કોરોના ઈન્ડિયા LIVE:2,14,664 કેસ, સતત 8માં દિવસે 7 હજારથી વધારે કેસ આવ્યા, છઠ્ઠા દિવસે 200થી વધારે મોત થયા

નવી દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં આજે એક દિવસમાં 258 લોકોના મોત થયા
  • પ્લેન, બસ અને ટ્રેનથી દિલ્હી આવતા તમામ યાત્રીઓને 7 દિવસ હોમ ક્વોરન્ટીન જવું પડશે
  • દેશમાં એક દિવસમાં સૌથી વધારે 8789 કેસ 31 મેના રોજ આવ્યા હતા
  • દેશમાં કોરોનાથી અત્યાર સુધી 6087 લોકોએ જીવ ગુમાવ્યા છે, સૌથી વધારે 2587 લોકોના મહારાષ્ટ્રમાં મોત થયા છે
  • મંગળવારે મહારાષ્ટ્રમાં 2287, દિલ્હીમાં 1298 અને તમિલનાડુમાં 1091 રિપોર્ટ પોઝિટિવ આવ્યા

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 14 હજાર 664 થઈ ગઈ છે. સતત આઠમાં દિવસે દેશમાં 7 હજારથી વધારે સંક્રમણના કેસ મળ્યા છે. બુધવાર છઠ્ઠો દિવસ હતો કે જ્યારે 200થી વધારે દર્દીના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં વિક્રમજનક 123 લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 8,909 પોઝિટિવ કેસ મળ્યા છે. જ્યારે 258 દર્દીઓના મોત થયા છે. કુલ મૃત્યુઆંક 6087 થયો છે. દિલ્હીના 58 વિસ્તાર કોરોનાથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ ગયા છે. દિલ્હી સરકારના જણાવ્યા મુજબ અહીં કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા ઘટીને 158 થઈ ગઈ છે. સરકારે અહીં હોસ્પિટલોની મુલાકાત લેવા માટે પાંચ ડોક્ટરોની ટીમ બનાવી છે. તે હોસ્પિટલોમાં ઉપલબ્ધ દવાઓ, સુવિધાઓની મુલાકાત લેશે અને દિલ્હી બહારના દર્દીઓને આપવામાં આવી રહેલી મેડિકલ સહાયતા પર રિપોર્ટ તૈયાર કરશે.

એક દિવસ અગાઉ એટલે કે 2 જૂનના રોજ 8820, 1 જૂનના રોજ 7723, 31 મેના રોજ 8789, 30 મેના રોજ 8364, 29 મેના રોજ 8138, 28 મેના રોજ 7254 અને 27 મેના રોજ 7246 દર્દી કોરોના પોઝિટિવ મળ્યા હતા.

બુધવારે મહારાષ્ટ્રમાં 2560, ગુજરાતમાં 485, રાજસ્થાનમાં 279, આંધ્ર પ્રદેશમાં 267, બિહારમાં 177, ઓડિશામાં 143 દર્દી સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 7 હજાર 615 છે. તેમાં 1 લાખ 1 હજાર 497 એક્ટિવ દર્દી છે. જ્યારે 1 લાખ 302 દર્દીને સારું થઈ ગયું છે. જોકે 5815 દર્દીના મોત થયા છે.આ આંકડા covid19india.org પ્રમાણે છે. 

 અપડેટ્સ

  • હૈદરાબાદની એક સરકારી હોસ્પિટલમાં કામ કરતા ચાર ડોક્ટર્સ બુધવારે સંક્રમિત મળ્યા છે. એક દિવસ પહેલા અહીંયા મેડિકલ કોલેજના 12 વિદ્યાર્થી પણ સંક્રમિત મળ્યા હતા.
  • કોરોના સંક્રમણ ઓરિસ્સાના તમામ 30 જિલ્લામાં પહોંચી ગયું છે. અહીંયા માત્ર રાયગાડા જિલ્લો એવો હતો જ્યાં એક પણ કેસ ન હતો. જો કે, દિલ્હીથી પાછો આવેલો એક વ્યક્તિ સંક્રમિત મળી આવ્યો હતો. બુધવારે રાજ્યમાં 143 નવા કેસ સામે આવ્યા હતા. સાથે જ અહીંયા રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 2388 થઈ ગઈ છે.
  • સિક્કીમમાં બુધવારે કોરોનાનો બીજો કેસ સામે આવ્યો છે. સંક્રમિત મળી આવેલો વ્યક્તિ 25 મેના રોજ દિલ્હીથી પાછો આવ્યો હતો
  • સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 8,909 નવા પોઝિટિવ મળ્યા હતા. સાથે જ 217 દર્દીઓના મોત થયા છે.
  • મહારાષ્ટ્રમાં સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા 2 હજારને પાર થઈ ગઈ છે.
  • દિલ્હીના 58 એવા વિસ્તાર છે જે હવે કોરોના સંક્રમણથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા છે.
  • મહારાષ્ટ્ર પોલીસે બુધવારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 47 પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સાથે રાજ્યમાં 2,556 પોલીસકર્મી સંક્રમિત થઈ ચુક્યા છે.
  • મમતા બેનર્જીએ બુધવારે કોલકાતામાં કહ્યું કે, લોકડાઉનમાં લોકો આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા છે. હું કેન્દ્રને અપીલ કરું છું કે પ્રવાસી મજૂરોના ખાતામાં એક વખત 10 હજાર રૂપિયા નાંખો. પીએમ કેર ફંડના પૈસાનો ઉપયોગ કરો.
  • વંદે ભારત મિશન હેઠળ દુબઈથી મંગળવારે રાતે ગોવા પાછી આવેલી સ્પેશ્યલ ફ્લાઈટના પેસેન્જરે એરપોર્ટ પર હોબાળો કર્યો હતો. જેમાંથી ઘણાએ ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યો હતો.
  • વૈષ્ણવદેવી શ્રાઈન બોર્ડે ત્રિકુટા પહાડી સુધી શ્રદ્ધાળુઓની યાત્રિ શરૂ થયા પછી લાગુ કરતા સ્ટાન્ડર્ડ પ્રોટોકોલની મોક ડ્રીલ કરી હતી. 18 માર્ચે કોરોનાને ધ્યાનમાં રાખતા વૈષ્ણવદેવીની યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. ગૃહ મંત્રાલય તરફથી નવા દિશા નિર્દેશ જાહેર થયા બાદ યાત્રા ફરી શરૂ થશે.

