કોરોના ઈન્ડિયા LIVE:અત્યાર સુધીમાં 20,084 કેસઃ ગાઝિયાબાદ પછી નોઇડાથી દિલ્હી જતી સરહદ સીલ, જરૂરી સેવા અને સ્વાસ્થ્ય કર્મીઓને જવાની મંજૂરી આપવામાં આવશે

નવી દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે 1537 નવા દર્દીઓ સામે આવ્યા, સૌથી વધારે 552 મહારાષ્ટ્રમાંથી મળ્યા
  • ભારત સહિત દુનિયામાં 17 દેશોમાં 20 હજારથી વધારે કેસ, સતત ચોથા દિવસે 1 હજારથી વધારે કેસ મળ્યા

ગાઝિયાબાદ પછી નોઇડાથી દિલ્હી જતી સરદહોને પણ મંગળવારે સીલ કરવામાં આવી છે. નોઇડાના ડીએમ સુહાસ એલવાઈએ કહ્યું હતું કે, સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટમાં દિલ્હી અને નોઇડા વચ્ચે લોકોની અવરજવર થશે તો સંક્રમણ વધવાની શક્યતા બતાવવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી દિલ્હી કનેક્શનવાળા ઘણા કોરોનાના કેસ આવ્યાં છે. એટલે જનતાના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આવશ્યક સેવા અને સ્વાસ્થ્ય કર્મીઓને આવન-જાવન માટે છૂટ આપવામાં આવશે.

મમતાએ કેન્દ્રની ટીમને અટકાવી

પશ્વિમ બંગાળ સરકારે રાજ્યમાં કોરોના વાઈરસ સંક્રમણની સમીક્ષા કરવા પહોંચેલી ટીમને જોખમ વાળા વિસ્તારમાં જતા અટકાવ્યા છે. આ ઈન્ટર મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમના નેતા અને રક્ષા મંત્રાલયના પ્રવક્તા અપૂર્વા ચંદ્રાએ કહ્યું કે, અમે અહીંયા ગઈ કાલે સવારે આવ્યા હતા. ત્યારથી અમને કહેવામાં આવી રહ્યું છે કે સરકાર અમારો સહયોગ કરશે. એક દિવસ વિતી ચુક્યો છે અને અમે માત્ર બે જગ્યાએ જ ગયા છીએ. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે કોલકાતા, મુંબઈ, પૂણે ઈન્દોર અને જયપુર સહિત અન્ય શહેરોમાં સંક્રમણની સ્થિતિ ગંભીર હોવાની વાત કહી હતી. કેન્દ્રની ટીમના જવા પર પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને ચિઠ્ઠી લખીને વાંધો ઉઠાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે આ ટીમોએ આવવા જવામાં મદદ માટે સીધો સીમા સુરક્ષા બળનો સંપર્ક કર્યો. ટીમ રાજ્ય સરકારને સૂચના આપ્યા વગર સીધા ફિલ્ડમાં ગઈ હતી.

સંક્રમિતોની સંખ્યા 20,000 નજીક પહોંચી

અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20,000 નજીક પહોંચી છે. કુલ સંક્રમિતોની સંખ્યા 19,962 અને 646 લોકોના મોત થયા છે. મંગળવારે મહારાષ્ટ્રમાં 542, ગુજરાતમાં 229, ઉત્તર પ્રદેશમાં 110, રાજસ્થાનમાં 83 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.  દેશમાં સોમવારે 1235 નવા કેસ સામે આવ્યા હતા. આ સતત ત્રીજો દિવસ હતો, જ્યારે દેશમાં કોરોના સંક્રમણના 1000થી વધું કેસ આવ્યા હતા. આ પહેલા રવિવારે 1580 અને શનિવારે 1371 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. દેશમાં કોરોનાના 9329 દર્દી છેલ્લા આઠ દિવસમાં જ વધ્યા છે. આ કુલ સંક્રમિતોનો 50% છે. આ આંકડા covid19india.org  અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમણના કુલ 18,601 કેસ સામે આવ્યા છે. જેમાં 14, 759ની સારવાર ચાલી રહી છે. 3252 સ્વસ્થ થયા છે, તો બીજી તરફ 590 લોકોના મોત થયા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ 

