• Gujarati News
  • National
  • Every Indian Wants This; Because Their Hatred For PM Changed Into Hatred For The Country

સ્મૃતિએ કહ્યું- રાહુલ સંસદમાં આવી માફી માગે:દરેક ભારતીય આવું ઈચ્છે છે; કારણ કે PM માટે તેમની નફરત, દેશ પ્રત્યેની નફરતમાં બદલાઈ ગઈ

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બજેટ સત્રના ત્રીજા દિવસની શરૂઆત પહેલા સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર વિદેશમાં દેશનું અપમાન કરવા, સંસદમાં ગેરહાજર રહેવા અને માફી ના માગવાને લઈ શાબ્દિક પ્રહારો કર્યા હતા. એક પ્રેસ કોન્ફરન્સમાં સ્મૃતિએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની પીએમ મોદી માટે નફરત હવે દેશ માટે નફરતમાં બદલાઈ ગઈ છે. તેથી દરેક ભારતીયની માગ છે કે, તેઓ સંસદમાં આવી માફી માગે.

જોકે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સ્મૃતિ ઈરાનીના આરોપો પર જણાવ્યું કે, હું માફી માગનારાઓને એક પ્રશ્ન પૂછવા માગુ છું. પીએમ મોદી પણ 5-6 દેશોમાં ગયા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં જન્મ લેવો પાપ છે. અભિવ્યક્તિની આઝાદીને નબળી પાડવામાં આવી રહી છે. સાચુ બોલનારાઓને જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે. આ લોકશાહીનો અંત નથી તો શું છે?

તેથી માફી માગવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. અમે પણ તેમને પૂછીશું કે, તમે આટલા દેશોમાં ગયા અને અહીંના લોકોનું અપમાન કર્યું. રાહુલ ગાંધીએ તો ફક્ત લોકશાહી પર વાત કરી હતી. જ્યારે લોકો ચર્ચામાં જાય છે, તો તેઓ પોતાનો અભિપ્રાય રાખે છે.

સ્મૃતિએ રાહુલ ગાંધી પર આ આરોપ પણ લગાવ્યા

  • ભારતને ગુલામ બનાવવાનો ઈતિહાસ ધરાવતા દેશની મુલાકાત લઈને રાહુલ ગાંધીએ વિદેશી તાકતોને આહ્વાન કર્યું હતું.
  • ભારતની લોકતાંત્રિક વ્યવસ્થાઓના ધજાગરા ઉડાવતા રાહુલ ગાંધીએ અફસોસ વ્યક્ત કર્યો કે વિદેશી તાકતો ભારત પર આવીને હુમલો કેમ નથી કરતા? વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેની તેમની નફરત ભારત પ્રત્યે નફરતમાં ફેરવાઈ ગઈ છે.
  • તેમણે દાવો કર્યો હતો કે, તેમની વાતો ભારતીય યુનિવર્સિટીઓ સુધી પહોંચતી નથી અને આ તેમના માટે લોકશાહીના મૃત્યુની નિશાની છે. મારે એક પ્રશ્ન પૂછવો છે કે, 2016માં રાહુલ ગાંધી દિલ્હીમાં JNU ગયા હતા અને 'ભારત તેરે ટુકડે હોંગે'ના નારાને સમર્થન આપ્યું હતું.
  • બ્રિટનની મુલાકાત દરમિયાન તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. જમ્મુમાં આ સજ્જને ભારત જોડો યાત્રા દરમિયાન જણાવ્યું હતું કે, ઓલ ઈઝ વેલ ઈન ઈન્ડિયા. મિસ્ટર ગાંધી, કયું જૂઠ હતું? ભારતમાં તમારું નિવેદન કે વિદેશમાં તમારું નિવેદન?

રાહુલ ગાંધી સંસદથી ન ભાગે- સ્મૃતિ
કોન્ફરન્સના અંતમાં સ્મૃતિએ જણાવ્યું કે, આજે દરેક ભારતીયની માગ છે કે, રાહુલ સંસદમાં માફી માગે. કારણ કે સંસદ ફક્ત સાંસદોના મેળ-મિલાપની જગ્યા નથી, પરંતુ ભારતીય જનતાનો સામૂહિક અવાજ છે. આ શરમજનક છે કે, રાહુલ ગાંધી સંસદમાં આવવા અને ભારત વિરુદ્ધ પોતાના અલોકતાંત્રિક નિવેદન માટે માફી માગવાના બદલે સંસદમાંથી ગાયબ થવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...