કોરોના ઈન્ડિયા LIVE:અત્યાર સુધીમાં 56 હજાર 351 કેસઃ દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 448 કેસ વધ્યાં, જેમાંથી ITBPના 37 જવાનો સામેલ

નવી દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર 22 એપ્રિલના રોજ દિલ્હીમાં લેવામાં આવી હતી. લોકડાઉન વચ્ચે ITBPના જવાન પ્રોટેક્ટિવ સૂટ પહેરી પેટ્રોલિંગ પર નિકળ્યા હતા - Divya Bhaskar
તસવીર 22 એપ્રિલના રોજ દિલ્હીમાં લેવામાં આવી હતી. લોકડાઉન વચ્ચે ITBPના જવાન પ્રોટેક્ટિવ સૂટ પહેરી પેટ્રોલિંગ પર નિકળ્યા હતા
  • 24 કલાકમાં 3344 સંક્રમિત, 1475 પુન સ્વસ્થ થયાં; મહારાષ્ટ્રમાં રેકોર્ડ 1216 દર્દીઓ વધ્યા
  • ગુરુવારથી આરોગ્ય કર્મચારીઓ ઉપર અશ્વગંધા જેવી 4 આયુર્વેદિક દવાઓની ક્લિનિકલ ટ્રાયલ
  • દિલ્હી, પંજાબ અને ઉત્તરાખંડ પછી રાજસ્થાનમાં પણ ઇંધણ મોંઘુ, પેટ્રોલ પર 2% અને ડીઝલ પર 1% વેટ ટેક્સનો વધારો

દેશમાં કોરોનાથી ચેપગ્રસ્ત કોરોની સંખ્યા વધીને 56 હજાર 351 થઈ ગઈ છે. ગુરુવારે, મહારાષ્ટ્રમાં 1216, ગુજરાતમાં 388, તમિલનાડુમાં 580, પંજાબમાં 118, રાજસ્થાનમાં 110, મધ્યપ્રદેશમાં 114, ઉત્તર પ્રદેશમાં 73 સહિત 3344 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દિલ્હીમાં એક જ દિવસમાં સૌથી વધુ 448 દર્દીઓનો વધારો થયો છે. જેમાં 37 ITBPના જવાનો શામેલ છે. અત્યાર સુધીમાં કુલ 82 ITBPના જવાનો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પર આધારિત છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કુલ 52 હજાર 952 લોકો ચેપગ્રસ્ત છે. જેમાંથી 35 હજાર 902 સારવાર હેઠળ છે. 15 હજાર 2066ની સારવાર કરવામાં આવી છે, જ્યારે 1783 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રીએ આ મામલે કહ્યું હતું કે ગુરુવારે સવાર સુધીમાં 24 કલાકમાં 3561 સંક્રમિત મળ્યા હતા. કેરળ, ઓડિશા અને જમ્મુ-કાશ્મીર સહિત 13 રાજ્યોમાં કોઈ નવા કેસ નોંધાયા નથી. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં મૃત્યુદર (3.3%) ઓછો છે. રિકવરી દર વધીને 28.83% થયો છે.

ગૃહ મંત્રાલયના સચિવ અજય ભલ્લાએ બુધવારે પશ્વિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિન્હાને ચિઠ્ઠી લખી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યમાં જેટલી વસ્તી છે તેના પ્રમાણમાં ટેસ્ટિંગ ઓછું થઈ રહ્યું છે અને ડેથ રેટ વધારે છે. ભીડભાડ વાળા વિસ્તાર પર રેન્ડમ ટેસ્ટિંગની જરૂર છે. સંક્રમણની દેખરેખ અને ટેસ્ટિંગ બધું ઓછું છે. પત્રમાં આગળ કહેવામાં આવ્યું હતું કે, ‘કોલકાતા અને હાવડામાં ઘણા અન્ય સ્થળો પર લોકડાઉનનું ઉલ્લંઘન થયું. કોરોના વોરિયર્સ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. લોકડાઉનનું કડકાઈથી પાલન જરૂરી છે’. બીજી બાજુ સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, અમે એક મહિના દરમિયાન 5.5 કરોડ લોકોનો સરવે કર્યો છે.

જૂન-જુલાઈમાં વધી શકે છે સંક્રમણ

દિલ્હી એઈમ્સના નિર્દેશક ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે જૂન અને જુલાઈ મહિનામાં કોરોના સંક્રમણ ચરમસીમા પર પહોંચી શકે છે. વર્તમાન ડેટા અને જે પ્રકારે કેસ વધી રહ્યા છે તેને જોતા સંક્રમણ વધવાનું જોખમ છે. જોકે તેને અસર કરનારી અનેક પરિબળો છે. સમય પસાર થતા જ તે અંગે આપણે જાણી શકશું કે કયા પરિબળો કેટલી અસર કરી રહ્યા છે અને લોકડાઉનની અવધિ વધારવાથી શું ફાયદો થયો છે.

