તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્રીય કેબિનેટે બુધવારે નવી શિક્ષણ નીતિ (National Education Policy 2020) ને મંજૂરી આપી દીધી છે. 1986 બાદ પહેલી વખત દેશની શિક્ષણ નીતિ બદલવા જઇ રહી છે. નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ ઇસરોના વૈજ્ઞાનિક રહી ચૂકેલા શિક્ષણવિદ કે. કસ્તૂરીરંગનના નેતૃત્વવાળી કમિટીએ બનાવ્યો છે.
શિક્ષણ નીતિ લાવવાની જરૂરિયાત કેમ જણાઇ ?
શિક્ષણ જગતમાં હવે શું નવું થશે ?
શિક્ષણ નીતિને સમજવા માટે અમે દેશના જાણીતા તજજ્ઞોને સંપર્ક કર્યો અને તમારા માટે સરળ ભાષામાં આ પોલિસીને સવાલ-જવાબ ફોર્મેટમાં રજૂ કરી રહ્યા છીએ.
સવાલ- સ્કૂલમાં અભ્યાસના માળખામાં કેવા પ્રકારનો બદલાવ દેખાશે ?
આખી વ્યવસ્થા બદલી ગઇ છે. વર્તમાન વ્યવસ્થામાં ત્રણ સ્તર છે અને નવી સિસ્ટમમાં પાંચ સ્તર છે. દરેક સ્તરે કૌશલ્ય ધરાવતી પેઢીનું નિર્માણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ શરૂઆત થશે. તેને ગ્રાફિકની મદદથી તમે આ રીતે સમજી શકો છો-
સવાલ- બોર્ડની પરીક્ષાઓનું શું થશે ?
નવી શિક્ષણ નીતિમાં નિયમિત અને ક્રિએટિવ એસેસમેન્ટની વાત કહેવામા આવી છે. ધોરણ 3,5 અને 8મા સ્કૂલની પરીક્ષાઓ થશે. તેને એક કચેરી દ્વારા સંચાલિત કરવામા આવશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે. તેનું સ્વરૂપ બદલી જશે. નવું નેશનલ એસેસમેન્ટ સેન્ટર ‘પરખ’સ્થાપિત કરવામા આવશે.
સવાલ-ECCE ફ્રેમવર્ક શું છે જેની ચર્ચા થઇ રહી છે ?
ECCEનો અર્થ છે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. તેમાં બાળપણને બાળકની જે દેખરેખ કરવામા આવે છે તેને શિક્ષણ સાથે જોડવામાં આવ્યું છે. NCERT તેના માટે નેશનલ કોર્સ અને એજ્યુકેશનલ સ્ટ્રક્ચર બનાવશે. બાળકોની દેખરેખ અને અભ્યાસ પર ફોકસ રહેશે. આંગણવાડી કાર્યકર્તા અને બેઝિક ટીચર્સને સ્પેશ્યલ ટ્રેનિંગ આપવામા આવશે. ત્રણથી આઠ વર્ષની ઉંમરના બાળકોને બે ભાગમાં વહેંચવામા આવ્યા છે. પહેલા ભાગમાં 3-6 વર્ષના બાળકો ECCEમાં રહેશે. ત્યારબાદ 8 વર્ષ સુધી તે પ્રાઇમરીમાં અભ્યાસ કરશે.
સવાલ- ઓપન લર્નિંગ ઓપ્શન શું છે ?
ધોરણ 3,5 અને 8 માટે ઓપન લર્નિંગ વિકલ્પ રહેશે જેથી સ્કૂલથી બહાર રહેતા બે કરોડ વિદ્યાર્થીઓને ફરી અભ્યાસ સાથે જોડી શકાય. તેના માટે સામાજિક કાર્યકર્તાઓને પણ જોડવામા આવશે. તેની સાથે ધોરણ 10 અને 12 સમકક્ષ માધ્યમિક શિક્ષા કાર્યક્રમ, વોકેશનલ કોર્સ, વયસ્ક સાક્ષરતા અને લાઇવલીહુડ પ્રોગ્રામ પ્રસ્તાવિત છે. દરેકને અભ્યાસનો બરાબર હક મળે તેના માટે સામાજિક અને આર્થિક રીતે પછાત ગ્રુપ પર વિશેષ ભાર મૂકવામા આવશે. તેના માટે ખાસ ફન્ડ રાખવામા આવશે.
