મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ત્રણ માદા ચિત્તાના બચ્ચાના મોત બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે. પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટીની રચના કરવામાં આવી છે. હવે ચિત્તા સંબંધિત કોઈપણ નિર્ણય આ સમિતિના સભ્યોની સંમતિથી જ લેવામાં આવશે. 17 સપ્ટેમ્બર 2022ના રોજ 20 ચિત્તાઓને બે તબક્કામાં નામિબિયા અને દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવ્યા હતા અને અહીં સ્થાયી કરાયા હતા. હવે તેમાંથી 17 પુખ્ત ચિત્તા અને 1 બચ્ચું જ જીવિત છે.
કમિટી આ નિર્ણય લઈ શકશે
નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) એ મધ્યપ્રદેશ સરકારના અન્ડર ચીફ સેક્રેટરી (ACS) સાથેની બેઠકમાં ચિત્તા પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટીની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો. સમિતિ/ટાસ્ક ફોર્સમાં વિવિધ વન્યજીવ સંસ્થાઓના સભ્યો, અધિકારીઓ અથવા ભૂતપૂર્વ અધિકારીઓ, સામાજિક કાર્યકરો અને અન્ય સંસ્થાઓના સભ્યોનો સમાવેશ થશે. ટાસ્ક ફોર્સની જવાબદારીઓ નીચે પ્રમાણે રહેશે...
ત્રણ ચિત્તા પહેલા જ મૃત્યુ પામ્યા
તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનામાં કુનો નેશનલ પાર્કમાંથી 3 ચિત્તાના મોત થયા છે. સિયાયા (જ્વાલા) ચિત્તાએ 24 માર્ચે 4 બચ્ચાને જન્મ આપ્યો હતો, પરંતુ અત્યાર સુધીમાં આમાંથી ત્રણ બચ્ચા મૃત્યુ પામ્યા છે જ્યારે એકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હવે કુનો પાર્કમાં 17 પુખ્ત ચિત્તા અને 1 બચ્ચું છે. વન્યજીવ નિષ્ણાંતોએ પણ વારંવાર થતા મોત અંગે ચિંતા વ્યક્ત કરી છે.
પીએમ મોદીએ આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી
ભારતમાં ચિતા પ્રોજેક્ટની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિવસ, 17 સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવી હતી, ત્યારબાદ 20 ચિત્તાઓને બે તબક્કામાં નામિબિયા અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યા હતા અને અહીં સ્થાયી કરાયા હતા. PCCF વાઇલ્ડલાઇફ જસવીર સિંહ ચૌહાણે આજ તકને ફોન પર જણાવ્યું હતું કે કુનો પાર્કમાં ભારે ગરમી અને લૂ વધી રહ્યા છે અને 23 મેના રોજ મહત્તમ તાપમાન 46-47 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. બાકીના ચિત્તાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.