કોરોના ઈન્ડિયા LIVE:અત્યાર સુધીમાં 34,754 કેસઃમૃત્યુઆંક 1148;મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા 10 હજારને પાર, દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત

નવી દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રયાગરાજની છે. ઉત્તર પ્રદેશમાં ફસાયેલા 20 હજાર શ્રમિકોને ઘરે પરત લાવવા મધ્ય પ્રદેશ સરકારે બસો મોકલી છે - Divya Bhaskar
તસવીર પ્રયાગરાજની છે. ઉત્તર પ્રદેશમાં ફસાયેલા 20 હજાર શ્રમિકોને ઘરે પરત લાવવા મધ્ય પ્રદેશ સરકારે બસો મોકલી છે
  • ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું-દેશમાં સપ્લાઈ ચેઈનને અસર ન થાય તે માટે અવરોધ વગર ટ્રકોની અવર-જવર જાળવી રાખે
  • લોકડાઉન અગાઉ 4.2 દિવસમાં કેસ બમણા થતા હતા, હવે 11 દિવસે બમણા થાય છે
  • 14 અગાઉ જે રિકવરી રેટ 13 ટકા હતો તે હવે 25 ટકા પહોંચ્યો
  • છેલ્લા 24 કલાકમાં 1718 નવા કેસ, રિકવરી રેટ 25.19% થયોઃ સ્વાસ્થ્ય મંત્રાલય
  • દિલ્હીના આઝાદપુર મંડીમાં 15 લોકો કોરોના પોઝિટિવ, 13 દુકાનોને સીલ કરાઈ
  • 24 કલાકમાં 1702 દર્દી વધ્યા, બીજી વખત એક દિવસમાં 690 દર્દી સાજા થયા

દેશમાં કોરોનાને અટકાવવા માટે કંઈક હસ્તક સફળતા મળી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે લોકડાઉન અગાઉ દેશમાં સંક્રમિતોની સંખ્યા પ્રત્યેક 4.2 દિવસમાં બમણી થઈ હતી. હવે તે 11 દિવસમાં સંક્રમણના કેસ બમણા થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં ડબલિંગ રેટ તેની તુલનામાં ખૂબ જ વધારે છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે સંક્રમિતોના રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 8324 લોકો તંદુરસ્ત થઈ ગયા છે. રિકવરી રેટ 25.19 ટકા થઈ ગયો છે. 14 દિવસ અગાઉ તે 13.06 ટકા હતો.અગ્રવાલે જણાવ્યું છે કે કોરોનાથી મૃત્યુ દર અન્ય દેશોની તુલનામાં ઘણો ઓછો છે. અહીં કોરોનાથી મૃત્યુ દર 3.2 છે. ગંભીર દર્દીની સંખ્યા પણ ઓછી છે. 

દેશમાં કોરોના સંક્રમિતની સંખ્યા વધીને 34,754 થઈ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 34,754 થઈ ગઈ છે. અને કુલ મૃત્યુઆંક 1148 થયો છે. આ સાથે આજે દેશમાં વધુ 68 લોકોના મોત થયા છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 583 કેસ આવ્યા, ગુજરાતમાં 313, રાજસ્થાનમાં 118, પંજાબમાં 105, મધ્ય પ્રદેશમાં 65 સહિત 1600થી વધારે દર્દી પોઝિટિવ આવ્યા છે. દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 10 હજાર પાર થઈ ગયો છે. પશ્વિમ બંગાળમાં 33 અને ઓરિસ્સામાં 3 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા બુધવારે 1702 સંક્રમિત વધ્યા હતા અને 690 દર્દી સાજા થઈને ઘરે ગયા હતા. સૌથી વધારે 597 સંક્રમિત મહારાષ્ટ્રમાં મળ્યા છે.  

આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્ર સરકારે હરિયાણામાં દક્ષિણ કોરિયન કંપનીની બનાવાયેલી રેપિડ કીટથી ટેસ્ટિંગ કરવાની મંજૂરી આપી દીધી છે.

સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેના જણાવ્યા પ્રમાણે, કોરોના દર્દીઓની સારવાર માટે પ્રાયોગિક રીતે શરૂ કરવામાં આવેલી પ્લાઝ્મા થેરેપીનો પહેલો ટ્રાયલ સફળ રહ્યો છે. આ ટ્રાયલ મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં દાખલ દર્દી પર કરવામાં આવ્યો છે. બીજો ટ્રાયલ ટૂંક સમયમાં નાયર હોસ્પિટલમાં કરવામાં આવશે. તો બીજી બાજુ મધ્યપ્રદેશના ભોપાલના એઈમ્સમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા વાળી દવાનો કોરોના સંક્રમિતો પર ટ્રાયલ શરૂ કરાયો છે. ત્રણ દર્દીઓને દવાનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.  

પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનો સાથે બેઠક યોજી

કોરોનાને પગલે સંકટમાં ઘેરાયેલ અર્થતંત્રને સંભાળવા માટે રણનીતિ પર ચર્ચા કરવા માટે ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી હતી. બેઠકમાં મોદી સાથે ગૃહમંત્રી અમિતશાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા અને સ્થાનિક રોકાણને વધારવાને લગતા વિવિધ ઉપાયો શોધવા અંગે ચર્ચા કરી હતી.

ટ્રકોના સરળ પરિવહનને સુનિશ્ચિત કરવામાં આવે

દરમિયાન ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું છે કે દેશમાં આવશ્યક સામગ્રીના પુરવઠાને કોઈ અસર ન થાય તે માટે કોઈ પણ અવરોધ વગર તમામ ટ્રકોનું સરળ પરિવહન થવા દેવામાં આવે. સ્થાનિક અધિકારીઓ આંતરસીમા પર અલગ-અલગ પાસ પર ભાર આપવો જોઈએ નહીં.

સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ 

  • કોરોનાના 60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓનો ડેથ રેશિયો 51 ટકાઃ સ્વાસ્થ્ય મંત્રાલય
  • હૈદરાબાદની મુલાકાત લેવા ગયેલી સેન્ટ્રલ ટીમે જણાવ્યું કે, રાજ્ય પાસે પૂરતી પરીક્ષણ કીટ અને પીપીઈ કીટ છે. રાજ્યમાં દર્દીઓને ટ્રેક કરવા માટે એન્ડ ટુ એન્ડ આઈટી ડેશબોર્ડનો ઉપયોગ કરાઈ રહ્યો છેઃ MHA
  • છેલ્લા 24 કલાકમાં 1718 નવા કેસ, રિકવરી રેટ 25.19% થયોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

મહત્વના અપડેટ્સ 

  • મજૂરો અને વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે બિહાર સરકારે 19 નોડલ અધિકારીની નિમણૂક કરી
  • દિલ્હીના આઝાદપુર મંડીમાં 15 લોકો કોરોના પોઝિટિવ, 13 દુકાનોને સીલ કરાઈ
  • આસામમાં કોરોનાના ચાર નવા કેસ સામે આવ્યા
  • રાજસ્થાનના નાગૌરના સીમેન્ટ ફેક્ટરીના મજૂરોએ ઘરે જવા માટે પોલીસ પર પથ્થરમારો કર્યો
  • કર્ણાટકના કલબુર્ગીમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરાયું, એક સાથે નમાઝ પઢવાના કારણે 14 લોકોની ધરપકડ કરાઈ
  • હરિયાણાના ઝજ્જરમાં 9 શાકભાજીવાળા વેપારી સહિત 10 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
  • કેન્દ્ર સરકારે હરિયાણાના મનેસર ખાતે આવેલ એક દક્ષિણ કોરિયન કંપનીની બનાવેલી રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. હરિયાણાએ કંપનીમાંથી 25 હજાર ટેસ્ટ કીટ લીધી છે. તપાસ ગુરુવારથી શરૂ કરાશે.