અપડેટ્સ 

  • મહારાષ્ટ્ર સરકારના એક વરિષ્ઠ IAS અધિકારી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
  • BSFના બે જવાનોના કોરોનાથી મોત, ગૃહ મંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું
  • મુંબઈના પોલીસ કમિશનર પરબ બીર સિંહે કહ્યું કે, અત્યાર સુધી શહેરમાં પોલીસના 250 જવાનોમાં કોરોના સંક્રમણની પુષ્ટી કરવામાં આવી છે. જેમાંથી કોઈ પણ આઈસીયૂમાં નથી. એવા ઘણા ઓછા કેસ છે, જેમાં બિમારીના લક્ષણ જોવા મળી રહ્યા છે.
  • ઈન્દોરના પૂર્વ એસપી યૂસુફ કુરૈશીએ જણાવ્યું કે, અત્યાર સુધી શહેરમાં 31 પોલીસકર્મીઓમાં કોરોના સંક્રમણની પુષ્ટી કરાઈ છે. જેમાંથી 22ની સારવાર ચાલી રહી છે. 8 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. 1નું સારવાર દરમિયાન મોત થયું છે.
  • મહારાષ્ટ્રના મનમાડ ખાતે આવેલા ગુરુદ્વારામાં લોકડાઉનના કારણે ફસાયેલા 130 શીખ શ્રદ્ધાળુઓને બસો દ્વારા પંજાબ મોકલવામાં આવી રહ્યા છે. બસોની વ્યવસ્થા મહારાષ્ટ્ર સરકારે કરી હતી. તમામનું થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે. પંજાબ પહોંચશે ત્યારે તેમને 14 દિવસ માટે ક્વૉરન્ટીન કરવામાં આવશે.
  • આઈએલએસ જલશ્વ માલદીવના માલે બંદ પર પહોંચી ગયા છે. નૌસેનાના આ જહાજને ઓપરેશન સમુદ્ર સેતુ હેઠળ લોકડાઉનના કારણે ફસાયેલા ભારતીયોને લાવવા માટે મોકલી દેવાયા છે.
  • દેશમાં આજથી સ્વાસ્થ્યકર્મીઓ અને વધારે જોખમ વાળા વિસ્તારોમાં કામ કરી રહેલી અશ્વગંધા, યષ્ટિમધુ અને આયુષ-64 જેવી આયુર્વેદિક દવાઓનું ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને ગુરુવારે મીડિયાને આ માહિતી આપી હતી. અત્યાર સુધી હોસ્પિટલ અને વધારે જોખમ વાળા વિસ્તારમાં કામ કરી રહેલા કોરોના વોરિયર્સને હાઈડ્રોક્સોક્લોરોક્વીન ટેબલેટ આપવામાં આવી રહી છે. વંદેમાતરમ મિશન હેઠળ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ ગુરુવારે કોચ્ચિ એરપોર્ટથી અબુ ધાબી માટે રવાના થઈ હતી. આ વિમાનથી લોકડાઉનના કારણે ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવશે.

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા 

દિવસકેસ
05 મે2966
04 મે3900
03મે2676
02મે2567
01મે2396

26 રાજ્ય, 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું 
કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 7 કેન્દ્ર શાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પુડ્ડુચેરી અને દાદરા નગર હવેલી સામેલ છે.  

રાજ્યકેટલા સંક્રમિતકેટલા સાજા થયા કેટલાનું મોત
મહારાષ્ટ્ર181203094651
ગુજરાત70131500425
દિલ્હી5532154265
મધ્યપ્રદેશ32551099185
રાજસ્થાન3400174095
તમિલનાડુ5409154737
ઉત્તરપ્રદેશ3071113060
આંધ્રપ્રદેશ183378038
તેલંગાણા110764829
પશ્વિમ બંગાળ1548296151
જમ્મુ કાશ્મીર79333509
કર્ણાટક70536630
કેરળ50346904
પંજાબ164414928
હરિયાણા59426007
બિહાર54718804
ઓરિસ્સા2066202
ઝારખંડ1323703
ઉત્તરાખંડ613901
હિમાચલ પ્રદેશ453503
આસામ463501
છત્તીસગઢ593600
ચંદીગઢ1342101
આંદામાન-નિકોબાર333200
લદ્દાખ421700
મેઘાલય121001
પુડ્ડુચેરી120600
ગોવા 070700
મણિપુર020200
ત્રિપુરા420200
અરુણાચલ પ્રદેશ010100
દાદરા નગર હવેલી010100
મિઝોરમ010000

દેશના રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશ, સંક્રમિતઃ3138- મધ્યપ્રદેશ સરકારે બુધવારે જણાવ્યું કે, 1984 ગેસ કાંડના એ પીડિતોનું સ્ક્રિનીંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો  હતો, જે પહેલા ગંભીર રીતે બિમાર હતા. જો તપાસમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું તો તેમને આઈસોલેટ પણ કરવામાં આવશે. ભોપાલમાં કોરોના સંક્રમણથી 19 લોકોના મોત થયા હતા.

