કોરોના ઈન્ડિયા LIVE:અત્યાર સુધી 29,451 કેસઃ કેન્દ્રીય મંત્રી નકવીએ કહ્યું - જમાતીયાઓએ પહેલા દેશમાં સંક્રમણ ફેલાવ્યું, હવે કોરોના વોરિયર બનવા માગે છે
નવી દિલ્હી3 વર્ષ પહેલા
કૉપી લિંક
દેશમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા 29,451 થઈ છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાક અબ્બાસ નકવીએ તબલીઘીજમાત પર નિશાન સાધતા કહ્યું છે કે, પહેલા જમાતીયાઓએ આખા દેશમાં સંક્રમણ ફેલાવ્યું, હવે પ્લાઝમા ડોનેટ કરવાની અરજી કરી કોરોના વોરિયર બનવા માગે છે. તબલીઘી જમાતે પોતે કરેલા ગુના પર શરમ કરવાની જગ્યાએ લાખો કોરોના યોદ્ધાઓનું અપમાન કરી રહ્યાં છે. પહેલા પણ નકવીએ જમાતિયાઓ દ્વારા સંક્રમણ ફેલાવવાની ઘટનાને તાલિબાની ગુનો ગણાવ્યો હતો. તેમણે તેના માટે સજા આપવાની પણ માગ કરી હતી. સોમવારે ગુજરાતમાં 247, મહારાષ્ટ્રમાં 522, દિલ્હીમાં 190, ઉત્તર પ્રદેશમાં 113, બિહારમાં 68, રાજસ્થાનમાં 49 લોકોના કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા હતા. 26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ પહોંચી ગયું છે, પરંતુ સૌથી વધારે સંક્રમણ વાળા 9 રાજ્યોમાં જ રવિવાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 24 હજાર 418 રહી હતી. આ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 88 ટકા છે. જો કે, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે પૂર્વોત્તરના 8માંથી 5 રાજ્ય કોરોનામુક્ત બન્યા છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી જાણકારી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 28 હજાર 380 લોકો સંક્રમિત છે. જેમાંથી 21,132 એક્ટિવ છે, 6362 લોકો સાજા થયા છે અને 886 લોકોના મોત નીપજ્યાં છે.
નકવીએ જમાતીયાઓથી સંક્રમણ ફેલાવવાની ઘટનાને તાલિબાની ગુનો ગણાવ્યો છે, તેમણે આ માટે સજા આપવાની માગ કરી છે
26 રાજ્ય, 6 કેન્દ્રશાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું, સૌથી વધારે પ્રભાવિત 9 રાજ્યમાં 24,418 દર્દીઓ
દેશમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા 29,451 થઈ છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાક અબ્બાસ નકવીએ તબલીઘીજમાત પર નિશાન સાધતા કહ્યું છે કે, પહેલા જમાતીયાઓએ આખા દેશમાં સંક્રમણ ફેલાવ્યું, હવે પ્લાઝમા ડોનેટ કરવાની અરજી કરી કોરોના વોરિયર બનવા માગે છે. તબલીઘી જમાતે પોતે કરેલા ગુના પર શરમ કરવાની જગ્યાએ લાખો કોરોના યોદ્ધાઓનું અપમાન કરી રહ્યાં છે. પહેલા પણ નકવીએ જમાતિયાઓ દ્વારા સંક્રમણ ફેલાવવાની ઘટનાને તાલિબાની ગુનો ગણાવ્યો હતો. તેમણે તેના માટે સજા આપવાની પણ માગ કરી હતી.