  • રેપિડ કીટ પર હાલ સ્ટે મુકવામાં આવ્યો છે. હવે તેનીતપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેનો ઉપયોગ કરવો કે નહીં તે અંગે દિશા નિર્દેશ બહાર પાડવામાં આવશે.
  • 1 દિવસમાં 705 કોરોના દર્દી સ્વસ્થ થયા
  • દેશભમાં કોરોનાના અત્યાર સુધી કુલ 18,601 કેસ
  • દેશના 61 જિલ્લામાં 14 દિવસથી કોઈ કેસ નોંધાયા નથી
  • પ્રતાપગઢમાં 28 દિવસથી કોઈ કેસ સામે આવ્યો નથીઃસ્વાસ્થ્ય મંત્રાલય
  • કોરોનાના અત્યાર સુધી 4 લાખ 49 હજાર 810 ટેસ્ટ કરાયા-ICMR
  • છેલ્લા 24 કલાકમાં 1336 નવા દર્દી આવ્યા
  • 40 હજાર વોલેન્ટીયર્સ 550 જિલ્લાઓમાં કામ કરી રહ્યા છે
  • લોકડાઉન પર સતત નજર રખાઈ રહી છેઃMHA
  • ઈન્ટર મિનિસ્ટરિયલ ટીમને 4 રાજ્યોમાં મોકલવામાં આવી છે.
  • કોરોના સામેના જંગ માટે બે પોર્ટલ બનાવાયા
  • આ પોર્ટલ પર 1 કરોડ 24 લાખ લોકોની વિગત
  • કોવિડ વોરિયર્સ માટે પોર્ટલ બનાવાયું
  • પોર્ટલમાં હોસ્પિટલ અને એક્સપર્ટની વિગતો

મહત્વના અપડેટ્સ 

  • ચેન્નાઈની એક તમિલ ચેનલના 25 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોના ટેસ્ટનું રિઝલ્ટ આવ્યા બાદ ચેનલનો લાઈવ શો પણ ટાળવો પડ્યો હતો.
  • ઉત્તરપ્રદેશમાં કોરોનાના દર્દીઓના મોતના ઓડિટ માટે 11 કમિટિ બનાવાશે
  • દિલ્હી હવામાન વિભાગમાં એક કર્મચારીનું કોરોના સંક્રમણથી મોત, સંપર્કમાં આવેલા 10 લોકો પોઝિટિવ
  • રાયબરેલીમાં 33 લોકો કોરોના પોઝિટિવ મળ્યા, આ લોકો જમાતના સંપર્કમાં હતા
  • રેપિડ ટેસ્ટ કીટમાં ગરબડ, રાજસ્થાન સરકારે કોરોનાની તપાસ અટકાવી
  • લોકસભા સચિવાલયમાં કામ કરતો એક કર્મચારી કોરોના પોઝિટિવ, RML હોસ્પિટલમાં દાખલ
  • અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પત્રકારોના કોવિડ-19ની તપાસ કરાવશે દિલ્હી સરકાર
  • અલહાબાદ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર શાહિદ અને 16 વિદેશી જમાતીઓ સહિત કુલ 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિદેશીઓની ધરપકડ ફોરેનર્સ એક્ટ હેઠળના મામલામાં કરાઈ છે જ્યારે પ્રોફેસર શાહિદને જમાતીઓને ચોરી-છુપા શહેરમાં શરણ આપવાના આરોપમાં અને મહામારી એક્ટ હેઠળ ધરપકડ કરાઈ છે.
  • ઉત્તર દિલ્હીમાં રાશનની દુકાન પર કામ કરતો હેલ્પર પોઝિટિવ
  • મહારાષ્ટ્રના નાગપુરમાં 7 અને રાજસ્થાનમાં 52 નવા પોઝિટિવ કેસ નોંધાયા
  • દેશમાં સૌથી સુરક્ષિત સ્થળોમાંનું એક રાષ્ટ્રપતિ ભવન પણ કોરોનોના સંકજામાં આવી ગયું છે. રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરનારા એક સફાઈકર્મીની વહુ કોરોના પોઝિટિવ આવી છે. તે પોતાના પરિવાર સાથે જ રાષ્ટ્રપતિ ભવનના કેમ્પસમાં રહેતી હતી. ત્યારબાદ કેમ્પસમાં રહેતા 125 પરિવારોને હોમ ક્વૉરન્ટીન કરી દેવાયા છે.
  • મધ્યપ્રદેશમાં કોરોનાના કારણે ઉજ્જૈનના નીલગંગા પોલીસ સ્ટેશનના પ્રભારી યશવંત પાલનું કોરોનાના કારણે મોત થયું છે. તે અંબર કોલોની કન્ટેનમેન્ટ વિસ્તારમાં ડ્યૂટી દરમિયાન કોરોના પોઝિટિવ થયા હતા. તેમની સારવાર ઈન્દોરના અરવિંદો હોસ્પિટલમાં ચાલી રહી હતી. આજે સવારે તેમનું મોત થયું છે.

સંકટ વચ્ચે હોસલો વધારતા 3 કિસ્સા 

  • ગુજરાતમાં અમદાવાદના ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટરે વેન્ટીલેટરમાં ફેરફાર કર્યા છે, આનાથી અહીંયા એક સાથે એક કરતા વધુ દર્દીઓના ઉપયોગમાં આવી શકે છે.
  • મુંબઈમાં મહિલા ઓટો રિક્ષા ડ્રાઈવર શીતલ સરોદે લોકડાઉન વચ્ચે જરૂરિયાતમંદોને મફતમાં સેવા આપી રહી છે. તેમનું કહેવું છે કે ઘણા લોકો એવા છે, જેમને જરૂરી કામથી કોઈ શહેરમાં જવું હોય, તેમને વાહન મળતા નથી.
  • છત્તીસગઢના કોડાગાંમમાં ડો.સંતોષી માણિરપુરી આઠ મહિનાની ગર્ભવતી છે. ત્યારબાદ પણ તે દર્દીઓની સારવાર કરી રહી છે. તેમના કહ્યાં પ્રમાણે દેશ જ્યારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે, એવામાં મને ખુશી છે કે હું સેવાઓ આપી રહી છું.

