ભૂતપુર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીના નજીકના સહયોગી શિવકુમાર પારીકનું શનિવારે અવસાન થયું છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા ઉપર આ માહિતી આપી હતી.
તેમણે લખ્યું- જનસંઘના સમયથી ભૂતપુર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય અટલ જીના ઘનિષ્ઠ સહયોગી રહેલા શ્રી શિવકુમાર પારીકજીનું અવસાન થયાના સમાચારથી ભારે દુઃખ થયું છે. રાષ્ટ્રવાદી વિચારો, માનવીય મૂલ્યો અને આદર્શોથી તેમણે અસંખ્ય કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કર્યું હતું.
પારીકનું શનિવારે ઉપચાર સમયે દિલ્હીમાં અવસાન થયું હતું. તેઓ 83 વર્ષની વય ધરાવતા હતા. તેમના અંતિમ સંસ્કાર રવિવારે સવારે સાડા દસ વાગે જયપુરના ચાંદપોલ સ્થિત મોક્ષધામ ખાતે કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્વયંસેવક રહી ચુકેલા પારીક જનસંઘના સમયથી જ સ્વ.વાજપેયી સાથે રહ્યા હતા. વાજપેયીના અંતિમ સમય સુધી પારીક તેમની સાથે રહ્યા હતા.
ભાજપ નેતા ઘનશ્યામ તિવાડીએ કહ્યું કે વર્ષ 1968માં સ્વ. વાજપેયીને કોઈ સહયોગીની જરૂરનો અહેસાસ થયો તો તેમની સાથે તેમના છાયાની માફક રહે તેવી વ્યક્તિની જરૂર હતી. તે સમયે નાનાજી દેશમુખે તેમને પારીકનું નામ સુચવ્યું હતું. સ્વ.પારીકના બે દીકરા મહેશ અને દિનેશ છે. પારીકનો પરિવાર જયપુરના મૂળ નિવાસી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.