• Gujarati News
  • National
  • Enact New Consumer Protection Law; Find Out What's New On E commerce Sites Like Amazon, Flipkart?

ભાસ્કર એક્સપ્લેનર:નવો ગ્રાહક સુરક્ષા કાયદો અમલી; જાણો અમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ સાઈટ્સ પર તમને શું નવું મળશે?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારે ગ્રાહક સુરક્ષા કાયદો 2019 હેઠળ ઈ-કોમર્સને લગતા નવા નિયમોને મંજૂરી આપી
  • આ કાયદામાં નકલી અને ભેળસેળયુક્ત માલ-સામાન વેચનારને આજીવન કેદની સજાની જોગવાઈ છે

કેન્દ્ર સરકારે ગયા સપ્તાહે ગ્રાહક સુરક્ષા કાયદો 2019 હેઠળ ઈ-કોમર્સને લગતા નવા નિયમોને મંજૂરી આપી હતી. આ નવા નિયમ અમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ જેવી ઈ-કોમર્સ સાઈટ્સને પણ લાગૂ પડશે. આ કાયદામાં ઈ-કોમર્સ સાઈટ્સ માટે અનેક કડક જોગવાઈ કરવામાં છે. નકલી તથા ભેળસેળયુક્ત માલ-સામાન વેચવનારને આજીવન કેદની સજા કરવાની આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કે આ નવા નિયમોથી તમારી ઈ-શોપિંગમાં શું પરિવર્તન આવશે?

શું છે નવો કાયદો અને નવા નિયમ?

  • કેન્દ્ર સરકારે ગયા સપ્તાહે ગ્રાહક સુરક્ષા કાયદો 2019(Consumer Protection Act 2019)ને મંજૂરી આપી છે. હવે આ નવો કાયદો ગ્રાહક સુરક્ષા કાયદો 1986નું સ્થાન લેશે. નવો કાયદો 20 જુલાઈથી લાગૂ થઈ ગયો છે.
  • ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં આ કાયદો ઘડવામાં આવ્યો હતો. પણ વિવિધ નિયમોને પગલે તે લાગૂ કરી શકાયો ન હતો. નવા કાયદામાં એવી અનેક જોગવાઈ કરવામાં આવી છે કે જેમાં ઈ-કોમર્સ કંપનીઓની જવાબદારી નક્કી કરી શકાય.
  • ગ્રાહક સુરક્ષા કાયદો 2019 નામથી જે નવો કાયદો ઘડવામાં આવ્યો છે તેના પ્રકરણ ત્રણની કલમ 10થી 27 અંગે અત્યારે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.
  • જિલ્લા પંચના નિર્ણય સામે રાજ્ય પંચમાં અપીલ કરવાની મુદત 30 દિવસથી વધારી 45 દિવસ કરવામાં આવી છે. હવે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય પંચ પોતાના નિર્ણય રિવ્યૂ પણ કરી શકે છે.
  • નવા કાયદાથી ગ્રાહક વધુ સક્ષમ અને શક્તિશાળી બન્યો છે. જિલ્લા અને રાજ્ય પંચ જો ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપે તો તેની અપીલ રાષ્ટ્રીય પંચમાં થશે નહીં.
  • હવે કન્ઝ્યુમર ફોરમમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરી શકાશે. ઈ-કોમર્સ, ઓનલાઈન, ડાયરેક્ટ સેલિંગ અને ટેલિશોપિંગ કંપનીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે.

જૂના કાયદાની તુલનામાં આ નવો કાયદો કેવી રીતે અલગ છે?

  • કેન્દ્ર સરકારે આ કાયદામાં અનેક ફેરફાર કર્યા છે. અત્યાર સુધી 20 લાખ રૂપિયા સુધીની સુનાવણી ડિસ્ટ્રીક્ટ કન્ઝ્યૂમર ફોરમમાં કરવામાં આવતી હતી. આ મર્યાદાને વધારી એક કરોડ કરવામાં આવી છે.
  • વર્તમાન સમયમાં ગ્રાહકની ફરિયાદોમાં 20 લાખથી વધારે રકમના વિવાદ માટે સ્ટેટ કમિશન સમક્ષ અરજી કરવા જવુ પડતુ હતું.
  • નવા કાયદા પ્રમાણે એક કરોડ રૂપિયાથી વધારે અને 10 કરોડ સુધીના કેસ સ્ટેટ કમિશન સમક્ષ લઈ જઈ શકાશે. બીજી બાજુ 10 કરોડ રૂપિયાથી વધારેના કેસ નેશનલ કમિશન સમક્ષ જશે.