પાંચ દિવસમાં જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા 

દિવસકેસ
19 એપ્રિલ1580
18 એપ્રિલ1371
13 એપ્રિલ1243
20 એપ્રિલ1235
16 એપ્રિલ1061
રાજ્ય કેટલા સંક્રમિતકેટલા સ્વસ્થ થયા કેટલા મોત 
મહારાષ્ટ્ર4666572232
દિલ્હી208143147
તમિલનાડુ152045717
મધ્યપ્રદેશ148513872
રાજસ્થાન157620525
ગુજરાત194413171
ઉત્તરપ્રદેશ118414018
તેલંગાણા87218623
આંધ્રપ્રદેશ7229220
કેરળ40829103
કર્ણાટક40811416
જમ્મુ-કાશ્મીર3687105
પશ્વિમ બંગાળ3396612
હરિયાણા25114105
પંજાબ2453816
બિહાર1134202
ઓરિસ્સા 742401
ઉત્તરાખંડ461800
હિમાચલ પ્રદેશ391602
આસામ341901
છત્તીસગઢ362500
ઝારખંડ450002
ચંદીગઢ290902
લદ્દાખ181400
આંદામાન-નિકોબાર151100
મેઘાલય110001
ગોવા070700
પુડુુચેરી070400
મણિપુર20100
ત્રિપુરા20100
અરુણાચલપ્રદેશ1100
દાદરા નગર હવેલી100
મિઝોરમ100
નાગાલેન્ડ100

6 રાજ્ય, 1 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ 
 મધ્યપ્રદેશ, સંક્રમિત 1485- રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે સોમવારે કોરોનાના 78 નવા દર્દી મળ્યા. જેમાં સૌથી વધારે 40 કેસ ભોપાલમાં સામે આવ્યા છે. અહીંયા કુલ સંક્રમિતોની સંખ્યા 254 થઈ ગઈ છે. એક દિવસ પહેલા સંખ્યા 214 હતી. ધારમાં 15 અને રાયસેનમાં 17 નવા સંક્રમિત મળ્યા છે.

ભોપાલના રસ્તાઓ પર રવિવારે વાહનોની ભીડ જોવા મળી હતી. જો કે ગ્રીન ઝોનમાં લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે અને લોકો તેનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે.
ભોપાલના રસ્તાઓ પર રવિવારે વાહનોની ભીડ જોવા મળી હતી. જો કે ગ્રીન ઝોનમાં લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે અને લોકો તેનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે.

મહારાષ્ટ્ર, સંક્રમિત -4666ઃ અહીંયા સોમવારે 466 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 53 પત્રકાર પણ સામેલ છે. તમામ હાલ આઈસોલેટ કરી દેવાયા છે. કુલ 171 વીડિયો જર્નાલિસ્ટ, રિપોર્ટર અને ફોટોગ્રાફરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 

રાજસ્થાન, સંક્રમિત 1576ઃ અહીંયા સોમવારે 98 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જેમાંથી જયપુરમાં 50, જોધપુરમાં 32, કોટામાં 7 નવા દર્દી મળ્યા હતા. સાથે જ નાગૌર અને કોટામાં એક એક સંક્રમિતનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 25 લોકોનું આના લીધે મોત થયું છે. નાગૌરમાં કોરોના હોટસ્પોટ બનેલા બાસની ગામમાં શનિવારે જન્મેલી બાળકી પણ સંક્રમિત મળી આવી હતી.

 ઉત્તપ્રદેશ, સંક્રમિત 1184- અહીંયા સોમવારે કોરોનાના 84 નવા કેસ સામે આવ્યા હતા. કાનપુરમાં 17 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ મેરઠના વૈલેન્ટિસ કેન્સ હોસ્પિટલ સંચાલને છાપામાં આપેલા વિવાદીત વિજ્ઞાપન અંગે માફી માંગી લીધી છે. 

 બિહાર, સંક્રમિત 113- રાજ્યના સીવાન જિલ્લાને રેડ ઝોનમાં રાખવામાં આવ્યો છે. અહીંયા લોકડાઉનમાં કોઈ છૂટ આપવામાં આવી નથી. સીવાનમાં સૌથી વધારે 29 સંક્રમિત છે. મુંગેર, બેગુસરાય, નાલંદા, પટના, ગયા, ગોપાલગંજ, નવાદા, બક્સર, સારણ, લખીસરાય, ભાગલપુર, આરા અને વૈશાલી ઓરેન્જ કેટેગરીમાં છે. અહીંયા થોડી છૂટ આપવામાં આવી છે. જેના 24 જિલ્લામાં સંક્રમણનો કોઈ કેસ આવ્યો નથી, એટલા માટે તેને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે.