તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડૂત આંદોલન વિશે સેલિબ્રિટીઝની સોશિયલ મીડિયા કમેન્ટ પર મહારાષ્ટ્ર સરકાર કડક પગલાં લે એવી શક્યતા છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે દરેક કોમેન્ટ્સની તપાસના આદેશ આપ્યા છે. આ દાવો મુંબઈ કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંત તરફથી કરવામાં આવ્યો છે. ખેડૂત આંદોલન વિશે ક્રિકેટર સચિન તેંડુલકર, વિરાટ કોહલી, એક્ટ્રેસ કંગના રનૌત, સ્વર કોકિલા લતા મંગેશકર, અભિનેતા અક્ષય કુમાર, અજય દેવગણ સહિત ઘણી સેલિબ્રિટીએ ટિપ્પણી કરી હતી.
ગૃહમંત્રીને સોંપવામાં આવ્યા સ્ક્રીનશોટ
સોમવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતની ઓનલાઈન મીટિંગ થઈ હતી. એમાં સાવંતે શંકા વ્યક્ત કરી હતી કે સેલેબ્સે કોમેન્ટ્સ કેન્દ્ર સરકારના દબાણમાં આવીને કરી છે. સાવંતે સેલેબ્સની એ સોશિયલ મીડિયા કોમેન્ટ્સ પણ દેખાડી ,જે લગભગ એકસરખી જ હતી. ત્યાર પછી દેશમુખે આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. ઘટનાની તપાસ ઈન્ટેલિજન્સ વિભાગ સાથે કરાવવામાં આવશે. આવું પહેલીવાર થશે કે આ સેલિબ્રિટીની કોમેન્ટની મહારાષ્ટ્રમાં તપાસ કરવામાં આવશે. ગૃહમંત્રી દેશમુખ કોરોના સંક્રમિત થયા પછી નાગપુરમાં આવેલા ઘરે છે અને ઓનલાઈન કામકાજ જોઈ રહ્યા છે.
દરેક ટ્વીટમાં એક જેવા જ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે
આ વિશે સચિન સાવંતે કહ્યું છે કે રિહાનાની કમેન્ટ્સ પછી વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા પછી કોમેન્ટ્સની એક યાદી જોવા મળી છે. કોઈપણ વ્યક્તિ, ભલેને તે પછી કોઈ સેલિબ્રિટી કેમ ના હોય, પરંતુ તે પોતાની રીતે કોમેન્ટ કરે તો એમાં ખરાબ કશું નથી, પણ અમને શંકા છે કે આ કોમેન્ટ્સની પાછળ બીજેપીનો હાથ છે, કારણ કે દરેક ટ્વીટ્સમાં 'सौहार्दपूर्ण' જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
#WATCH | There was series of tweets after MEA's response to Rihanna's tweet. If a person opines on their own, it's fine but there's scope of suspicion that BJP could be behind this...Spoke to HM Deshmukh. He has given orders to Intelligence dept to probe: Congress' Sachin Sawant pic.twitter.com/kutYYJjxqG
— ANI (@ANI) February 8, 2021
સેલિબ્રિટીને મળવી જોઈએ સુરક્ષા
સાવંતે કહ્યું છે કે જો ભાજપ આપણા રાષ્ટ્રીય સેલિબ્રિટીને ડરાવતી હોય તો તેમને સુરક્ષા આપવી જોઈએ. અમે આ વિશે ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે પણ વાત કરી છે. તેમણે આ વાતને ગંભીર ગણાવી છે. એ સાથે આ વિશે ઈન્ટેલિજન્સ એજન્સીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
આ રીતે જાહેર થઈ મીટિંગની વાતો
આ મીટિંગમાં થયેલી વાતોને જાહેર કરતાં સચિન જોગ નામની વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ઝૂમ કોલ દ્વારા થયેલી મીટિંગોમાં આ તથ્યો સામે આવ્યાં છે કે ઘણી સેલિબ્રિટીએ કેન્દ્રના દબાણમાં આવીને ખેડૂત આંદોલન વિશે કમેન્ટ કરી છે. તેની તપાસ સ્ટેટ ઈન્ટેલિજન્સ વિભાગ કરશે. આ ટ્વીટને કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતે રિટ્વીટ કર્યું છે. એના આધારે જ માનવામાં આવે છે કે આ કમેન્ટમાં લખેલી વાત સાચી છે.
અમુક સેલિબ્રિટીનાં ટ્વીટ
Farmers constitute an extremely important part of our country. And the efforts being undertaken to resolve their issues are evident. Let’s support an amicable resolution, rather than paying attention to anyone creating differences. 🙏🏻#IndiaTogether #IndiaAgainstPropaganda https://t.co/LgAn6tIwWp
— Akshay Kumar (@akshaykumar) February 3, 2021
India’s sovereignty cannot be compromised. External forces can be spectators but not participants.
— Sachin Tendulkar (@sachin_rt) February 3, 2021
Indians know India and should decide for India. Let's remain united as a nation.#IndiaTogether #IndiaAgainstPropaganda
#IndiaTogether #IndiaAgainstPropaganda pic.twitter.com/JpUKyoB4vn
— Lata Mangeshkar (@mangeshkarlata) February 3, 2021
મહારાષ્ટ્ર સરકાર કેવી રીતે તપાસ કરશે?
ખેડૂત આંદોલન પર સેલિબ્રિટીએ કરેલાં ટ્વીટની તપાસ કરીશું એવી વાત મહારાષ્ટ્ર સરકારે કરી છે. ટ્વીટ પર સરકાર કેવી રીતે તપાસ કરશે એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. શું સરકાર સેલિબ્રિટીના ફોન ચેક કરશે? રૂબરૂ બોલાવીને પૂછપરછ કરશે? કે પછી સાઇબર સેલની મદદથી ડેટાની તપાસ કરશે?
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.