સવાલ- ઇન્ટર્નશિપનો શું કોન્સેપ્ટ છે ?
અત્યારે શિક્ષણનું ફોકસ એ વાત પર છે કે કેવી રીતે લાભ પ્રાપ્ત થાય. પરંતુ નવી સિસ્ટમમાં સંપૂર્ણ ફોકસ વ્યવહાર પર આધારિત શિક્ષણ પર રહેશે. શાળામાં ધોરણ 6થી જ વ્યવસાયિક શિક્ષણ શરૂ થઇ જશે. તેમાં ઇન્ટર્નશિપ સામેલ રહેશે જેથી બાળકોને ઉદ્યોગ અથવા સંસ્થામાં જઇને ફર્સ્ટહેન્ડ એક્સપીરિયન્સ આપી શકાય.
સવાલ- ત્રિભાષા ફોર્મ્યુલા શું છે?
નવી શિક્ષણ નીતિમાં ઓછામાં ઓછા 5 ધોરણ સુધી બાળકો સાથે વાતચીતનો માધ્યામ માતૃભાષા/સ્થાનિક ભાષા/ક્ષેત્રીય ભાષા રહેશે. વિદ્યાર્થીઓને શાળાના દરેક સ્તર અને ઉચ્ચ શિક્ષણમાં સંસ્કૃત એક વિકલ્પ તરીકે પસંદ કરવાનો અવસર મળશે. ત્રિભાષા ફોર્મ્યુલામાં આ વિક્લપ સામેલ રહેશે. પરંપરાગત ભાષાઓ અને સાહિત્યના પણ વિકલ્પ હશે. અમુક વિદેશી ભાષાઓને પણ માધ્યમિક સ્તરે એક વિકલ્પ તરીકે પસંદ કરી શકાશે. ભારતીય સંકેત ભાષા મતલબ કે સાઇન લેંગ્વેજને પણ સામેલ કરવામા આવશે અને મૂકબધિર વિદ્યાર્થીઓના ઉપયોગ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરી પાઠ્યક્રમ વિકસિત કરવામા આવશે.
સવાલ- સ્કૂલનું માળખું કેવી રીતે બદલાશે ?
સ્કૂલોના પરંપરાગત માળખાને ઘણા સ્તરે બદલવામા આવી રહ્યું છે. સ્કૂલને પરિસર અથવા તો ક્લસ્ટરમાં વહેંચવામા આવી શકે છે, જે વહીવટનું મૂળ એકમ હશે. રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સ્વતંત્ર સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી બનાવશે. SCERT દરેક સંબંધિત સાથે સંવાદ કરીને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ ફોર્મેટ બનાવશે.
સવાલ- હાયર એજ્યુકેશન માટે શું વિચાર્યું છે ?
સૌથી પહેલા તો એનરોલમેન્ટ વધારવાનું છે. વોકેશનલ સાથે હાયર એજ્યુકેશનમાં એનરોલમન્ટ 26.3 ટકા (2018)થી વધારીને 2035 સુધી 50 ટકા સુધી કરવાનું છે. 3.5 કરોડ નવી સીટ સામેલ કરવામા આવશે. કોલેજમાં એક્ઝિટ વિકલ્પ મળશે. અંડર ગ્રેજ્યુએટ શિક્ષણ 3-4 વર્ષનું હશે. એક વર્ષ પર સર્ટિફિકેટ, 2 વર્ષ પર એડવાન્સ્ડ ડિપ્લોમા, 3 વર્ષ પર ગ્રેજ્યુએટ ડિગ્રી અને 4 વર્ષ બાદ રિસર્ચ સાથે ગ્રેજ્યુએટ.