ઈ-કોમર્સ વેબસાઈટ્સ ગ્રાહકોથી કંઈ જ છૂપાવી શકશે નહીં?

  • આ નવા નિયમોને કન્ઝ્યુમર પ્રોટેક્શન (ઈ-કોમર્સ) રુલ્સ 2020 નામ આપવામાં આવ્યુ છે. તેમા ઓનલાઈન રિટેલર્સને રિટર્ન, રિફન્ડની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે.
  • ઈ-કોમર્સ નિયમ એવા તમામ ઈ-રિટેલર્સને લાગૂ પડશે કે જે ભારતીય ગ્રાહકોને ઉત્પાદનો અને સેવાઓ આપી રહી છે. પછી તેનીરજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં હોય કે વિદેશમાં, તેનાથી ફેર નથી પડતો.
  • અમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ સાઈટ્સે ગ્રાહકોને તમામ પ્રકારની માહિતી આપવી પડશે. આ માહિતી ગ્રાહકને શોપિંગ અંગે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે.
  • ગ્રાહકે કહેવું પડશે કે વિક્રેતા સાથે શું સમજૂતી થઈ. તેનું સરનામુ શું છે, પ્રોડક્ટનું ઉત્પાદન ક્યાં થયું, એક્સપાયરી ડેટ, પેમેન્ટ ગેટવેની સેફ્ટી તથા કસ્ટમર કેર નંબર અંગે પણ માહિતી આપવી પડશે.
  • રિટર્નની પ્રોસેસ, રિફંડની પ્રોસેસ તથા વિક્રેતાનું રેટિંગ શું છે તે અંગે જાણકારી આપવી પડશે.ગ્રાહક સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાશે નહીં. એવી જ રીતે વિક્રેતાઓ સાથે પણ કોઈ ભેદભાવ કરી શકાશે નહીં.
  • ગ્રાહકોને એવી બાબત અંગે જાણકારી આપવાની રહેશે કે જે હેઠળ વિક્રેતા સામે ફરિયાદ કરી શકાય છે. ગ્રાહકને તેની ફરિયાદની સુનાવણીની પ્રક્રિયાનું અપડેટ પણ મળતુ રહેશે.
  • અત્યાર સુધી વિક્રેતાઓની જવાબદારી બનતી હતી, પણ હવે ઈ-કોમર્સ કંપનીઓની પણ જવાબદારી રહેશે. કારણ કે, તેમના પ્લેટફોર્મ પર દેખાડવામાં આવતી પ્રોડક્ટને તેમના ગેટવે પર ચુકવણી કરી ખરીદી શકાય છે.

કોઈ પણ સ્થળેથી ફરિયાદ કરી શકાય છે

  • નવા કાયદાથી ગ્રાહકોને ગમે ત્યાંથી ફરિયાદ કરી કરવાનો વિકલ્પ મળી ગયો છે. ગ્રાહક તેમના ઘરની નજીકથી પણ કોઈ પણ ગ્રાહક પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી શકે છે.
  • અગાઉ ગ્રાહકોએ જ્યાંથી માલ-સામાન ખરીદ્યો હોય અથવા જ્યાં વિક્રેતાનની રજિસ્ટર્ડ ઓફિસ હોય ત્યાં રૂબરુ જઈને ફરિયાદ કરવી પડતી હતી. પણ હવે આવી કોઈ જરૂર રહેશે નહીં.
  • ગ્રાહકોને લગતા વિવાદના ઉકેલ માટે નવા નિયમો હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીના કેસ ફાઈલ કરવા પર કોઈ ફી વસૂલવામાં આવશે નહીં
  • જો ફરિયાદકર્તા કેસની સુનાવણીમાં રૂબરુમાં ફોરમ સમક્ષ પહોંચી ભાગ ન લઈ શકે તો તે નવા કાયદા પ્રમાણે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પણ ઉપસ્થિત રહી શકે છે.

