તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચિત્તૌડગઢ સ્થિત કૃષ્ણધામ સાંવલિયાજી મંદિરના ભંડારમાં ભેટ કરવામાં આવેલી રકમની ગણતરી બીજા દિવસે પણ યથાવત છે. ગુરૂવારે સવારે સવા 11 વાગ્યે ભગવાનની રાજભોગ આરતી પછી ગણતરી શરૂ થઈ. મંદિરમાં ભંડારની ભેટ રકમ બુધવારે ખોલવામાં આવી હતી. પહેલાં દિવસે રેકોર્ડ 6 કરોડ 17 લાખ 12 હજાર 200 રૂપિયાની રકમ નીકળી. ગણતરી માટે મંદિર પ્રશાસન સહિત બે-ત્રણ બેંક કર્મચારીઓની પણ મદદ લેવામાં આવી રહી છે.
એક મહિના પહેલાં જ કાઢવામાં આવ્યા હતા 4 કરોડ 54 લાખ રૂપિયા
મંદિરના ભંડારમાંથી બુધવારે કાઢવામાં આવેલી રકમ અત્યાર સુધીની સર્વાધિક છે. કોરોના કાળમાં ચોથી વખત ખોલવામાં આવેલા ભંડારામાંથી આ વખતે રેકોર્ડ રકમ નીકળી છે. કર્મચારીઓએ પણ એક જ દિવસમાં 6 કરોડથી વધુ રૂપિયાની ગણતરી કરીને રેકોર્ડ બનાવ્યો છે. ભંડારથી 2.80 કરોડની 2000ની નોટ અને લગભગ 3 કરોડ રૂપિયાની 500-500ની નોટ નીકળી. જ્યારે અન્ય વધેલી નોટ અને સિક્કાના લગભગ 8 કોથળા ભરવામાં આવ્યા છે. ગત મહિને ભંડારમાંથી 4 કરોડ 54 લાખ રૂપિયા કાઢવામાં આવ્યા હતા.
બુધવારે ભંડાર તેમજ ભેંટ કક્ષમાંથી મળેલી રકમ તેમજ સોનુ
રોકડ | 6.17 કરોડ |
સોનુ | 91 ગ્રામ |
કાર્યાલય ભેંટ કક્ષમાં ઓનલાઈન અને રોકડ | 71.83 લાખ |
કાર્યાલયમાં મંદિરને ભેંટમાં મળેલું સોનુ | 32 ગ્રામ |
ચાંદી | 23 કિલો |
મંદિરમાં શ્રદ્ધાળુઓનો પ્રવેશ બંધ રહ્યો
સાંવલિયાજી મંદિરમાં બુધવારે રાજભોગ આરતી પછી ભંડાર ખોલવામાં આવ્યો. કોરોના ગાઈડલાઈનના કારણે મંદિરમાં શ્રદ્ધાળુઓનો પ્રવેશ બંધ રહ્યો. ગુરૂવારે પણ શ્રદ્ધાળુઓ માટે દર્શન બંધ રહ્યાં. રાજભોગ આરતી પછી સાંવલિયાજી મંદિર મંડળ અધ્યક્ષ કન્હૈયાદાસ વૈષ્ણવ, ADM અને મંદિર મંડળ CEO રતન કુમાર સ્વામીજીની હાજરીમાં ભંડાર ખોલીને ગણતરી કરવામાં આવી. સુરક્ષા પણ સઘન રાખવામાં આવી.
અમાસની ચતુર્દશી પર ખુલે છે ભંડાર, મંદિર વિકાસ માટે ખર્ચ થાય છે પૈસા
મંદિરના ભંડારમાં આવતી રકમ દર અમાસની ચતુર્દશી પર ખુલે છે. જેને મંદિરમાં થતી ભગવાનની રાજભોગની આરતી બાદ ખોલવામાં આવે છે. સાંવલિયાજીના ભંડારમાં મળેલી રકમ મંદિર વિકાસ માટે ખર્ચ કરવામાં આવે છે. મંદિરનું બોર્ડ બનેલું છે.ચિત્તૌડગઢ ADM આ બોર્ડના CEO છે. ભેંટમાં મળેલી રકમને યાત્રી સુવિધાના વિકાસ માટે ખર્ચ કરવામાં આવે છે. સાથે જ મંદિર બોર્ડ દ્વારા ગૌશાળાનું પણ સંચાલન કરવામાં આવે છે. મંદિરમાં 500 કર્મચારીઓનો સ્ટાફ છે.
મંદિર લગભગ 2 સદી જૂનું છે. જેનો વિકાસ આજુબાજુના ગામડાંના લોકોએ જ કર્યો છે. માન્યતા છે કે એક ગોવાળિયાને સપનાંમાં સાંવલિયાજીની મૂર્તિના દર્શન થયા હતા. તેને તે સ્થળે જ ખોદકામ કરી પ્રતિમાને બહાર કાઢી હતી અને પોતાના ઘરમાં સ્થાપિત કરી હતી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.