રેલવેમાં નોકરીના બદલામાં જમીન કેસમાં CBI મંગળવારે લાલુ યાદવની દિલ્હીમાં પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે. CBIની ટીમે તેમની દીકરી મીસા ભારતીના ઘરે લાલુને 3 કલાક સવાલ-જવાબ કર્યાં. ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ છે. બીજી બાજુ રોહિણી આચાર્યએ કહ્યું કે-પપ્પાને કશું થશે તો દિલ્હી સરકારને હલાવી દઈશું.
લેન્ડ ફોર જોબ કૌભાંડમાં સીબીઆઈની ચાર્જશીટ પર કોર્ટે સમન્સ જારી કર્યું છે. સીબીઆઈએ ચાર્જશીટમાં લાલુ પ્રસાદ ઉપરાંત રાબડી દેવી અને અન્ય 14 લોકોને આરોપી બનાવ્યા છે. રાબડી, લાલુ અને મીસાને 15 માર્ચે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
થોડા મુખ્ય સવાલ, જે CBIને રાબડી દેવીને પૂછ્યા
CBIના આ આરોપ છે
લાલુના રેલમંત્રી (2004થી 2009) રહેતાં લેન્ડ ફોર જોબ કૌભાંડ થયું હતું. સીબીઆઈનો આરોપ છે કે સભ્યોના નામ પર જમીન અને પ્રોપર્ટી ટ્રાન્સફર કરી દેવામાં આવી. બદલામાં રેલવેના વિવિધ ઝોન મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં નોકરી આપી. લાલુ પરિવારે આ સંપત્તિ એવા લોકો પાસેથી લીધી, જે પટનાના નિવાસી હતા અથવા જેમણે પોતાનાં પરિવારજનોની એ સંપત્તિને વેચી લાલુ પરિવારજનોનાં નામ પર ગિફ્ટ કરી.
CBIના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારે લાલુ યાદવના પરિવારે બિહારમાં 1 લાખ સ્ક્વેર ફૂટથી વધારે જમીન લગભગ 26 લાખ રૂપિયામાં પ્રાપ્ત કરી લીધી, જ્યારે એ સમયના સર્કલ રેટ પ્રમાણે જમીનની કિંમત લગભગ 4.39 કરોડ રૂપિયા હતી. ખાસ વાત એ છે કે લેન્ડ ટ્રાન્સફરના મોટા ભાગના કેસમાં જમીનમાલિકને કેશમાં ચુકવણી કરવામાં આવતી.
આ મામલે CBIએ મે 2022માં લાલુ અને તેમના પરિવારના સભ્યો પર ભ્રષ્ટાચારનો નવો કેસ નોંધ્યો હતો
CBIને રાબડીને કહ્યું- આવું કશું જ નથી
CBIએ પૂછ્યું કેટલા લોકોની જમીન લઇને તેમને નોકરી આપી. રાબડીએ કહ્યું- એવું કશું જ નથી. CBIએ પૂછ્યું કે તમારા પરિવારે જ્યારે-જ્યારે જમીન લીધી, એને કેશમાં જ ખરીદી?
રાબડી અને લાલુની પૂછપરછમાં કોણે શું કહ્યું?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.