પંજાબમાં પાછલા 100 દિવસમાં 59 લોકોનાં મોત નશાના ઓવરડોઝથી થઈ ચૂક્યાં છે. એટલે કે દર બીજા દિવસે પંજાબ એક દીકરો ગુમાવી રહ્યું છે. મૃતકોમાં 60% યુવકોની ઉંમર 28 વર્ષથી ઓછી હતી. 90% મામલામાં મરનારાએ નશો પોતાના ગામથી લીધો હતો. આ ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે નશાથી જીવ ગુમાવનારા દીકરાઓના ગામે ભાસ્કર ટીમ પહોંચી.
ભઠીંડાના તલબંડી સાબો હલકે સ્થિત ગામ સિંગોમાં એક જ પરિવારના ચાર દીકરાઓને ગુમાવનારી મહિલાઓ સંતાપ કરતી જોવા મળી. પરિવારમાં માતમ કરનારો કોઈ પુરૂષ નહોતો. જલંધર કેન્ટના મોહલ્લો-31 હોય કે પછી ફાજિલ્કાના ગામ ભંબા બટ્ટૂ કે પછી કાલે ધન્નુપુર (અમૃતસર)..તમામ સ્થળે પરિવારોએ એક જ વાત કહી કે તેમના દીકરાઓને નશો બીજે ક્યાંયથી નહીં, પરંતુ ગામથી જ ખરીદ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.