયથી રાજકારણમાં છે. સુપૌલમાં 1990થી સતત ધારાસભ્ય છે. ગઈ સરકારમાં ઉર્જામંત્રી હતા. |
5. | અશોક ચૌધરી | જેડીયુ | મહાદલિત વર્ગથી છે. JDUના કાર્યકારી અધ્યક્ષ છે અને નીતીશના નજીકના છે. એક સમયે કોંગ્રેસમાં હતા. |
6. | મેવાલાલ ચૌધરી | જેડીયુ | કુશવાહા વર્ગથી છે. તારાપુરથી ધારાસભ્ય છે. બીજીવાર ધારાસભ્ય બન્યા અને રાજનીતિમાં આવતા પહેલાં રાજેન્દ્ર કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ હતા. |
7. | શીલા કુમારી | જેડીયુ | અતિ પછાતવર્ગમાંથી છે. મધુબનીના ફૂલપરાસથી પહેલીવાર ધારાસભ્ય બન્યા. નીતીશના ખાસ માનવામાં આવે છે. |
8. | સંતોષ માંઝી | હમ | મહાદલિત વર્ગમાંથી છે અને વિધાન પરિષદના સભ્ય છે. જીતનરામ માંઝીના દીકરા છે. તેમને વિધાન પરિષદથી મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. |
9. | મુકેશ સહની | VIP | નિષાદ વર્ગમાંથી આવે છે. મહાગઠબંધન છોડી NDAમાં આવ્યા છે. સિમરી બખ્તિયારપુરથી હાર્યા પછી પણ મંત્રી બનાવવામાં આવ્યા. VIPના અધ્યક્ષ છે. પાર્ટીએ 4 સીટો જીતી. |
10. | મંગલ પાંડે | ભાજપ | બ્રાહ્મણ સમુદાયમાંથી છે. વિધાન પરિષદના સભ્ય છે. ગઈ સરકારમાં સ્વાસ્થય મંત્રી હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ રહ્યા છે. |
11. | અમરેન્દ્ર પ્રતાપ સિંહ | ભાજપ | આરાથી ધારાસભ્ય. રાજપૂત વર્ગથી છે. તેમના પિતા હરિહર સિંહ બિહારના સીએમ રહી ચૂક્યા છે. વિધાનસભા અધ્યક્ષની રેસમાં છે. |
12. | રામપ્રીત પાસવાન | ભાજપ | પાસવાન સમૂદાયમાંથી છે. મધુબનીના રાજનગરથી સતત ત્રણ વાર જીત્યા છે. |
13. | જીવેશ મિશ્રા | ભાજપ | દરભંગાથી સતત બીજી વાર ધારાસભ્ય બન્યા છે. ભૂમિહાર સમૂદાયમાંથી આવે છે. મૈથિલીમાં શપથ લીધા. |
14. | રામ સૂર તરાય | ભાજપ | યાદવ સમૂદાયમાંથી આવે છે. મુઝફ્ફરપુપના ઔરાઈથી બીજી વાર ધારાસભ્ય બન્યા. |
સુશીલ કુમાર મોદીએ નીતીશ કુમારને શુભેચ્છા પાઠવી
તાજપોશીમાં તેજસ્વી હાજર ન રહ્યા
RJD નેતા તેજસ્વી યાદવ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા નહતા. ભાસ્કરના રિપોર્ટ પ્રમાણે, તેજસ્વી બે દિવસથી ઘરની બહાર નથી નીકળ્યા. તેજસ્વીએ હાર નથી માની. તેઓ ચૂંટણીપરિણામ વિરુદ્ધ કાયદાકીય લડાઈ લડવા માટે દિલ્હીમાં નિષ્ણાતો પાસેથી સલાહ સૂચન લઈ રહ્યા છે. આ જ કારણે મહાગઠબંધન(RJD,કોંગ્રેસ, ડાબેરી)પણ શપથ ગ્રહણ સમારોહનો બોયકોટ કરશે.
राजद शपथ ग्रहण का बायकॉट करती है। बदलाव का जनादेश NDA के विरुद्ध है। जनादेश को 'शासनादेश' से बदल दिया गया। बिहार के बेरोजगारों,किसानो,संविदाकर्मियों, नियोजित शिक्षकों से पूछे कि उनपर क्या गुजर रही है।NDA के फर्ज़ीवाड़े से जनता आक्रोशित है। हम जनप्रतिनिधि है और जनता के साथ खड़े है
— Rashtriya Janata Dal (@RJDforIndia) November 16, 2020
સ્પીકર ભાજપના હશે
આ વખતે સ્પીકર ભાજપના હશે.સોમવારે બપોર સુધી અમરેન્દ્ર પ્રતાપ સિંહ અને નંદકિશોર યાદવનાં નામની ચર્ચા હતી. હવે નંદકિશોરનું નામ આગળ છે. અમરેન્દ્રને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. તે આરાથી ધારાસભ્ય છે. આ પહેલાં તેઓ ડેપ્યુટી સ્પીકર રહી ચૂક્યા છે, સાથે જ યાદવ પટના સાહિબથી ધારાસભ્ય છે. તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. ગત વખતે સ્પીકર રહી ચૂકેલા વિજય કુમારને પણ મંત્રી બનાવવામાં આવી રહ્યા છે.
સુશીલે રવિવારે ટ્વીટ કર્યું હતું, કાર્યકર્તાનું પદ તો કોઈ ન છીનવી શકે.
भाजपा एवं संघ परिवार ने मुझे ४० वर्षों के राजनीतिक जीवन में इतना दिया की शायद किसी दूसरे को नहीं मिला होगा।आगे भी जो ज़िम्मेवारी मिलेगी उसका निर्वहन करूँगा।कार्यकर्ता का पद तो कोई छीन नहीं सकता।
— Sushil Kumar Modi (@SushilModi) November 15, 2020
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.