ઈ-કોમર્સ વેબસાઈટ પાસે વળતર માંગી શકે છે

  • નવો કાયદો પ્રોડક્ટના ઉત્પાદક, પ્રોડક્ટના સર્વિસ પ્રોવાઈડર અને પ્રોડક્ટના વિક્રેતાને કોઈ પણ વળતરના દાવામાં સામેલ કરી શકે છે.
  • ઈ-રિટેલર્સના વ્યવસાયના નામ સહિત માલ-સામાન તથા સેવાઓ આપનાર વિક્રેતા અંગે સવિસ્તાર માહિતી આપવી પડશે, પછી તે રજીસ્ટર્ડ હોય કે ન હોય.
  • જો કોઈ નકલી-બનાવટી માલસામાન બનાવવા કે વેચાણ કરવામાં દોષિત જણાય તો બે વર્ષ સુધી લાઈસન્સ રદ્દ થશે. બીજી વખત ફરિયાદ મળવાના સંજોગોમાં લાઈસન્સ રદ્દ કરવામાં આવશે.
  • કન્ઝ્યુમર કમિશનમાં મીડીએશન સેલ બનશે. કોઈ પણ ફરિયાદમાં મધ્યસ્થતાની સંભાવના હોય ત્યારે તે આ સેલ દ્વારા ડિલ કરવામાં આવશે. બન્ને પક્ષકારને કોઈ એક સમાધાન પર સહમત કરવા પ્રયત્ન કરવામાં આવશે.

નકલી માલ-સામાનથી મૃત્યુ થવાના સંજોગોમાં આજીવન કારાવાસની જોગવાઈ

  • ગ્રાહકનું ભેળસેળ અને નકલી માલ-સામાન માટે ઉત્પાદકો તથા વિક્રેતાઓને કોર્ટમાં લઈ જઈ શકે છે તથા યોગ્ય વળતરની માંગ કરી શકે છે.
  • નવા કાયદામાં મેન્યુફેક્ચરર અને વિક્રેતા ડિફેક્ટિવ પ્રોડક્ટ કે સર્વિસને લીધે થતી ઈજા કે નુકસાનની ભરપાઈ માટે જવાબદાર હશે.
  • જો ડિફેક્ટિવ પ્રોડક્ટને લીધે ગ્રાહકને કોઈ ઈજા ન પહોંચી હોય પણ ખામીયુક્ત ઉત્પાદનોનું વેચાણ કરવા બદલ 6 મહિનાની સજા અને એક લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
  • જો ડિફેક્ટિવ પ્રોડક્ટને લીધે ગ્રાહકને ઈજા પહોંચે તો વિક્રેતાને મહત્તમ 7 વર્ષની સજા થશે અને પાંચ લાખ રૂપિયા સુધી દંડ થશે.
  • જો ડિફેક્ટી પ્રોડક્ટ અથવા સેવાને લીધે ગ્રાહકનું મૃત્યુ થવાના સંજોગોમાં વિક્રેતાને સાત વર્ષથી આજીવન કેદની સજા તથા દંડની રકમ 10 લાખ રૂપિયા થઈ જશે.

જાહેરખબર કરનારી સેલિબ્રિટીને નક્કી

  • ગેરમાર્ગે દોરતી જાહેરખબર પર સેલિબ્રિટી પર પણ 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સેલિબ્રિટીની જવાબદારી રહેશે કે જાહેરખબરમાં જે દાવા કરવામાં આવ્યા છે તેની યોગ્ય ખરાઈ કરી લે.
  • ભેળસેળવાળા સામાન અને ખરાબ ઉત્પાદનો અંગે કંપની પર દંડ વસૂલ કરવાની અને વળતરની જોગવાઈ કરવામાં આવી છે. ખોટી ફરિયાદ પર હવે રૂપિયા 50 હજાર સુધીનો દંડ થશે.

35 સભ્યવાળી સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ બનશે

  • ગ્રાહક સુરક્ષા કાયદો 2019 હેઠળ ગ્રાહકને લગતા મુદ્દા પર એક એડવાઈઝરી બોડી તરીકે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલની સ્થાપના થશે.
  • આ કાઉન્સિલની અધ્યક્ષતા કેન્દ્રીય ગ્રાહક બાબતના પ્રધાન કરશે અને ઉપાધ્યક્ષ રાજ્ય પ્રધાન બનશે. સાથે જ વિવિધ ક્ષેત્રોના 34 જેટલા અન્ય સભ્ય રહેશે.
  • ત્રણ વર્ષના કાર્યકાળવાળી આ કાઉન્સિલમાં પ્રત્યેક ક્ષેત્રના બે રાજ્ય-ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર-પૂર્વના ગ્રાહક બાબતોના પ્રધાન રહશે.