સવાલ- કોલેજ/યુનિવર્સિટીનું માળખું કેવી રીતે બદલાશે ?
મેડિકલ અને કાયદાના શિક્ષણને છોડીને સમગ્ર હાયર એજ્યુકેશન માટે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા બનાવવામા આવશે. તે UGCનું સ્થાન લેશે. IIT અને IIM કક્ષાના મલ્ટી- ડિસીપ્લીનરી એજ્યુકેશન અને રિસર્ચ યુનિવર્સિટી બનાવવામા આવશે. તે ગ્લોબલ સ્ટાન્ડર્ડને ફોલો કરશે.
ટોપ બોડી તરીકે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બનાવવામા આવશે જેનો ઉદ્દેશ્ય હાયર એજ્યુકેશનમાં રિસર્ચને એક કલ્ચર તરીકે વિકસિત કરવાનો તેમજ ક્ષમતા વધારવાનો હશે. યુનિવર્સિટીની વ્યાખ્યા પણ બદલવાની છે. તેમાં રિસર્ચ-ફોકસ્ડ યુનિવર્સિટીથી ટીચીંગ ફોકસ્ડ યુનિવર્સિટી અને ડિગ્રી આપનારી સ્વાયત્ત કોલેજ સામેલ હશે.
15 વર્ષમાં ધીમે ધીમે કોલેજોની સંબદ્ધતા ખતમ કરવામા આવશે. તેમને ધીમે ધીમે સ્વાયત્ત બનાવવામા આવશે. આ કોલેજ આગામી દિવસોમાં કાં તો ડિગ્રી આપનાર સ્વાયત્ત કોલેજ બનશે અથવા તો કોઇ યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજ.
NCERTની મદદથી NCTE ટીચર્સ ટ્રેનિંગ માટે નવો અને વ્યાપક નેશનલ કરિકુલમ સ્ટ્રક્ચર તૈયાર કરશે. ભણાવવા માટે લઘુતમ લાયકાત 4 વર્ષની ઇન્ટિગ્રેટેડ બીએડ ડિગ્રી રહેશે.
સવાલ-ઓનલાઇન એજ્યુકેશન અને વિદેશી યુનિવર્સિટી માટે શું છે ?
સ્કૂલ-કોલેજ માટે ઓનલાઇન એજ્યુકેશનની જરૂરિયાતોને પૂરી કરવા માટે મંત્રાલયમાં એક ડિજિટલ સ્ટ્રક્ચર, ડિજિટલ કન્ટેન્ટ અને કેપેસિટી બિલ્ડિંગ માટે સમર્પિત યુનિટ બનાવવામા આવશે.
શિક્ષણને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવા માટે ટોપ ગ્લોબલ રેન્કિંગ ધરાવતી યુનિવર્સિટી અથવા કોલેજોને ભારતમાં બ્રાન્ચ ખોલવાની મંજૂરી આપવામા આવશે.
Q- નવી નીતિ ક્યારે લાગુ થશે અને ફેરફાર ક્યારે જોવા મળશે?
હાલ આ અંગે કંઈ કહી શકાય નહીં. વાસ્તવમાં આ બધા ફેરફાર આગામી વર્ષોમાં જોવા મળશે. આ માટે કોઈ ડેડલાઈન પણ આ નીતિમાં આપવમાં આવી નથી.
આ કારણે ચિંતા પણ સેવાઈ રહી છે કે સરકારે નવી શિક્ષણ નીતિમાં જે વચન આપ્યા છે, તે પૂરા કરશે કે નહીં. પહેલા પણ ફેરફારની વાત થઈ હતી, પણ થઈ શક્યા ન હતા.
Sponsored By
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.