દિલ્હી પોલીસે એઈમ્સની પરિક્રમા કરી

કોરોના દર્દીઓની સારવારમાં લાગેલા મેડિકલ સ્ટાફ અને હેલ્થ વર્કર્સનો આભાર વ્યક્ત કરવા માટે દિલ્હી પોલીસે એઈમ્સની પરિક્રમા કરી હતી. એઈમ્સના ટ્રામા સેન્ટરને કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવી દેવાઈ છે. અહીંયા માત્ર કોરોના દર્દીઓને જ દાખલ કરાવાઈ રહ્યા છે. એઈમ્સના ચારેય બાજુના રસ્તા પર બુધવારે સાંજે થયેલી આ ખાસ રેલીમાં દક્ષિણ પોલીસની 51 કોવિડ પેટ્રોલિંગ બાઈક સામેલ થઈ હતી. એઈમ્સની પરિક્રમા કરનારી પોલીસ ટીમનું નેતૃત્વ મહિલા અધિકારીઓએ કર્યું

પાંચ દિવસમાં જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા

દિવસકેસ
28 એપ્રિલ 1902
25 એપ્રિલ1835
29 એપ્રિલ1702
23 એપ્રિલ1667
26 એપ્રિલ1607

26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું 

કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 6 કેન્દ્રશાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર99151593432
ગુજરાત4082527197
દિલ્હી3439107854
રાજસ્થાન2556836

58

મધ્યપ્રદેશ2560461

130

તમિલનાડુ2162121027
ઉત્તરપ્રદેશ213451039
આંધ્રપ્રદેશ140332131
તેલંગાણા101637425
પશ્વિમ બંગાળ75812422
જમ્મુ-કાશ્મીર5811928
કર્ણાટક55722321
કેરળ496

369

4
પંજાબ37510119
હરિયાણા329227

3

બિહાર409642
ઓરિસ્સા12839

1

ઝારખંડ107

19

3
ઉત્તરાખંડ55360
હિમાચલ પ્રદેશ402902
આસામ422901
છત્તીસગઢ403600
ચંદીગઢ681700
આંદામાન-નિકોબાર331500
લદ્દાખ221700
મેઘાલય120001
પુડ્ડચેરી 080501
ગોવા070700
મણિપુર020200
ત્રિપુરા 020200
અરુણાચલ પ્રદેશ010100
મિઝોરમ010100

રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશ, સંક્રિમતઃ2560- અહીંયા બુધવારે 175 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માત્ર ઈન્દોરમાં જ 104 દર્દી મળી આવ્યા છે. ત્યારબાદ ભોપાલમાં 25, ખંડવામાં 10, ખરગોનમાં 09, ધાર અને જબલપુરમાં 8-8 ઉજ્જૈનમાં 04, રાયસણમાં 2 જ્યારે હોશંગાબાદ, દેવાસ અને આગર માલવામાં 1-1 દર્દી મળી આવ્યા હતા. 

ઉત્તરપ્રદેશ, સંક્રમિત-2134 અહીંયા બુધવારે 81 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 5 સંક્રમિતોના મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોમાં 1053 જમાતી અને તેમના સંપર્કમાં આવેલા લોકો છે.

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ9915- રાજ્યમાં બુધવારે 32 સંક્રમિતોના મોત થયા હતા. 597 નવા કેસ સામે આવ્યા હતા.

રાજસ્થાન, સંક્રમિતઃ 2524- અહીંયા ગુરુવારે સંક્રમણના 86 કેસ સામે આવ્યા છે. જેમાંથી જોધપુરમાં 59, જયપુરમાં 14, અજમેરમાં 04, ચિતોડગઢમાં 3, કોટા અને ટોંકમાં 2-2 જ્યારે અલવર અને ધૌલપુરમાં 1-1 દર્દી મળ્યા છે.

બિહાર, સંક્રમિતઃ392- અહીંયા બુધવારે સંક્રમણના 37 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી બક્સરમાં 14, પશ્વિમ ચંપારણમાં 05, દરભંગામાં 04, પટના અને રોહતાસમાં 3-3, ભોજપુર અને બેગુસરાયમાં 2-2, જ્યારે ઔરંગાબાદ, વૈશાલી, સીતામઢી અને મધેપુરામાં 1-1 દર્દી મળી આવ્યા છે.

દિલ્હી, સંક્રમિત-3314ઃ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, આઝાદપુર શાકભાજી મંડીના 11 વેપારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધ ચાલું છે. જો કે, તે મંડીમાં સીધા કોઈના સંપર્કમાં આવ્યા નથી. જૈને એવું પણ કહ્યું કે, નવી ગાઈડલાઈન પ્રમાણે હવે સામાન્ય લક્ષણ વાળા સંક્રમિતોને ઘરે જ 14 ક્વૉરન્ટીન કરાશે.