કોરોના ઈન્ડિયા LIVE:કુલ કેસ 1,11,696: 1લી જૂનથી શરૂ થનારી 200 ટ્રેનનું લિસ્ટ જાહેર,આવતી કાલ સવારે 10 વાગ્યાથી ટિકિટનું ઓનલાઈન બૂકિંગ શરૂ થશે

નવી દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 15 દેશમાં ભારતની તુલનાએ 83 ટકા વધારે મોત, ભારતમાં મૃત્યુદર ઓછોઃ સ્વાસ્થ્ય મંત્રાલય
  • દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 534 કોરના પોઝિટિવ મળ્યા, ICMRએ જણાવ્યું કે, 25 લાખથી વધારે સેમ્પલની તપાસ
  • દેશમાં મંગળવારે સંક્રમણના 6141 કેસ સામે આવ્યા
  • જેના પહેલા એક દિવસમાં સૌથી વધારે 5049 દર્દી 17 મેના રોજ મળ્યા હતા
  • આસામમાં 2 મહિનાની બાળકી સહિત 42 પોઝિટિવ, એક દિવસમાં સંક્રમિતોનો સૌથી મોટો આંકડો

રેલવેએ પહેલી જૂનથી શરૂ થનારી 200 ટ્રેનની યાદી જારી કરી છે. આ ટ્રેનો માટે ઓનલાઈન ટિકિટ બૂકિંગ આવતીકાલ સવારે 10 વાગ્યાથી શરૂ થશે. આ ટ્રેનોમાં એસી અને નોન એસી બન્ને કોચ રહેશે. બીજી બાજુ રેલવે બોર્ડે સ્ટેશનો પર કેટરિંગ, વેડિંગ યુનિટ્સ ખોલવા માટે મંજૂરી આપી છે. હવે જે મોટા રેલવે સ્ટેશન પર ફૂડ પ્લાઝા કે રિફ્રેશમેન્ટ રૂમ સંચાલિત હતા તે ખોલી શકાશે. જોકે યાત્રીઓને અહીં બેસીને ભોજન કરવાની પરવાનગી નથી. પણ તેઓ ભોજન પેક કરાવી લઈ જઈ શકે છે. રેલવે 22 મેથી કર્ણાટકમાં પહેલી ઈન્ટ્રાસ્ટેટ (રાજ્યની અંદર) ટ્રેન સેવા શરૂ કરી રહી છે.  દેશભરમાં અત્યાર સુધી કોરોનાથી 1,11,696 લોકો સંક્રમિત થયા છે અને 3,377 લોકોના મોત થયા છે. આજે 5 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે. એકલા મહારાષ્ટ્રમાંથ 2,250, તમિલનાડુમાં 743, દિલ્હીમાં 534, ગુજરાતમાં 398, મધ્ય પ્રદેશમાં 270 દર્દી મળ્યા છે. ગુજરાતમાં દર્દીઓનો આંકડો 12,141 થયો છે અને 5,043 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. મંગળવારે સંક્રમણના 6141 કેસ સામે આવ્યા તો 3030 સાજા પણ થયા હતા.ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)એ બુધવારે કહ્યું કે સવારના 9 વાગ્યાથી અત્યાર સુધીમાં 25 લાખથી વધારે લોકોના સેમ્પલની તપાસ થઈ ગઈ છે. બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં 8,121 ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 534 નવા કેસ આવ્યા છે. આ સાથે રાજધાનીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 11 હજારને પાર થઈ છે. બુધવારે સંક્રમિતોના 1300થી વધારે નવા કેસ સામે આવ્યા છે. આ પૈકી તમિલનાડુ 743, દિલ્હીમાં 534 કેસ, મધ્ય પ્રદેશ 78 કેસ આવ્યા છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે છે. 

  • સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણનો શિકાર થયેલા 42,298 લોકો સાજા થયા છે તે સંતોષની વાત છે. અને એક્ટિવ કેસની સંખ્યા 61,149 છે. દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં આપણી સ્થિતિ ઘણી સારી છે જ્યારે જનસંખ્યાના કેસમાં આપણી સંખ્યા તેમના કરતા ઘણી વધારે છે. 15 દેશમાંથી ભારતની સરખામણીએ 83 ટકા મોત વધારે થઈ રહ્યા છે. સારી વાત તો એ છે કે ભારતમાં મૃત્યુ દર ઓછો છે.
  • અબુ ધાબીથી કેરળ આવેલા ત્રણ લોકો બુધવારે પોઝિટિવ મળ્યા છે. મળતી માહિતી પ્રમાણે, તેમના પાછા આવ્યા બાદ બિમારી અંગેની માહિતી છુપાવી હતી.
  • કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાબળમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા અત્યાર સુધી 96 થઈ ગઈ છે. ગોવામાં ભારતીય તટરક્ષક દળનો એક અધિકારી અને એક અન્ય મહિલા સંક્રમિત મળી આવી છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 41 થઈ ગઈ છે.
  • ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદે બુધવારે જણાવ્યું કે, સવારે 9 વાગ્યા સુધી 25 લાખથી વધારે લોકોના સેમ્પલની તપાસ કરાઈ છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં એક લાખ 8 હજાર 121થી વધુ ટેસ્ટ કરાયા છે.
  • આસામમાં છેલ્લા 24 કલાકમાં 2 મહિનાની બાળકી સહિત 42 પોઝિટિવ કેસ મળ્યા હતા.જે એક દિવસમાં સંક્રમિતોનો સૌથી મોટો આંકડો છે. આ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 157 થઈ ગઈ છે.
  • તેલંગાણામાં છેલ્લા 24 કલાકમાં 42 નવા પોઝિટિવ મળ્યા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1643 થઈ ગયો છે.
  • વંદે ભારત મિશન હેઠળ બુધવારે એર ઈન્ડિયાની એક ફ્લાઈટ 175 ભારતીયોને લઈને બહરીનથી હૈદરાબાદ પહોંચી હતી.

રાજ્ય

કેટલા સંક્રમિતકેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર3715896391325
તમિલનાડુ12448489585
ગુજરાત121415043719
દિલ્હી105544750166
રાજસ્થાન58453337143
મધ્યપ્રદેશ54652631258
ઉત્તરપ્રદેશ49262918123
પશ્વિમ બંગાળ29611074250
આંધ્રપ્રદેશ2489162152
પંજાબ2002164238
તેલંગાણા1634101138
બિહાર151951709
જમ્મુ-કાશ્મીર131764717
કર્ણાટક139554340
હરિયાણા96462714
ઓરિસ્સા97830705
કેરળ64349704
ઝારખંડ24812703
ચંદીગઢ1995703
ત્રિપુરા1698900
આસામ1544104
ઉત્તરાખંડ1115201
છત્તીસગઢ1005900
હિમાચલ પ્રદેશ924704
લદ્દાખ434300
ગોવા460700
આંદામાન-નિકોબાર333300
પુડ્ડુચેરી221000
મેઘાલય131201
મણિપુર070200
મિઝોરમ010100
અરુણાચલ પ્રદેશ010100
દાદરા નગર હવેલી010100
અન્ય 8140000

પાંચ રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ 
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ5465- અહીંયા મંગળવારે સંક્રમણના 229 કેસ સામે આવ્યા હતા. ઈન્દોરમાં 72, ખંડવામાં 21, બુરહાનપુરમાં 42 અને ભોપાલમાં 16 કેસ છે. રાજ્યના ઉજ્જૈન, ઈન્દોર, ભોપાલ, બુરહાનપુર, જબલપુર, ખંડવા અને દેવાસ નગર નિગમમાં દારૂનું વેચાણ હવે પછીના આદેશ સુધી નહીં કરવામાં આવે. સાથે જ મંદસૌર, નીમચ, ધાર અને કુક્ષીમાં પણ દારુની દુકાનો બંધ રહેશે. બાકીના જિલ્લામાં બુધવારે દારુની દુકાન ખુલશે

