હિમાચલ પ્રદેશમાં હાલ પરવાણુથી શિમલા સુધી ફોરલેન રોડ બનાવની કામગીરી ચાલી રહી છે. જેના કારણે હાઈવે અવારનવાર અકસ્માતો સર્જાવાની ઘટનાઓ સામે આવે છે. મનસારના સલોગડા નજીક નેશનલ હાઈવે-5 ઉપર પણ આવી જ દુર્ઘટના સર્જાઈ હતી. કામગીરી દરમિયાન પહાડ પરથી અચાનક કાટમાળ પડતાં હાઈવે પર જતાં વાહનચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી. પહાડ પરથી કાટમાળ નીચે પડતાં કાર સાથે અથડાયું હતું. જેથી કારમાં સવાર લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા. કાર સાથે પથ્થરો અથડાતા કારમાં નુકસાન થયું હતું. જો કે દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ. પ્રવાસીનું કહેવું છે કે જો પથ્થરો તેજ ગતિથી પડ્યા હોત તો જાન-માલનું નુકસાન થઈ શક્યું હોત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.