આ તસવીર ભોપાલની છે. કોરોના મહામારીની ગંભીરતા અને લોકડાઉનના નિયમોને બાજુમાં મુકીને આ વ્યક્તિ પરિવાર સાથે બહાર નીકળ્યો છે. પોલીસ તેમને સમજાવી રહી છે.
આ તસવીર ભોપાલની છે. કોરોના મહામારીની ગંભીરતા અને લોકડાઉનના નિયમોને બાજુમાં મુકીને આ વ્યક્તિ પરિવાર સાથે બહાર નીકળ્યો છે. પોલીસ તેમને સમજાવી રહી છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ3071-  અહીં ગુરુવારે 73 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા.  રાજ્યમાં કુલ સંક્રમિત બે હજાર 998 થઈ ગયા છે. 1808 એક્ટિવ છે. 1130 ડિસચાર્જ કરાઈ શકાય છે. કુલ 60 સંક્રમિતોના મોત થયા છે. આ માહિતી રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી છે. 

મથુરામાં આ પ્રવાસી મજૂરો પૈતૃક સ્થળે જઈ રહ્યા છે. સરકારે લોકડાઉનના ત્રીજા તબક્કામાં બીજા રાજ્ય અથવા શહેરમાં ફસાયેલા લોકોને તેમના ઘરે જવાની મંજૂરી આપી છે.
મથુરામાં આ પ્રવાસી મજૂરો પૈતૃક સ્થળે જઈ રહ્યા છે. સરકારે લોકડાઉનના ત્રીજા તબક્કામાં બીજા રાજ્ય અથવા શહેરમાં ફસાયેલા લોકોને તેમના ઘરે જવાની મંજૂરી આપી છે.

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ18120- અહીંયા 24 કલાકમાં 1 હજાર 362 નવા કેસ સામે આવ્યા  હતા. આ એક દિવસમાં અત્યાર સુધી નોંધાયેલા આંકડાઓમાં સૌથી વધારે આંકડો હતો. આ દરમિયાન 34 સંક્રમિતોના મોત થયા છે. મૃતકોનો આંકડો 651 થઈ ગયો હતો. 

રાજસ્થાન, સંક્રમિતઃ 3400- રાજસ્થાનમાં ગુરુવારે 83 નવા દર્દી નોંધાયા હતા. એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. આ સાથે જ રાજ્યમાં મૃતકોની સંખ્યા 90 થઈ ગઈ છે. ચિકિત્સા વિભાગના જણાવ્યા પ્રમાણે, જયપુર 27, જોધપુરમાં 32, અજમેર ચાર, પાલીમાં સાત, ડંગરપુરમાં બે, ધોલપુરમાં બે સવાઈ માધોપુર, ભરપુર , ચિત્તોડગઢ અને અલવરમાં એક એક નવા કોરોના સંક્રમિતો સામે આવ્યા હતા.

જયપુરમાં લોકોને કોરોના મહામારી અને લોકડાઉન પ્રત્યે સજાગ કરવા માટે સુરક્ષાકર્મીઓએ માર્ચ પાસ્ટ કરી. રાજ્યમાં જયપુર સંક્રમણથી સૌથી વધારે છે.
જયપુરમાં લોકોને કોરોના મહામારી અને લોકડાઉન પ્રત્યે સજાગ કરવા માટે સુરક્ષાકર્મીઓએ માર્ચ પાસ્ટ કરી. રાજ્યમાં જયપુર સંક્રમણથી સૌથી વધારે છે.

બિહાર, સંક્રમિતઃ547- અહીંયા બુધવારે પૂર્ણિયા જિલ્લામાં એક કોરોના પોઝિટિવ દર્દી મળ્યા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 536 થઈ ગયા છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, રાજ્યના 32 જિલ્લાના સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. સૌથી વધારે 102 દર્દી મુંગેર જિલ્લામાં હતા. 

બેંગલુરુમાં પટનાથી પાછા આવેલા મજૂરો તેમની હાથ પર લાગેલી ક્વૉરન્ટીન સીલ કરતા જોવા મળ્યા હતા. બીજા રાજ્યોમાં અથવા શહેરથી પાછા રહેલા લોકોને 21 દિવસ ક્વૉરન્ટીનમાં રાખવામાં આવશે.
બેંગલુરુમાં પટનાથી પાછા આવેલા મજૂરો તેમની હાથ પર લાગેલી ક્વૉરન્ટીન સીલ કરતા જોવા મળ્યા હતા. બીજા રાજ્યોમાં અથવા શહેરથી પાછા રહેલા લોકોને 21 દિવસ ક્વૉરન્ટીનમાં રાખવામાં આવશે.

દિલ્હી, સંક્રમિતઃ5532- દિલ્હી પોલીસે બુધવારે જણાવ્યું કે, રાજધાનીના ભારત નગર પોલીસ સ્ટેશનના કોન્ટસ્ટેબલ અમિતનું મંગળવારે અચાનક તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને RML હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...