આ તસવીર ભોપાલના હબીબગંજ સ્ટેશનની છે. મંગળવારે અહીંયા મજૂરોને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનથી બિહાર રવાના કરાયા હતા. આ પહેલા તમામનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
આ તસવીર ભોપાલના હબીબગંજ સ્ટેશનની છે. મંગળવારે અહીંયા મજૂરોને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનથી બિહાર રવાના કરાયા હતા. આ પહેલા તમામનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ37158- મહારાષ્ટ્ર સરકાર કોરોનાના દર્દીઓની સારવાર માટે રાજ્યના ખાનગી હોસ્પિટલના 80 ટકા બેડ પોતાના નિયંત્રણમાં લેશે. સાથે જ 17 હજાર ડોક્ટર અને નર્સની ભરતી કરાશે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મંગળવારે આ અંગેની માહિતી આપી હતી. તો બીજી બાજુ મંગળવારે રાજ્યમાં રેકોર્ડ 102 કોરોના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ4926- અહીંયા મંગળવારે 321 સંક્રમિત મળ્યા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોમાંથી 1885ની સારવાર ચાલી રહી છે. 2918 સાજા થઈ ચુક્યા છે, જ્યારે 123 લોકોના મોત થયા છે. 

ઉત્તરપ્રદેશના લખનઉ-કાનપુર નેશનલ હાઈવે પર તમને આવા ટ્રકમાં બેસેલા મજૂરો રોજ જોવા મળશે. આ અન્ય રાજ્યોથી લખનઉ અને રાજ્યની સરહદ પર પહોંચી રહ્યા છે.
ઉત્તરપ્રદેશના લખનઉ-કાનપુર નેશનલ હાઈવે પર તમને આવા ટ્રકમાં બેસેલા મજૂરો રોજ જોવા મળશે. આ અન્ય રાજ્યોથી લખનઉ અને રાજ્યની સરહદ પર પહોંચી રહ્યા છે.

રાજસ્થાન, સંક્રમિતઃ5845- અહીંયા મંગળવારે 338 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે પાંચ લોકોના મોત થયા હતા. સૌથી વધારે 87 દર્દી ડુંગરપુરમાં મળ્યા હતા. પાલીમાં 77, જયપુર અને બાડમેરમાં 17-17 નાગોરમાં 16, ઉદેયપુરમાં 13, જ્યારે અજમેર, ઝાલાવાડ, ચુરુ, દૌસા, અલવર અને ધૌલપુરમાં 1-1 દર્દી મળી આવ્યા હતા. દિલ્હી, સંક્રમિતઃ10554- અહીંયા મંગળવારે 500 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, 265 દર્દી સાજા થયા અને 6 લોકોના મોત થયા હતા. અહીંયા કુલ સંક્રમિતોમાંથી 5638ની સારવાર ચાલી રહી છે, જ્યારે 4750 દર્દી સાજા થયા છે.

આ તસવીર દિલ્હીની છે. મંગળવાર સવારે મજૂરો કામની શોધમાં જોવા મળ્યા હતા. રાજધાનીમાં લોકડાઉનના નિયમોમાં છૂટ મળ્યા બાદ ઘણા વિસ્તારમાં કામ શરૂ થઈ ગયું છે.
આ તસવીર દિલ્હીની છે. મંગળવાર સવારે મજૂરો કામની શોધમાં જોવા મળ્યા હતા. રાજધાનીમાં લોકડાઉનના નિયમોમાં છૂટ મળ્યા બાદ ઘણા વિસ્તારમાં કામ શરૂ થઈ ગયું છે.

બિહાર, સંક્રમિતઃ 1519- અહીંયા મંગળવારે 96 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી જેહાનબાદમાં 31, કટિહાર 13, બેગૂસરાય 12 ઔરંગાબાદ અને નવાદામાં 4-4 ,ગયા, અરવલ અને સુપોવામાં 3-3, ભાગલપુર, શેખપુરા, બક્સર, મધેપુરા અને કૈમૂરમાં 2-2 જ્યારે પટના અને સમસ્તીપુરમાં 1-1 દર્દી મળી આવ્યા હતા. 

પટનાના એક ક્વૉરન્ટીન સેન્ટરને મંગળવારે સેનેટાઈઝ કરાયું અહીંયા લગભગ 300 લોકોને રાખવામાં આવ્યા હતા.
પટનાના એક ક્વૉરન્ટીન સેન્ટરને મંગળવારે સેનેટાઈઝ કરાયું અહીંયા લગભગ 300 લોકોને રાખવામાં આવ્યા હતા.