છત્તીસગઢમાં નક્સલવાદીઓએ જંગલમાં જ હથિયારોની ફેક્ટરીઓ સ્થાપી છે. એટલું જ નહીં તેઓ હથિયારોનું પરીક્ષણ કરવા માટે હુમલાઓ કરી રહ્યાં છે. આ જ કારણ છે કે એપ્રિલમાં દરભા, કોટકપલ્લી જેવા કેમ્પો પર નક્સલીઓએ બીજીએલની મદદથી મોટા હુમલાઓને અંજામ આપ્યો હતો.
ડિટોનેટર માટે નક્સલીઓ તેલંગાણાના કરીમનગર, ખમ્મમ, વારંગલ, આદિલાબાદ જેવા વિસ્તારો પર નિર્ભર રહે છે. અહીંયા મોટી સંખ્યામાં અલગ અલગ ખાણો ચાલે છે. આ વચ્ચે નક્સલીઓ પોતાના વિસ્તારના યુવાનોને ત્યાં ખાણમાં કામ પર મોકલવાના બહાને ત્યાંથી ડિટોનેટરની ચોરી કરાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.