કોરોના ઈન્ડિયા LIVE:અત્યાર સુધી 24,449 કેસઃ ગુજરાતમાં પ્રથમ વખત સશસ્ત્ર દળમાં સંક્રમણનો મામલો, સેનાના 4 જવાન પોઝિટિવ, દિલ્હીમાં CRPFના 9 જવાન સંક્રમિત

નવી દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેનાના તમામ જવાન વડોદરા ટ્રેનિંગ માટે આવ્યા હતા. હાલ તેમને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા છે. - Divya Bhaskar
સેનાના તમામ જવાન વડોદરા ટ્રેનિંગ માટે આવ્યા હતા. હાલ તેમને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા છે.
  • વડોદરામાં સંક્રમિત મળેલા સેનાના જવાન ટ્રેનિંગ માટે આવ્યા હતા, ત્યારબાદ સમગ્ર છાવણીને સેનેટાઇઝ કરવામાં આવી
  • CRPFના 7 કોન્સ્ટેબલ, 1 હેડ કોન્સ્ટેબલ અને 1 સબઇનસ્પેક્ટર સહિતના અધિકારીઓ પોઝિટિવ આવ્યા છે
  • સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે અત્યાર સુધી 4748 દર્દીઓ સ્વસ્થ થયા છે, તો રિકવરી રેટ વધીને 20.57 ટકા થયો છે

દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કિસ્સા ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 24 કલાકમાં 1752 કોરોનાના દર્દીઓ મળ્યા છે. એક દિવસમાં આ મળેલા દર્દીઓમાં આ સૌથી વધારે છે. તો આ બાજુ ગુજરાતમાં સશસ્ત્રદળમાં સંક્રમણનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં સેનાના 4 જવાન કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તમામ મિલિટ્રી સ્ટેશનમાં ટ્રેનિંગ લઇ રહ્યાં હતા. હાલ તેમને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સંક્રમિતોની સંખ્યા 24 હજારને પાર
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 24 હજાર 449 થઈ છે. શુક્રવારે 1408 દર્દીઓ મળી આવ્યા હતા. મહારાષ્ટ્રમાં 390, ગુજરાતમાં 292, દિલ્હીમાં 138, તમિલનાડુમાં 72, ઉત્તરપ્રદેશમાં 111, રાજસ્થાનમાં 44, બિહારમાં 53 અને ઓડિશામાં 1 દર્દીનો રિપોરિટ પોઝિટિવ આવ્યો છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મેળવેલી જાણકારી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં સંક્રમિતોની સંખ્યા કુલ 4748 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ દરમિયાન રિકવરી રેટ વધીને 20.57 ટકા થયો છે, જે સૌથી વધારે છે.

દેશમાં સંક્રમિતોની સંખ્યા 24,000 

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 24 હજાર 427 થઈ છે અને 779 લોકોના મોત થયા છે. શુક્રવારે  મહારાષ્ટ્રમાં 390, ગુજરાતમાં 191, દિલ્હીમાં 138, તમિલનાડુમાં 72, ઉત્તર પ્રદેશ 111, રાજસ્થાનમાં 44, બિહારમાં 44  અને ઓરિસ્સામાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં સંક્રમિતોની સંખ્યા 23452 છે. જેમાંથી 17915ની સારવાર ચાલી રહી છે, 4813 સાજા થયા છે. નીતિ આયોગના સભ્ય ડો.વીકે પોલે જણાવ્યુ છે કે જો લોકડાઉન જેવા ઉપાયોને લાગુ કરી સંક્રમણનો દર અટકાવવામાં ન આવ્યો હોત તો આજે આપણા દેશને ઘણુબધુ નુકસાન થઈ ગયુ હોત. આજે દેશમાં સંક્રમિતોનો આંક 23 હજાર છે, જો લોકડાઉન લાગુ ન થયુ હોત તો આ આંક 73 હજાર થઈ ગયો હતો. 

દિલ્હીના કોન્સ્ટેબલે ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડી, માતાએ શિશુનું નામ કોન્સ્ટેબલના નામ દયાવીર રાખ્યું

દેશમાં શુક્રવારે લોકડાઉનનો 1 મહિનો થઈ ગયો છે. આ સમય દરમિયાન કેટલીક એવી તસવીરો સામે આવી છે કે જેણે સૌનું દિલ જીતી લીધુ છે. અહીં એક માતા તેના નવજાત શિશુનું નામ તે કોન્સ્ટેબલના નામ પરથી રાખ્યું કે જેણે ડિલિવરી માટે મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી. આ સન્માન બદલ કોન્સ્ટેબલ બયાબીર સિંહ ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં હું ગર્ભવતી મહિલાને મદદ કરી તે મારા માટે ગર્વની વાત છે. 

