કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે, બેંગલુરુ-મેૈસૂર એક્સપ્રેસ વેનું ઉદઘાટન ફેબ્રુઆરીના અંત સુધીમાં કરવામાં આવશે. આ પ્રસંગે તેમણે એવું પણ કહ્યું હતું કે આ એક્સપ્રેસ વેના કારણે બંને શહેર વચ્ચેની મુસાફરીનો સમય પણ હવે ઘટીને 90 મિનિટ થઈ જશે. અત્યારે બેંગલુરુથી મૈસુર પહોંચવામાં ત્રણ કલાક જેટલો સમય લાગે છે. નિર્માણાધીન એક્સપ્રેસ વેનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ યોજેલી પ્રેસ-કોન્ફરન્સમાં ગડકરીએ એનાં ભરપૂર વખાણ પણ કર્યા હતા. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, તમે જ્યારે પણ આ એક્સપ્રેસ વે પરથી પસાર થશો ત્યારે મને યાદ કરશો. બેંગલુરુ-મૈસૂર એક્સપ્રેસ વેની એવી એ કેવી ખાસિયતો છે કે ગડકરી તેના પર મોહી પડ્યા તે જુઓ આજની DB REELમાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.