સોમવારે ગુજરાતમાં 247, મહારાષ્ટ્રમાં 522, દિલ્હીમાં 190, ઉત્તર પ્રદેશમાં 113, બિહારમાં 68, રાજસ્થાનમાં 49 લોકોના કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા હતા. 26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ પહોંચી ગયું છે, પરંતુ સૌથી વધારે સંક્રમણ વાળા 9 રાજ્યોમાં જ રવિવાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 24 હજાર 418 રહી હતી. આ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 88 ટકા છે. જો કે, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે પૂર્વોત્તરના 8માંથી 5 રાજ્ય કોરોનામુક્ત બન્યા છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી જાણકારી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 28 હજાર 380 લોકો સંક્રમિત છે. જેમાંથી 21,132 એક્ટિવ છે, 6362 લોકો સાજા થયા છે અને 886 લોકોના મોત નીપજ્યાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ
યુપી-પંજાબના એક એક જિલ્લામાંથી 28 દિવસ બાદ નવા કોરોનાના કેસ સામે આવ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય
24 કલાકમાં 1000થી વધુ નવા કેસ સામે આવ્યા, 3 એવા નવા જિલ્લા છે જ્યાં એક પણ કેસ નથીઃ સ્વાસ્થ્ય મંત્રાલય
કોરોના વોરિયર હરજીતનું સન્માનઃ પંજાબમાં કોરોના વોરિયર હરજીત સિંહને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરમાંથી પ્રમોશન આપીને સબ ઈન્સપેક્ટર બનાવાયા છે. લોકડાઉન દરમિયાન નિંહગોના હુમલામાં તેમનો હાથ કપાઈ ગયો હતો. જો કે, ડોક્ટર્સે તેને જોડી દીધા છે. હરજીતના સન્માનમાં પોલીસ વિભાગે પણ ‘મેં ભી હરજીત’ અભિયાન ચલાવ્યું છે. જેના હેઠળ રાજ્યના ડીજીપી દિનકર ગુપ્તાએ પોતાની વર્ધી પર હરજીત નામની પ્લેટ લગાવી છે.
સ્વાસ્થ્ય મંત્રીના ઓએસડી ઓફિસમાં સંક્રમણઃ સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના અધિકારી ઓન સ્પેશ્યલ ડ્યૂટી ઓફિસમાં તહેનાત સુરક્ષાકર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના હવાલાથી આ સમાચાર મળ્યા છે. આ ઓફિસ એઈમ્સના ટીચીંગ બ્લોકમાં છે. સંક્રમિત સુરક્ષાકર્મીના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરાઈ રહી છે. ઓએસડી અને ઘણા કર્મચારીઓને સેલ્ફ ક્વૉરન્ટીન થવાની સલાહ આપવામાં આવી છે.
દિલ્હીમાં 3 હોસ્પિટલના સ્ટાફ સંક્રમિતઃ બાબા સાહેબ હોસ્પિટલના 29 ડોક્ટર્સ અને સ્વાસ્થ્યકર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બાબૂ જગજીવન રામ હોસ્પિટલમાં પણ ડોક્ટર્સ સહિત સ્ટાફના 44 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. દિલ્હીના એઈમ્સના ચોથા નર્સ સંક્રમિત થયા છે.
કોરોના સંક્રમિતે આત્મહત્યા કરીઃ કર્ણાટકમાં બેંગલુરુના વિક્ટોરિયા હોસ્પિટલમાં સોમવારે એક 50 વર્ષના કોરોના સંક્રમિતે હોસ્પિટલની ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી દીધ છે.