દિલ્હીમાં પ્લાઝ્મા થેરાપીનો ટેસ્ટ કરાયો, પરિણામ સારા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે અમે ચાર દર્દી પર પ્લાઝ્મા થેરાપીનો ટેસ્ટ કર્યો છે. તેના પરિણામો ઉત્સાહજનક રહ્યા છે. આ તમામ દર્દી અહીંની લોક નાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ (LNJP)માં દાખલ છે. કેજરીવાલે કહ્યું કે અન્ય 2-3 દર્દીને આ થેરાપી આપવાની બાકી છે. અત્યારે કેન્દ્ર તરફથી કેટલાક ગંભીર દર્દીઓ પર આ ઈલાજ કરવા મંજૂરી મળી હતી. કેજરીવાલે સાજા થયેલા દર્દીઓને બ્લડ પ્લાઝ્મા દાન કરવા અપીલ કરી છે.

કેન્દ્રીય ટીમ અમદાવાદ અને સુરતની સ્થિતિની સમીક્ષા કરવા આવશે

કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 1654 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. જ્યારે સુરતમાં 456 કેસ અને 13 દર્દીના મોત થઈ ગયા છે. જેને પગલે એક કેન્દ્રીય ટીમ અમદાવાદ અને સુરતની સ્થિતિની સમીક્ષા કરવા આવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં હાલ કોરોનાના કેસ 10 દિવસે ડબલ થઈ રહ્યાં છે. જ્યારે હાલ અમદાવાદમાં દર 7 દિવસે કોરોનાના કેસ ડબલ થઈ રહ્યાં છે. તેમજ અમદાવાદની સાથે સાથે સુરતમાં પણ પોઝિટિવ કેસોમાં મોટો ઉછાળો આવી રહ્યો છે આ બન્ને શહેરોમાં પરિસ્થિતિ ભયજનક થઈ રહી છે. આમ દેશમાં 10 દિવસે પણ અમદાવાદમાં 7 દિવસે કેસો બમણાં થઈ રહ્યા હોવાથી કેન્દ્ર સરકાર પણ ગંભીર બની છે. અમદાવાદનો ડબલિંગ રેટ દેશ કરતા નીચે ચાલી રહ્યો છે. જેને કારણે એક કેન્દ્રીય ટીમ અમદાવાદ અને સુરત આવશે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગની પ્રેસ કોન્ફરન્સ

  • સરકારે કહ્યું- દેશે વ્યવહાર બદલ્યો છે. દરેક ગામ, દરેક વિસ્તારમાં લોકોના વિચાર છે કે આ મહામારીને આપણે હરાવવાની છે. આપણા જીવનને સામાન્ય રાખીને આ મહામારીથી કેવી રીતે લડવું તેના માટે રણનીતિ બનાવાઈ રહી છે.
  • અમે જિલ્લા સ્તરેથી રાજ્ય અને કેન્દ્ર સુધી સર્વિલાંસ સિસ્ટમ બનાવી છે. અત્યાર સુધી 9 લાખ 45 હજાર લોકો સર્વિલાન્સમાં છે. જિલ્લાના ક્લેક્ટરોની મદદથી અમે સર્વિલાન્સમાં મદદ મળી છે.
  • અમે દવા અને વેક્સીન તૈયાર કરવાના પણ પ્રયાસ કરી રહ્યા છીએ. કન્ટેનમેન્ટ પ્લાન પણ ચાલી રહ્યો છે. જો આવા પગલા નહીં લેવામાં આવે તો સંક્રમણ વધશે. એવામાં આપણા માટે સ્થિતિ વધારે ખરાબ બનશે અને તેની સામે પહોચી વળવું પણ મુશ્કેલ બનશે.
  • દેશના 734 જિલ્લામાં કોરોના ફેલાયો છે
  • કોરોનાનો રિકવરી રેટ 20.5 ટકા છે
  • દેશના 80 જિલ્લામાં 14 દિવસથી કોઈ કેસ નથી, કોરોનાનો રિકવરી રેટ 20.5 ટકાઃMHA
  • વધુ ચાર ટીમ બનાવાઈ જે સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ જશેઃMHA
  • ઈન્દોરમાં 20 કન્ટેનમેન્ટ ઝોન જોખમી છેઃ MHA

પાંચ દિવસમાં જ 47% દર્દી વધ્યા 
છેલ્લા પાંચ દિવસોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 7 હજારથી પણ વધુનો વધારો થયો છે. ગુરુવારે 1667 કેસ સામે આવ્યા. એક દિવસમાં આ દર્દીઓની સૌથી મોટો આંકડો છે. આ પહેલા 19 એપ્રિલે સૌથી વધારે 1580 સંક્રમિત મળ્યા હતા. 17 એપ્રિલે દેશમાં 15724 દર્દી હતા. ત્યારથી માંડી ગુરુવાર સુધી 7315 દર્દી વધ્યા છે. એટલે કે 5 દિવસ 46.52%નો વધારો થયો છે.

