દેશમાં કોરોના સંક્રમિતોની સંક્યા 88 હજાર 506 થઇ ગઇ છે. મહામારીના સંકટને ધ્યાનમાં રાખીને પંજાબે લોકડાઉન 31મે સુધી વધારી દીધું છે. આ પહેલા મિઝોરમે પણ આ જ નિર્ણય લીધો છે. શનિવારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે કહ્યું કે પંજાબ સરકારે વડપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રાલયલને દેશવ્યાપી લોકડાઉનમાં અમૂક છૂટ આપીને 31 મે સુધી લાગૂ રાખવાનું સૂચન કર્યું છે. તેમણે જણાવ્યું કે પંજાબમાં લોકડાઉન 31મે સુધી વધારવામાં આવ્યું છે પરંતુ કર્ફ્યૂ 18મેથી ખતમ કરી દેવાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રતિબંધો લાગૂ રહેશે.
રેલવેએ શનિવારે જણાવ્યું કે 15મે રાત સુધી દેશભરમાં 1074 શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામાં આવી છે. તેમાં 14 લાખ લોકોને તેમના રાજ્યોમાં પહોંચાડવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં પગપાળા અથવા ખાનગી વાહનોથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આવા લોકોને રાજ્યમાં પ્રવેશ આપવામાં નહીં આવે. મહારાષ્ટ્રમાં ફરી સંક્રમિતોનો આંકડો 29,100એ પહોંચ્યો છે. સાથે જ તમિલનાડુ 10,108 સંક્રમિતો સાથે બીજા નંબરે પહોંચી ગયું છે. આ આંકડાઓ covid19india.org વેસાઈટ અને રાજ્ય સરકાર દ્વારા મળેલી માહિતી પ્રમાણે છે. અપડેટ્સ
દિવસ | કેસ |
10 મે | 4311 |
14 મે | 3943 |
15 મે | 3736 |
13 મે | 3725 |
04 મે | 3656 |
દેશના રાજ્યોની સ્થિતિ
રાજ્ય | કેટલા સંક્રમિત થયા | કેટલા સાજા થયા | કેટલા મોત |
મહારાષ્ટ્ર | 29100 | 6564 | 1068 |
તમિલનાડુ | 10108 | 2599 | 71 |
ગુજરાત | 9932 | 4035 | 606 |
દિલ્હી | 8895 | 3518 | 123 |
રાજસ્થાન | 4838 | 2729 | 125 |
મધ્યપ્રદેશ | 4595 | 2283 | 239 |
ઉત્તરપ્રદેશ | 4057 | 2165 | 95 |
પશ્વિમ બંગાળ | 2461 | 829 | 225 |
આંધ્રપ્રદેશ | 2307 | 1252 | 48 |
પંજાબ | 1932 | 305 | 32 |
તેલંગાણા | 1454 | 959 | 34 |
કર્ણાટક | 1056 | 480 | 36 |
બિહાર | 1033 | 453 | 07 |
જમ્મુ-કાશ્મીર | 1013 | 513 | 11 |
હરિયાણા | 854 | 464 | 13 |
ઓરિસ્સા | 737 | 166 | 03 |
કેરળ | 577 | 493 | 04 |
ઝારખંડ | 211 | 97 | 03 |
ચંદીગઢ | 191 | 40 | 03 |
ત્રિપુરા | 156 | 42 | 00 |
આસામ | 90 | 41 | 02 |
ઉત્તરાખંડ | 82 | 51 | 01 |
હિમાચલ પ્રદેશ | 75 | 35 | 03 |
છત્તીસગઢ | 60 | 56 | 00 |
લદ્દાખ | 43 | 24 | 00 |
આંદામાન-નિકોબાર | 33 | 33 | 00 |
પુડ્ડુચેરી | 16 | 09 | 00 |
ગોવા | 15 | 07 | 00 |
મેઘાલય | 13 | 11 | 01 |
મણિપુર | 03 | 02 | 00 |
અરુણાચલ પ્રદેશ | 01 | 01 | 00 |
દાદરા નગર હવેલી | 01 | 01 | 00 |
મિઝોરમ | 01 | 01 | 00 |
દેશના રાજ્યોની સ્થિતિ મધ્યપ્રદેશ, સંક્રમિતઃ4595- અહીંયા શુક્રવારે સંક્રમણના 169 કેસ સામે આવ્યા હતા. જેમાંથી ઈન્દોરના 61, ભોપાલના 26, બુરહાનપુરના 27, ઉજ્જૈનના 10, જબલપુરના 11 અને ધારના 07 નવા દર્દી સામેલ છે. રાજ્યમાં 18 મેથી લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થયો છે. મળતી માહિતી પ્રમાણે લોકડાઉન 31 મે સુધી લાગુ રહેશે.
મહારાષ્ટ્ર, સંક્રમિતઃ29100- રાજ્યમાં શુક્રવારે 1576 કોરોના દર્દી મળ્યા માત્ર મુંબઈમાં જ 933 નવા કેસ સામે આવ્યા હતા. હોટ સ્પોટ ધારાવીમાં 84 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અહીંયા 53 લોકોના મોત થયા હતા. મુંબઈ મેટ્રોપોલિટન રીઝન, પૂણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાવ જેવા હોટ સ્પોટ વિસ્તારમાં લોકડાઉન 31 મે સુધી વધારી દેવાયું છે.
ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ 4075- અહીંયા છેલ્લા 24 કલાકમાં 155 સંક્રમિત મળ્યા હતા. જેમાં હાપુડના 10, આગરા અને મેરઠના 9-9, લખનઉના 5 અને ગૌતમબુદ્ધનગરના 4 દર્દી સામેલ છે. રાજ્યમાં અત્યાર સુધી 2165 કોરોના સંક્રમિત સાજા થયા છે.
રાજસ્થાન, સંક્રમિતઃ4838- અહીંયા શનિવારે સંક્રમણના 91 કેસ સામે આવ્યા હતા. જેમાંથી જયપુરમાં 55, ડૂંગરપુરમાં 21, ઉદેયરપુરમાં 21, સિરોહીમાં 02, જ્યારે કોટા, અજમેર, ભરતપુર અને ઝુઝૂનૂંમાં 1-1 દર્દી મળ્યા હતા.
દિલ્હી, સંક્રમિતઃ8895- અહીંયા શુક્રવારે સંક્રમણના 425 કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ દિલ્હીની જનતાએ કેજરીવાલ સરકારને લોકડાઉનના અંગે પાંચ લાખથી વધારે સૂચનો આપ્યા છે. જેમાં માસ્ક પહેરવું અનિવાર્ય કરવા અને સોશિયલ ડિસ્ટેસીંગ જાળવવા અંગે જોર અપાયું છે.
બિહાર, સંક્રમિત-1033- અહીંયા શુક્રવારે 34 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેમાં ખગડિયા અને બેગુસરાયમાં 5-5, મધુબનીમાં 2 અને સીવાનમાં એક દર્દી મળી આવ્યો હતો. બિહારમાં મે પછી બીજા રાજ્યોમાંથી આવતા લોકોમાં 7500 લોકોના સેમ્પલની તપાસ થઈ હતી. જેમાં 352 સંક્રમિત મળ્યા છે. સૌથી વધારે દિલ્હીથી આવેલા 114 લોકોમાં કોરોનાની પુષ્ટી થઈ છે. આ ઉપરાંત ગુજરાતથી પાછા આવેલા 97, મહારાષ્ટ્રથી પાછા આવેલા 66, પશ્વિમ બંગાળથી આવેલા 22, હરિયાણાથી આવેલા 17 અને ઉત્તરપ્રદેશથી આવેલા 13 લોકો સંક્રમિત મળ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.