સાંસદના પરિવારના 6 લોકો સંક્રમિતઃ આંધ્રપ્રદેશના કુરનૂલથી સાંસદ ડો. સંજીવ કુમારના પરિવારના 6 સભ્ય સંક્રમિત મળ્યા છે. જેમાં સંજીવના 80 વર્ષના પિતા, 2 ભાઈ અને તેમની પત્નીઓ અને એક ભત્રીજાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકારે કહ્યું- હોટ સ્પોટ નોન હોટ સ્પોટમાં બદલાઈ રહ્યા છે કેન્દ્ર સરકારે કહ્યું કે, દેશમાં હોટ સ્પોટ વિસ્તાર નોન હોટ સ્પોટમાં ફેરવાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી, ડો. હર્ષવર્ધને 283 જિલ્લામાં છેલ્લા 28 દિવસમાં સંક્રમિણ સ્થિતિ સામે આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે, રવિવાર સુધી 64 જિલ્લામાં 7 દિવસથી, 48 જિલ્લામાં 14 દિવસથી , 33 જિલ્લામાં 21 દિવસથી, 18 જિલ્લામાં 28 દિવસથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી. હર્ષવર્ધન રવિવારે એઈમ્સ પહોંચ્યા હતા. અહીંયા તેમને ટ્રામાનું નિરક્ષણ કર્યું. ટ્રામા સેન્ટરને કોવિડ વોર્ડ બનાવાયું છે. લખનઉમાં તમામ ધાર્મિક સામૂહિત રીતે થનારા કાર્યક્રમ પર પ્રતિબંધ
ઉત્તરપ્રદેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1843 થઈ છે, અત્યાર સુધી 29 લોકોના મોત
પાંચ દિવસમાં સંક્રમણના સૌથી વધારે કેસ
દિવસ
કેસ
25 એપ્રિલ
1835
23 એપ્રિલ
1667
26 એપ્રિલ
1607
19 એપ્રિલ
1580
21 એપ્રિલ
1537
રાજ્ય
કેટલા સંક્રમિત થયા
કેટલા સાજા થયા
કેટલા મોત
મહારાષ્ટ્ર
8068
1188
342
ગુજરાત
3301
313
155
દિલ્હી
2918
877
54
રાજસ્થાન
2185
629
41
મધ્યપ્રદેશ
2090
302
103
તમિલનાડુ
1885
1020
24
ઉત્તરપ્રદેશ
1873
327
30
આંધ્રપ્રદેશ
1097
231
31
તેલંગાણા
1001
316
25
પશ્વિમ બંગાળ
611
105
20
જમ્મુ-કાશ્મીર
523
137
06
કર્ણાટક
503
182
19
કેરળ
469
342
03
પંજાબ
322
84
18
હરિયાણા
296
199
05
બિહાર
274
56
02
ઓરિસ્સા
103
35
01
ઝારખંડ
82
13
03
હિમાચલ પ્રદેશ
40
22
02
આસામ
36
27
01
છત્તીસગઢ
36
32
00
ચંદીગઢ
36
17
00
આંદામાન- નિકોબાર
33
18
00
લદ્દાખ
20
16
00
મેઘાલય
12
00
01
પુડ્ડુચેરી
08
04
01
ગોવા
07
07
00
મણિપુર
02
02
00
ત્રિપુરા
02
02
00
અરુણાચલ પ્રદેશ
01
01
00
મિઝોરમ
01
01
00
દેશના રાજ્ચોની સ્થિતિ મધ્યપ્રદેશ, સંક્રમિત:2090- કોરોના સંક્રમિતોની સંખ્યાના દ્રષ્ટીએ દેશમાં પાંચમા નંબરે છે. અહીંયા સંક્રમિતોની સંખ્યા 2137એ પહોંચી છે. જો કે સ્વાસ્થ્ય વિભાગ તરફથી રવિવારે બપોરે 3 વાગ્યના બુલેટીનમાં તેની સંખ્યા 2090 હતી. અહીંયા રવિવારે 145 કેસ સામે આવ્યા છે. ઈન્દોરમાં અત્યાર સુધી 1176 કેસ મળ્યા, જેમાંથી 57 લોકોના મોત થયા છે. ભોપાલમાં દર્દીઓની સંખ્યા 415 છે અને 9 સંક્રમિતોના મોત થયા છે. રાહતના સમાચાર એ છે કે કુલ 399 લોકો સાજા થયા છે.
હાલ માસ્ક જરૂરી છે. આ તસવીર એ જ મેસેજ આપી રહી છે, ભોપાલમાં કોરોના મહામારી વચ્ચે રવિવારે એક લગ્ન થયા. જેમાં વર વધુએ પોતાને સંક્રમણથી બચાવવા માટે માસ્ક પહેર્યું હતું.
ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ1873- રાજ્યમાં રવિવારે 80 પોઝિટિવ દર્દી મળ્યા હતા. રાજ્યમાં રવિવારે સવારે 12 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
રાજસ્થાનમાં સોમવારે 36 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી ઝાલાવાડ અને જયપુરમાં 9-9, ટોન્ક અને જોધપુરમાં 6-6, કોટામાં 4 જ્યારે જેસલમેર અને ભીલવાડામાં 1-1 કેસ મળ્યા છે. રાજ્યમાં હવે સંક્રમિતોની સંખ્યા 2221 થઈ ગઈ છે. સાથે જ રવિવારે રાતે સોમવાર બપોર સુધી જયપુરમાં 3 સંક્રમિતોના મોત થયા છે. તો બીજી બાજુ 14 રાજ્યોમાં ફસાયેલા રાજસ્થાનના શ્રમિકોને લાવવાની તૈયારી રાજ્ય સરકારે કરી લીધી છે, જેની જવાબદારી 19 IAS અને IPS અધિકારીઓને સોંપવામાં આવી છે.
આ તસવીર આંધ્રપ્રદેશના ગુંટુરની છે. અહીંયાના લાલાપેટ પોલીસ સ્ટેશનમાં તહેનાત કરીમુલ્લા આસિટન્ટ સબ ઈન્સપેક્ટર છે. દેશભરમાં લોકડાઉન વચ્ચે શનિવારે રમઝાન મહિનો શરૂ થઈ ગયો છે, જેમાં મુસ્લિમ સમાજના લોકો રોઝા રાખે છે. કરીમુલ્લા પણ રોઝા રાખી રહ્યા છે.
ઉત્તરપ્રદેશ, સંક્રમિત 1873 રાજ્યમાં રવિવારે 80 પોઝિટિવ મળ્યા હતા. જ્યાં 327 દર્દી સાજા થયા છે. કુલ સંક્રમિતોમાં 1040 જમાતી અને તેમના સંપર્કમાં આવેલા લોકો છે. રવિવારે સવારે 12 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 3 દર્દી લખનઉના અને 2 કાનપુરના છે. સાથે જ વારાણસીમાં 7 પોલીસકર્મી સંક્રમિત મળી આવ્યા છે.
પ્રયાગરાજમાં લોકડાઉન વચ્ચે રસ્તામાંથી પસાર થઈ રહેલી એક મહિલાએ કોરોના સંક્રમણથી તેના બાળકને બચાવવા માટે તેનું મોઢું ઢાંક્યું છે.
મહારાષ્ટ્ર, સંક્રમિત 8086- BMCએ સોમવારે જણાવ્યું કે, અહીંયા કોરોના સામે લડાઈ લડનારા 4 દર્દીઓનો એન્ટીબોડી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પ્લાઝ્માનો ઉપયોગ અન્ય દર્દીઓની સારવારમાં કરી શકાશે. BMCએ સાજા થયેલા દર્દીઓને પણ તેમના પ્લાઝ્મા ડોનેટ કરવાની અપીલ કરી છે. સોમવારે અહીંયા સૌથી વધારે 440 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
દિલ્હી, સંક્રમિત-2918ઃ અહીંયાના બાબૂ જગજીવન રામ હોસ્પિટલમાં ડોક્ટર્સ સહિત સ્ટાફના 44 લોકો કોરોના સંક્રમિત છે. ત્યારબાદ હોસ્પિટલની તમામ સેવાઓ બંધ કરી દેવાઈ છે. સ્ટાફના અન્ય લોકોના સેમ્પલ પણ લેવાયા છે. બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલના પણ 29 ડોક્ટર્સ અને સ્વાસ્થ્યકર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હી એઈમ્સની ચોથી નર્સ સંક્રમિત મળી છે. તેના બે બાળકો પણ સંક્રમિત થયા છે.
બિહાર, સંક્રમિતઃ290- અહીંયા સોમવારે સંક્રમણના 13 નવા કેસ સામે આવ્યા છે. જો કે, હાલ એ ખબર નથી પડી કે દર્દી કયા જિલ્લામાં મળ્યા છએ. રાજ્યમાં સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત મુંગેર જિલ્લો છે. અહીંયા અત્યાર સુધી 36 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ નાલંદામાં 34 અને પટનામાં 33 સંક્રમિત છે.