પાંચ દિવસમાં કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ

દિવસકેસ
23 એપ્રિલ1667
19 એપ્રિલ1580
21 એપ્રિલ1537
18 એપ્રિલ1371
22 એપ્રિલ1292

મહત્વના અપડેટ્સ 

  • દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, છેલ્લા ઘણા દિવસોમાં અમે ચાર દર્દીઓ પર પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કર્યો છે. જેના સારા પરિણામ મળ્યા છે. આ તમામ દર્દી અહીંયાના લોક નાયક જયપ્રકાશ નારાણય હોસ્પિટલના છે. તેમણે કહ્યું કે, એલએનજેપીના 2-3 દર્દીઓને આ થેરેપી આપવાની છે. કેજરીવાલે જણાવ્યું કે, ઘણા ગંભીર દર્દીઓ પર જ સારવારની આ રીત ઉપયોગ કરવાની મંજૂરી કેન્દ્ર પાસેથી મળી હતી. હવે આનો બીજા દર્દીઓ પર પણ ઉપયોગ કરવામાં આવશે. આવતા સપ્તાહ ગંભીર દર્દીઓને આ સારવાર આપવાની મંજૂરી મળી જશે. તેમણે પહેલા સ્વસ્થ થઈ ચુકેલા દર્દીઓને બ્લડ પ્લાઝમા દાન કરવાની અપીલ કરી છે.
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, ચીન અને અન્ય દેશોમાં લાવવામાં આવેલી ખરાબ એન્ટીબોડી રેપિડ ટેસ્ટ કીટ સંબંધિત દેશોમાં પાછી આપવામાં આવશે. આ કીટ કોરોના સંક્રમણની તપાસ માટે મંગાવવામાં આવી હતી. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આ ટેસ્ટ કીટ માટે હાલ કોઈ ચુકવણી કરાઈ નથી. આ કીટના પરિણામ પર પશ્વિમ બંગાળ, રાજસ્થાન જેવા રાજ્યોમાંથી ફરિયાદો આવી હતી. ત્યારબાદ ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આનાથી તપાસ કરવા પર સ્ટે લગાવી દીધો હતો.
  • દિલ્હીના બાબૂ જગજીવન રામ હોસ્પિટલમાં ડોક્ટર સહિત 7 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફ પણ સામેલ છે. મળતી માહિતી પ્રમાણે, આ પહેલા પણ આ જ હોસ્પિટલમાં 7 કોરોનાના કેસ સામે આવ્યા હતા.
  • મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી અને NCP નેતા જિતેન્દ્ર આવ્હાડનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. નિમોનિયાની ફરિયાદના કારણે મંત્રીને મંગળવારે રાતે થાણેની હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા. બુધવાર સાંજે તેમના સંક્રમણની પુષ્ટી થઈ હતી.
  • ઉત્તરપ્રદેશના મેરઠમાં મૃતક ભાજપના નેતા પીએસઓના પિતા છે. ત્યારબાદ જિલ્લાના સાંસદ, ધારાસભ્ય સહિત ઘણા લોકોને ક્વૉરન્ટીન કરાયા છે.
  • કેરળમાં ચાર મહિનાના બાળકનું કોરોના સંક્રમણના કારણે મોત થયું છે. આ બાળકની કોઝીકોડ મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી હતી. બાળકમાં 22 એપ્રિલે કોરોનાની પુષ્ટી થઈ હતી. બાળકે હાર્ટની તકલીફના કારણે હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો હતો,પણ બાદમાં કોરોના સંક્રમણ સામે આવ્યું હતું. કેરળમાં કોરાનાને કારણે અત્યાર સુધી ત્રણ લોકોના મોત થયા છે.
  • ગોવા, અરુણાચલપ્રદેશ અને મણિપુર બાદ ત્રિપુરા પણ કોરોના મુક્ત થઈ ગયું છે. જો કે અહીંયા ઘણા ઓછા દર્દી હતા. ગોવામાં 7, અરુણાચલમાં 2, જ્યારે મણિપુર અને ત્રિપુરામાં 1-1 વ્યક્તિ સંક્રમિત મળી આવ્યા છે.
  • ઉત્તરાખંડમાં ઉત્તરકાશીની રેવેન્યુ પોલીસે ક્વૉરન્ટીન નિયમોનું ઉલ્લંઘન કરવા પર 51 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં 6 મહિના અને 3 વર્ષના 2 બાળક પણ છે. સાથે જ ઉત્તરકાશીના કલેક્ટરનું કહેવું છે કે 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ એફઆરઆઈ ના કરી શકાય.
  • ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન ગુજરાત વિસ્તારના ચેરમેન વિરાંચી શાહના જણાવ્યા પ્રમાણે દેશમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનની કોઈ અછત નથી. આપણે દર મહિને 35 થી 40 કરોડ ટેબલેટ બનાવી શકીએ છીએ. જે આપણી જરૂરિયાતનું 10 ગણું છે. આ દવાને કોરોનાની સારવારમાં કારગર માનવામાં આવે છે.
  • સાઉદી અરબ ખાતે આવેલા ભારતીય દૂતાવાસનું કહેવું છે કે 22 એપ્રિલ સુધી જે માહિતી મળી છે, તેના પ્રમાણે ત્યાં કોરોના વાઈરસ સંક્રમણથી 11 ભારતીયોના મોત થયા છે.
રાજ્ય કેટલા સંક્રમિતકેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર6427840283
દિલ્હી237680850
તમિલનાડુ168375220
મધ્યપ્રદેશ177120383
રાજસ્થાન196445128
ગુજરાત2624258112
ઉત્તરપ્રદેશ151020624
તેલંગાણા97026225
આંધ્રપ્રદેશ89314127
કેરળ44731602
કર્ણાટક44514517
જમ્મુ-કાશ્મીર4349205
પશ્વિમ  બંગાળ4567915
હરિયાણા27017003
પંજાબ2836617
બિહાર 1704402
ઓરિસ્સા893301
ઉત્તરાંખડ472400
હિમાચલ પ્રદેશ401802
આસામ361901
છત્તીસગઢ362800
ઝારખંડ530803
ચંદીગઢ291402
લદ્દાખ181400
આંદામાન-નિકોબાર221100
મેઘાલય120001
ગોવા070700
પુડ્ડુચેરી070400
મણિપુર020100
ત્રિપુરા020100
અરુણાચલ પ્રદેશ010100
દાદરા નગર હવેલી010000
મિઝોરમ010000
નાગાલેન્ડ010000

દેશના રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિત-1771: અહીંયા ગુરુવારે 184 સંક્રમિત મળ્યા છે. ઈન્દોરમાં 106, ભોપાલમાં 20, ખરગોનમાં 10 અને ઉજ્જૈમાં પહેલી વખત એક દિવસમાં 35 દર્દી મળ્યાય ઈન્દોરમાં અત્યાર સુધી 1051 સંક્રમિત છે. મુંબઈ, અમદાવાદ અને દિલ્હી બાદ ચોથું શહેર છે, જ્યાં સંક્રમિતોનો આંકડો 1000ને પાર થઈ ગયો છે. તો બીજી બાજુ ભોપાલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 323 થઈ ગઈ છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિત-1510: અહીંયા ગુરુવારે 61 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ સંક્રમિતોમાં તબલીઘ જમાતીઓમાં સંખ્યા 1004 છે. રાજ્યમાં 206 દર્દી સાજા થયા છે. જ્યારે 24 મોત થયા છે. રાહતની વાત છે કે 11 જિલ્લા કોરોના મુક્ત થઈ ચુક્યા છે.

મહારાષ્ટ્ર, સંક્રમિત-6427ઃ અહીંયા 24 કલાકમાં રેકોર્ડ 778 પોઝિટિવ મળ્યા છે. આ પહેલા 21 એપ્રિલે 552 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગુરુવારે આ બિમારીથી રાજ્યમાં 14 લોકોના મોત થયા છે. જેમાં મુંબઈમાં 6, પૂણેમાં 5 અને નંદુરબાર, નવી મુંબઈ અને ધુલેમાં એક એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધી 283 લોકોના મોત થયા છે.

રાજસ્થાન, સંક્રમિતઃ2000-  અહીંયા શુક્રવારે 36 કોરોના સંક્રમિતોમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં જયપુરમાં 13, ક્વોટાથી 18, ઝાલાવાડથી 4 અને ભરતપુરમાં 1 મળી આવ્યો છે. અહીંયા ગુરુવારે 76 સંક્રમિત મળ્યા હતા.

દિલ્હી, સંક્રમિતઃ 2248- દિલ્હીના જહાંગીરપુરીમાં 46 કોરોના પોઝિટિવ મળ્યા છે.ત્યારબાદ અહીંયા લોકોની અવર જવર બંધ કરી દેવાઈ છે. આ સાથે જ અહીંયા મહરોલીને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરી દેવાયો છે. આ સાથે જ અહીંયા કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 92 થઈ ગઈ છે. 
બિહાર,સંક્રમિતઃ162- રાજ્યમાં એક દિવસમાં કોરોના સંક્રમણના સૌથી વધારે 19 કેસ સામે આવ્યા ચે. જેમાં કૈમૂરમાં 08, સીવાનમાં 01, રોહતાસમાં 6 અને મુંગેરમાં 4 કેસની પુષ્ટી કરાઈ છે.