સંક્રમણ 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેલાયું 

કોરોના વાઈરસનું સંક્રમણ 28 રાજ્યોમાં ફેલાયું છે. 7 કેન્દ્રશાસિત પ્રદેશ પણ તેના સંકજામાં આવ્યા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ- કાશ્મીર, લદ્દાખ, પુડ્ડુચેરી અને દાદરા નગર હવેલી સામેલ છે. 

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધુ કેસ

તારીખકેસ
2 જૂન8,820
31 મે8789
30 મે8364
29 મે8183
27 મે7246
28 મે7254

પાંચ રાજ્યોની સ્થિતિ 
મધ્યપ્રદેશઃ અહીંયા મંગળવારે 137 નવા પોઝિટિવ મળ્યા અને 6 લોકોના મોત થયા હતા. ભોપાલમાં 20, ઈન્દોરમાં 31, નીમચમાં 24, જબલપુરમાં 10 સાગર અને ગ્વાલિયરમાં 9-9 દર્દી મળ્યા હતા. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 8420 થઈ ગઈ છે. અત્યાર સુધી 5221 દર્દી સાજા થયા છે.

આ તસવીર ભોપાલની છે. અનલોક-1 દરમિયાન અહીંયા રેડ ઝોન વિસ્તારને બાદ કરતા અન્ય જગ્યાએ બજાર ખુલી ગયા છે.
આ તસવીર ભોપાલની છે. અનલોક-1 દરમિયાન અહીંયા રેડ ઝોન વિસ્તારને બાદ કરતા અન્ય જગ્યાએ બજાર ખુલી ગયા છે.

મહારાષ્ટ્રઃ અહીંયા મંગળવારે સંક્રમણના 2287 નવા કેસ સામે આવ્યા હતા. 1225 લોકો સાજા થયા અને 103 દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 72 હજાર 300 સંક્રમિત મળ્યા હતા. 26 મેથી 31 મે સુધી દેશના કુલ કોરોના કેસમાં મહારાષ્ટ્રનો હિસ્સો 43 ટકાથી ઘટીને 35 ટકા થઈ ગયો છે. આ ટ્રેન્ડ પહેલા પણ જોવા મળ્યો હતો.

આ તસવીર મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સની છે. અહીંયા એક અસ્થાયી કોવિડ સેન્ટર બનાવાયું છે
આ તસવીર મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સની છે. અહીંયા એક અસ્થાયી કોવિડ સેન્ટર બનાવાયું છે

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં 24 કલાકમાં 368 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા અને 6 દર્દીઓના મોત થયા હતા. સૌથી વધારે 42 સંક્રમિત ગૌતમબુદ્ધનગર જિલ્લામાં મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 8729 લોકો સંક્રમિત થયા છે. જેમાં યુપી પાછા આવેલા 2288 પ્રવાસી શ્રમિક સામેલ છે. સાથે જ 229 દર્દીઓના મોત થયા છે. 

 બિહારઃ રાજ્યમાં મંદળવારે 151 કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. અત્યાર સુધી રાજ્યમાં 4096 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. સાથે જ આ બિમારીથી રાજ્યમાં 24 લોકોના મોત પણ થયા છે. 
 રાજસ્થાનઃ અહીંયા મંગળવારે કોરોનાના 272 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને 4 લોકોના મોત થયા હતા. નવા દર્દીઓમાં ભરતપુરમાં 70, જયપુરમાં 42, જોધપુરમાં 44, પાલી અને કોટામાં 13-13 દર્દી મળ્યા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 9373એ પહોંચ્યો છે. 

આ તસવીર જયપુરના હવા મહેલની છે. મંગળવારે અહીંયા ઘણા લોકો આવ્યા હતા. પણ તમામની એન્ટ્રી પહેલા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.
આ તસવીર જયપુરના હવા મહેલની છે. મંગળવારે અહીંયા ઘણા લોકો આવ્યા હતા. પણ તમામની એન્ટ્રી પહેલા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.