મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં શનિવારે સવારે આગ લાગવાથી 10 નવજાતનાં મોત થયાં છે. ઘટના સિક ન્યૂબોર્ન કેર યુનિટ(SNCU)માં બની હતી. પ્રારંભિક રીતે આ ઘટના માટે હોસ્પિટલ પ્રશાસનને જવાબદાર ગણવામાં આવે છે. વોર્ડમાં 17 બાળક હતાં, એમાંથી 7 બાળકને બચાવી લેવાયાં છે.
હોસ્પિટલના મેડિકલ ઓફિસર પ્રમોદ ખંડાતેના જણાવ્યા પ્રમાણે, મોડી રાતે લગભગ 2 વાગ્યાની આસપાસ દુર્ઘટના બની હતી. ન્યૂબોર્ન યુનિટમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. નર્સે દરવાજો ખોલી જોયું કે વોર્ડમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. તેણે તરત જ સિનિયર ડોક્ટર્સને જાણ કરી. કર્મચારીઓએ બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું, પણ ત્યાં સુધીમાં 10 માસૂમ દમ તોડી ચૂક્યા હતા. 7 બાળકને બચાવી લેવાયાં છે. તેમને બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે.
હોસ્પિટલની બેદરકારીના પુરાવા
આ ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા કલેક્ટર સંદીપ કદમ, SP વસંત જાધવ, ASP અનિકેત ભારતી, જિલ્લા સર્જન ડો. પ્રમોદ ખંડાતે ઘટનાસ્થળ પર હાજર છે. સ્વાસ્થ્ય ડે. ડાયરેક્ટર સંજય જયસ્વાલ પણ નાગપુરથી ભંડારા માટે રવાના થઈ ચૂક્યા છે. સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે આ એકદમ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. શ્વાસ રૂંધાવાથી મરનારાં બાળકોનું પોસ્ટમાર્ટમ નહીં કરાય. ઘટના પાછળનું કારણ શોધીને દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.